Book Title: Jinbhakti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 147
________________ ૧૨૨ જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૨૭-૨૮ ભાવિમાં સંયમની પ્રાપ્તિ થાય નહિ. માટે ભગવાનની પૂજામાં થતા કાયવધરૂપ દોષ કરતાં અધિક દોષના નિવારણને અનુકૂળ એવો શુભ ભાવ પૂજાથી થતો હોવાને કારણે ભગવાનની પૂજામાં કાયવધાદિ હોવા છતાં દોષ નથી. ર૭ા અવતરણિકા : પૂર્વશ્લોકમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે પૂજાની પ્રવૃત્તિમાં જલાદિ જીવોનો કાયવધ હોવા છતાં પણ દોષ નથી; પરંતુ તેમ સ્વીકારવામાં સાધુને પણ પૂજા કરવાની આપત્તિ આવે, એ પ્રકારની શંકાનું ઉલ્માવત કરીને નિરાકરણ કરે છે – શ્લોક : यतिरप्यधिकारी स्यान्न चैवं तस्य सर्वथा । भावस्तवाधिरूढत्वादर्थाभावादमूदृशा ।।२८।। અન્વયાર્થઃ ચેવં આ રીતે=પૂર્વશ્લોકમાં સ્થાપન કર્યું કે ભગવાનની પૂજા અર્થે સ્નાનાદિ દુષ્ટ નથી એ રીતે, તિરપિસાધુ પણ, મારી ચા=અધિકારી થાય-પૂજાના અધિકારી થાય, ન=એમ ન કહેવું; કેમ કે તે તેમનું સાધુનું, સર્વથા માવાસ્તવાથરૂદ્ધત્વા=સર્વથા ભાવસ્તવઆરૂઢપણું છે. અહીં પ્રશ્ન થાય કે સાધુ સર્વથા ભાવતવઆરૂઢ છે, તેટલા માત્રથી તે પૂજાના અધિકારી નથી, તે કેમ નક્કી થાય? તેથી હેતુ કહે છે – અમૂા આવા પ્રકારની જિનપૂજાદિની પ્રવૃત્તિથી કમાવઅર્થનો અભાવ છે=પ્રયોજનની અસિદ્ધિ છે. ૨૮ શ્લોકાર્ધ : આ રીતે પૂર્વશ્લોકમાં સ્થાપન કર્યું કે ભગવાનની પૂજા અર્થે સ્નાનાદિ દુષ્ટ નથી એ રીતે, યતિ પણ સાધુ પણ અધિકારી થાય પૂજાના અધિકારી થાય, એમ ન કહેવું; કેમ કે તેમનું સાધુનું સર્વથા ભાવસ્તવમાં આરૂઢપણું છે. આવા પ્રકારની જિનપૂજાદિ પ્રવૃત્તિથી અર્થનો અભાવ છે સાધુના પ્રયોજનની અસિદ્ધિ છે. Il૨૮ll Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170