Book Title: Jinbhakti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 139
________________ ૧૧૪ જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૨પ વિપ્નોનું શમન કરનારી છે. કાયાથી શુદ્ધિની પ્રધાનતાને કારણે આ પૂજા કાયયોગપ્રધાન છે. આ પૂજા સમ્યગ્દષ્ટિને યોગાવંચકથી થાય છે” તેમ “વૈરાગ્યકલ્પલતા”માં કહેલ છે તે પ્રમાણે ગુણવાન એવા ભગવાનનો ગુણવાનરૂપે યથાર્થ બોધ હોવાને કારણે ગુણવાન એવા ભગવાનનો યોગ=પ્રાપ્ત થયેલો સંયોગ, અવંચક છે અર્થાતુ અનિષ્ફળ છે. તેથી ઉત્તમ પુરુષના યોગના કારણે ભક્તિથી કરાયેલી પૂજાથી યોગમાર્ગમાં આવતા વિપ્નોનું શમન થાય છે. (૨) વાગ્યોગસારા ઉત્તરગુણધારી શ્રાવક પોતાની કાયાની શુદ્ધિના વ્યાપારયુક્ત વિધિપૂર્વક ભગવાનની ભક્તિ અર્થે ઉત્તમ સામગ્રી એકઠી કરે, પરંતુ તેટલામાત્રથી સંતોષ ન થવાથી વચનની શુદ્ધિના વ્યાપારપૂર્વક દૂરનાં ક્ષેત્રોમાંથી અન્ય પાસેથી વિધિપૂર્વક ઉત્તમ સામગ્રી મંગાવે અર્થાત્ ભગવાનની ભક્તિમાં અનુપયોગી એવા આરંભ-સમારંભ ન થાય એ રીતે અન્ય ક્ષેત્રોમાંથી ઉત્તમ સામગ્રી પ્રાપ્ત કરે, અને તે સામગ્રીથી અતિચારરહિત ભગવાનની પૂજા કરે, તે પૂજા વચનયોગસારા છે. આ પૂજા યોગમાર્ગની પ્રાપ્તિમાં અનન્ય ઉપાયભૂત એવા અભ્યદયને કરનારી છે. “આ પૂજા ઉત્તરગુણધારી શ્રાવકને ક્રિયાવંચકથી થાય છે”, તેમ “વૈરાગ્યકલ્પલતા”માં કહેલ છે તે પ્રમાણે ભગવાનને ગુણવાનરૂપે જાણ્યા પછી ઉત્તરગુણધારી શ્રાવક ભગવાનની ભક્તિ અત્યંત સંવરભાવપૂર્વક પ્રાપ્ત કરેલી ઉત્તમ સામગ્રીથી કરે તે ભગવાનની પૂજાની ક્રિયા અવંચક બને અર્થાત્ અનિષ્ફળ બને. તે પૂજાની ક્રિયા યોગમાર્ગની પ્રાપ્તિમાં અનન્ય ઉપાયભૂત અભ્યદયનું કારણ બને છે. (૩) મનોયોગસારા પોતાની ભૂમિકાને ઉચિત, શ્રતમાં કહેલા આચારમાં તત્પર અને અતિચારરહિત એવા આચારોને પાળનાર શ્રાવક, કાયાની શુદ્ધિના વ્યાપારપૂર્વક ભગવાનની ભક્તિ અર્થે વિધિપૂર્વક સર્વ ઉત્તમ સામગ્રી પ્રાપ્ત કરે છે; પરંતુ તેટલામાત્રથી તે શ્રાવકને સંતોષ થતો નથી, તેથી વચનની શુદ્ધિના વ્યાપારપૂર્વક દૂરનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170