Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
બે જ સાધુના અભ્યાસ માટે માસીક બસે ત્રણસોને ખર્ચ જરાપણ ખટકતો નથી. કવચીત્ નામના ખાતર આવા શાસ્ત્રીઓને રામાનું ગ્રામના વિહારમાં સાથે રાખવામાં આવે છે. આવી પરિસ્થિતિના કારણેની ઉંડી સમીક્ષા કરતાં જણાશે કે એક-બીજા તરફની ઈર્ષા તેજે શ્રેષ, અહંભાવ આપવડાઈ અભિમાનવૃત્તિ વગેરે ઊંડા ઊંડા છુપાઈ રહેલા હોય છે.
સાદી-સરલ ભાષામાં લેક ભાગ્ય થઈ પડે તેવી પદ્ધતિથી, પારિભાષીક, ગુઢ રહસ્ય પૂર્ણ અને અર્થ ગંભીર શબ્દના વિવેચન પૂર્વકના શબ્દાર્થના ટીપણ સાથે જૈન ધર્મના સીદ્ધાંતે અને તેના ગહન ગ્રન્થોના ભાષાંતર ઘણી સસ્તી કીંમતે હઝારો જેન–જૈનેતર અભ્યાસીઓ લાભ લઈ શકે તે દષ્ટિએ પ્રસિદ્ધ કરવાની જરૂર છે. જૈન ધર્મને ઉદ્યોત અને પ્રચાર થાય છે. તેવા ખ્યાલથી. વાહ વાહ કહેવાય સસ્તી કીર્તિ ખાટી શકાય એ ગણતરીએ આંખો મીંચીને આપણે ઉદ્યાપને ઉત્સવો અને વડાઓ પાછી લાખ રૂપિયા બીન લાભ કારક રીતે (unproductively) આપણે ખર્ચે જઈએ છીએ પરંતુ તરતમનાએ અનેક રીતે લાભદાયક થઈ પડે તે ધરણે–સાચી દિશામાં ખર્ચ કરવાનું આપણને સુઝતું જ નથી. શાસ્ત્ર વિશારદ વિદ્વાન ઉપદેશકો રેકી તેમની મારફત દેશ-પરદેશમાં. દૂર દૂરના વિભાગોમાં જૈનધર્મને વિજય વાવટા ફરકાવી શકાય તેવા સમયને આપણે પુરેપુરો લાભ ઉઠાવી શકયા નથી.
વર્તમાન સમયની અનેક પ્રકારની વૈજ્ઞાનિક શોધોને પુરેપુરો લાભ લેવા માટે આપણે કટીબદ્ધ થવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com