Book Title: Jinbhakti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 155
________________ ૧૩૦ જિનભક્તિાસિંશિકા/શ્લોક-૨૯-૩૦ નજીકની ભૂમિકામાં વર્તે છે તેવા શ્રાવકને પણ ધર્મ માટે સાવદ્ય આરંભની પ્રવૃત્તિ યુક્ત નથી. તેથી તેવા શ્રાવક જિનપૂજાના અધિકારી છે. અહીં વિશેષ એ છે કે ભગવાનના ગુણો પ્રત્યેના બહુમાનથી ભગવાનની ભક્તિ કરીને શ્રાવક નિરપેક્ષભાવરૂપ સંયમની શક્તિનો સંચય કરે છે, અને જે શ્રાવક સાવદ્યના અત્યંત સંક્ષેપપૂર્વક સંયમભાવની વૃદ્ધિનું કારણ બને એવી સ્વાધ્યાય આદિ ક્રિયા કરે છે, અને શક્તિ હોય તો પ્રતિમાદિ ગ્રહણ કરે છે, એવા શ્રાવકને પૂજા અર્થે સાવદ્ય પ્રવૃત્તિનો આરંભ યુક્ત નથી. III અવતરણિકા - પૂર્વશ્લોકમાં કેવા શ્રાવકને દ્રવ્યસ્તવનો અધિકાર નથી, તેની સ્પષ્ટતા કરી. હવે જે શ્રાવક પોતાના જીવનનિર્વાહ અર્થે અથવા કુટુંબાદિ માટે આરંભ-સમારંભ કરે છે, આમ છતાં આરંભની શંકાથી ભગવાનની ભક્તિમાં સંકોચ કરે છે, તેવા શ્રાવકને શું દોષ પ્રાપ્ત થાય છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક - अन्यत्रारम्भवान् यस्तु तस्यात्रारम्भशङ्किनः । વોfધરેવ પરમી વિવેકાર્થનાશતઃ Fારૂપ અન્વયાર્થ : વસ્તુ વળી જે શ્રાવક, અન્યત્ર રમવા=અન્યત્ર આરંભવાળા છે, અત્ર= અહીં જિનપૂજા નિમિત્ત પુષ્પાદિમાં, ગારશ્મશનિ =આરંભની શંકાવાળા એવા, તી તેમને, વિવેoોલાર્થનાશતઃ=વિવેક અને ઔદાર્યનો નાશ થવાથી, પરમા કવયિરેવ=પરમ અબોધિ જ પ્રાપ્ત થાય છે. li૩૦ના. શ્લોકાર્ચ - વળી જે શ્રાવક અન્યત્ર આરંભવાળા છે, અહીં જિનપૂજા નિમિત્ત પુષ્પાદિમાં, આરંભની શંકાવાળા એવા તેમને વિવેક અને ઔદાર્યનો નાશ થવાથી પરમ અબોધિ જ પ્રાપ્ત થાય છે. II3ol. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170