________________
૧૪૩
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૩૨ અન્વયાર્થ :
૩૫ાર વિના-ઉપકાર વગર=પૂજા કરનારને અનુગ્રહ કરવાના પરિણામ વગર, પૂ પૂજય એવા વીતરાગ પૂMયા પરમાનન્દ્ર—પૂજાથી પરમાનંદરૂપ મોક્ષને, રથ હવાતિ કઈ રીતે આપે ? અર્થાત્ આપતા નથી. તિ શેત્રુએ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – વા=જે પ્રમાણે, ચિત્તામાથાયોચિંતામણિ આદિ (ઉપકાર વગર ફળ આપે છે, તેમ ભગવાન ઉપકાર વગર ફળ આપે છે) એમ અવય છે. Im૩૨ા શ્લોકાર્ચ -
ઉપકાર વગર પૂજા કરનારને અનુગ્રહ કરવાના પરિણામ વગર, પૂજ્ય એવા વીતરાગ પૂજાથી પરમાનંદરૂપ મોક્ષને કઈ રીતે આપે ? અર્થાત્ આપતા નથી. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે, જે પ્રમાણે ચિંતામણિ આદિ ઉપકાર વગર ફળ આપે છે, તેમ ભગવાન ઉપકાર વગર ફળ આપે છે, એમ અન્વય છે. llફરશા
વિસ્તાષા' - અહીં ‘થિી કલ્પવૃક્ષ વગેરે ગ્રહણ કરવા. ટીકા -
પૂનતિ - વ્યારા ટીકાર્ચ -
શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારે ટીકાનો અર્થ કરેલ નથી. ૩૨ા ભાવાર્થવીતરાગની પૂજાથી પરમાનંદ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિની યુક્તિ -
પૂર્વમાં ભગવાનની ભક્તિનું સ્વરૂપ અનેક રીતે બતાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે આ રીતે કરાયેલી ભગવાનની ભક્તિથી પૂજા કરનારને ફળ ત્યારે પ્રાપ્ત થાય કે શ્રાવકની તે પૂજાને જોઈને પૂજ્ય એવા ભગવાન કોઈક ઉપકાર કરે; પરંતુ ભગવાન તો વીતરાગ છે અને મોક્ષમાં ગયેલા છે. તેઓ પૂજા કરનારને કોઈ ઉપકાર કરતા નથી; અને જો ભગવાન પૂજા કરનારને કોઈ ઉપકાર કરતા ન હોય તો પૂજાથી પૂજા કરનારને ભગવાન મોક્ષ આપે છે, તેમ કેમ કહી શકાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org