Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
૫૩
મંડળના ભેખધારી-આજીવન સભ્ય માટે સેવાસદનની પણ વ્યવસ્થા કરવી પડશે. આવા સેવાસદનેની સ્થાપના અને ચાલુ નિભાવ ખર્ચ માટે સમયને અનુસરીને દાન પ્રવાહની દશા બદલાયેથી નાણું મેળવવાનું કાર્ય કંઈક સુલભ થઈ પડશે પરંતુ તેની વ્યવસ્થા માટેના કુશળ સેવાભાવી કાર્યકરે તેમજ જીવનભર સમાજ સેવાની વૃત્તિથી સંપૂર્ણ ધગશ અને તમન્ના પૂર્વક ઉત્સાહથી કામ કરનારા સમાજ સેવક–સેવાસદનના આજીવન સભ્ય તરીકે મેળવવાનું કાર્ય ઘણું જ મુશ્કેલ છે. સામાન્ય રીતે આપણે જૈન સમાજ મોટા ભાગે પિતાના વ્યાપાર ઉદ્યોગમાં જ રચ્યો પચ્યો રહે છે. વળી સંકુચીત મનેદશા પૂર્વકની કેવળ સ્વાર્થ નિષ્ઠ વક વૃત્તિની પ્રાધાન્યતા જણાય છે. વિશાળ ભાવના પૂર્વકની–વસુધૈવ કુટુમ્બકની મનોવૃત્તિવાળી ઉચ્ચ સેવાભાવની વૃત્તિ હજુ આપણામાં જોઈએ તેટલા મોટા પ્રમાણમાં જાગૃત થઈ નથી એટલે આપણું સેવા સદનમાં આ જીવન સભ્યની ભરતી થતાં કંઈક વિલંબ થાય એ બનવા જોગ છે છતાં પણ તેની સ્થાપના માટે આપણે જરા પણ ઢીલ કરવી જોઈએ નહીં. આ જીવન સભ્ય ઉપરાંત અમુક સમય માટેના (Periodical) સભ્યોની પણ જોગ. વાઈ કરવી કુટુમ્બીજને-જેમનો આવા સભ્યો ઉપરજ જીવન નિર્વાહને આધાર હોય તેવા સજજનો નોકરી કે ધંધે એકદમ છેડી દઈ આવા સેવાસદનોના સભ્ય બને તે તેમના કુટુમ્બી જનેના જીવનનિર્વાહ માટે શરૂઆત થીજ સેવાસદનના ટ્રસ્ટી અને પ્રયોજકોએ ગ્ય પ્રબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com