Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સીમંધર પ્રભુની વિનતિરૂપ સ્તવનને સારાંશ. ૧૩૩ એવી જ રીતે જીવાભિગમ સૂત્રમાં વિજયદેવ આશ્રી કહેલું છે. કેઈ કદાચ તર્ક કરે કે “એ તે દેવતાને કલ્પજ છે તે તેનું સમાધાન એ છે કે દે એમ પ્રભુની દ્રવ્યપૂજા કરીને પ્રભુના ગુણની સ્તુતિ કેમ કરે છે? ૧૦૧ 1 કપ સત્રમાં “સિદ્ધાર્થ રાજાએ અનેક પ્રકારના યાગ કરાવ્યા” એમ કહ્યું છે. તે જિનરાજની પૂજારૂપજ સમજવા એ કલ્યાણકારી છે. વળી આચારાંગ સૂત્રમાં “વીરપ્રભુના માતાપિતા શ્રી પાર્શ્વનાથના શાસનના શુદ્ધ શ્રાવક છે” એમ કહ્યું છે, તેથી તે શુદ્ધ શ્રાવક પ્રભુના જન્મમહોત્સવ નિમિત્તે પ્રભુપૂજારૂપ યાગજ કરે, પરંતુ બીજા હિંસામય યાગ કદાપિ કરે કરાવે નહિ જ. ૧૨-૧૦૩ એવી રીતે અનેક સૂત્રમાં પ્રભુપૂજા ગૃહસ્થોએ કરવા ગ્યજ છે એમ કહ્યું છે, છતાં તેસૂત્રની વાત જે દુર્મતિ જનો માનશે નહીં તે સંસારમાં ઘણે કાળ રઝળશે.૧૦૪ વળી કઈ કુતર્ક કરે છે કે “પ્રભુની પૂજા કરતાં શુભ પરિણામે પુણ્યબંધ તે થાય, પરંતુ વ્રત નિયમ કરતાં જેમ ધર્મપ્રાપ્તિ થાય તેમ પુષ્પાદિક પૂજા કરતાં આ રંભથી ધર્મપ્રાપ્તિ તે નજ થાય.” ૧૦૫ આ કુતર્ક કરનારે નિશ્ચયધર્મ જાજ નથી. નિશ્ચયધર્મ તે ચેદમાં ગુણ ઠાણાના અંતે અક્ષય અનંત સહજાનંદમાં સ્થિરતા રૂપ છે. તે તે ધર્મ (પુણ્ય) અને અધર્મ (પાપ) એ બંનેને અંત થયે છતે પ્રાપ્ત થાય છે. ત્યારેજ શાશ્વત શિવ સુખ પ્રાપ્ત થઈ શકે છે. ૧૦૬ નયવિવેક, નિશ્ચય ધર્મ પ્રાપ્ત કરવા ઉત્તરોત્તર જે જે કરણી સાધનભૂત થાય તે તે વ્યપરથી ધર્મજ કહેવાય. વ્યવડર અને કાર્ય કારણ એકરૂપ ગણાય. એ ન્યાયે પ્રભુપુજામાં પુણ્ય હોય પણ ધમ નજ હોય એમ કહેવું કેવળ અનુચિતજ ગણાય. માટે સાધ્ય દષ્ટિથી પ્રભુપૂજાદિ કરણી પણ ધર્મ રૂપજ લેખાય. ૧૦૭ એવભૂત નયના મતે તથા શુદ્ધ દ્રવ્યાર્થિક નયના અભિપ્રાય તે સ્વસ્વરૂપ રમશુતા તથા સ્વસ્વરૂપ આવીભાવ એજ ધર્મ છે અને તેથી વિરૂદ્ધ પરિણામ યા રાગદ્વેષાદિક વિલાસ તે ભાવકર્મ છે. ૧૦૮ શુદ્ધ ઉપયોગે વર્તતાં ધર્મ, અને શુભ કે અશુભ ઉપગે વર્તતાં અનુક્રમે પુણ્ય કે પાપ લાભે છે. નિરૂપાધિક ધર્મ પ્રગટ કરવા જે હેતુરૂપ સાધન તે જિનપૂજાદિક વ્યવહારધમ કહેવાય છે. ૧૦૯ જિનપૂજાદિક શુભ ગે પુણ્યાશ્રવ થાય પણ તેથી સ્વસ્વરૂપ ધર્મ ન હણાય. સાધ્યદષ્ટિથી પ્રભુપૂજાદિક શુભગ સેવતાં તે આત્મગુણ પ્રગટ થાય, તેથી સ્વ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36