Book Title: Jinbhakti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 167
________________ ૧૪૨ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૩૧-૩૨ અહીં પ્રશ્ન થાય કે ભગવાનની ભક્તિ અર્થે કરાતી વાણિજ્ય ક્રિયા, સ્નાન ક્રિયા કે ભગવાનની પૂજાની ક્રિયા સર્વથા અશુભ વ્યાપારરૂપ નથી, તેમ કહ્યું. તેથી તે પ્રવૃત્તિકાળમાં પણ કોઈક અશુભ વ્યાપાર છે, તેમ ફલિત થાય. તેથી જિજ્ઞાસા થાય કે તે અશુભ વ્યાપાર શું છે ? તેનું તાત્પર્ય એ છે કે ભગવાનની પૂજાના પ્રણિધાનથી વાણિજ્યાદિ ક્રિયા કે સ્નાનાદિ ક્રિયા થતી હોય ત્યારે ભગવાનની ભક્તિનો શુભ વ્યાપાર છે, છતાં તે વખતે પણ શ્રાવકનું ચિત્ત સાધુ જેવું સર્વથા અભિન્કંગ વગરનું નથી. તેથી ઉપયોગરૂપે ભગવાનની ભક્તિનો અધ્યવસાય છે, તોપણ પોતાની સંપત્તિ પ્રત્યે કે પોતાના કુટુંબાદિ પ્રત્યે રાગનો પરિણામ પણ ચિત્તમાંથી સર્વથા ગયો નથી. તેથી તે રાગના પરિણામથી સંવલિત ભગવાનના ભક્તિનો અધ્યવસાય છે. માટે ભગવાનની પૂજાની ક્રિયા સર્વથા અશુભ વ્યાપારરૂપ નથી, તેમ કહેલ છે; અને સાધુને સર્વથા ધનાદિ પ્રત્યે અભિળંગ નથી. તેથી સંપૂર્ણ અભિવૃંગ રહિત ભગવાનના ગુણોની સ્તુતિ કરીને વીતરાગ થવા ઉદ્યમ કરે છે. તેથી તેઓની પ્રવૃત્તિ સર્વથા શુભ વ્યાપારરૂપ છે. II3II અવતરણિકા :જિનભક્તિદ્વાáિશિકાનો ઉપસંહાર કરતાં કહે છે – અથવા પૂર્વમાં ભગવાનની ભક્તિનું સ્વરૂપ બતાવ્યું, અને તે રીતે કોઈ ભગવાનની ભક્તિ કરે, તેનાથી તેના કલ્યાણની પ્રાપ્તિ થાય, તેમ સ્થાપન કર્યું. ત્યાં પ્રશ્ન થાય કે વીતરાગ ભગવંત પૂજા કરનાર પર તોષ પામીને કોઈ ઉપકાર કરતા નથી, તો વીતરાગની પૂજાથી પરમાનંદ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે ? તેના સમાધાન અર્થે કહે છે – શ્લોક : पूजया परमानन्दमुपकारं विना कथम् । ददाति पूज्य इति चेच्चिन्तामण्यादयो यथा ।।३२।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170