________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવીન ઉદ્ભવ બતના લેખથી અપૂર્ણ નથી, પરંતુ કૂપમંડુક ન્યાયે આવી વાત કરવામાં આવે છે. એકવાર પિતાનું ઘર પુરેપુરૂં તપાસ કે તેમાં શી શી જાદ્ધિ ભરી છે પછી બીજાના ઘરની પ્રશંસા કરે. આવી મિથ્યા શબ્દરચનાવડે પોતાને જેનને પણ આગ્રહ નથી, તેમાં ઓછાશ હોય તો તે પણ કહી દે છે” એમ બતાવીને મધ્યસ્થ બનવા માગતા હોય તો તેમાં પણ મોટી ભૂલ થાય છે. કારણ કે એવાં વચને જૈનશાની ખામી સૂચવનાર છે. પોતાના ઘરની સ્થિતિથી અજ્ઞાત એવા ઘણા હાલના કહેવાતા વિદ્વાનો જેનશાસ્ત્રમાં અમુક નથી, અમુક નથી ઈત્યાદિ બોલવા મંડી જાય છે, પરંતુ તેમાં તેમની સોળે સોળ આની ભૂલ થાય છે. કારણ કે જેનશાસ્ત્ર કઈ પ્રકારે પણ અપૂર્ણ ન.
વળી વધારે મધ્યસ્થપણું બતાવવા માટે આનંદઘનજી મહારાજના અને ચિદાનદજી મહારાજના આધ્યાત્મિક પદ બલવા સાથે નરશીમહેતાને અને મીરાંબાઈના પદે બોલો છે, એટલું જ નહિ પણ એના જેવા અપ્રતિમ ભક્ત ૫૦૦ વર્ષમાં જેનમાં કઈ થયા નથી એમ કહે છે, તેટલાથી પણ નહિ અટકતાં સાંભળવા બેઠેલા ભોળા દિલના ભાઈ ભાઈઓને નરશી મહેતા જેવા અને મીરાંબાઈ જેવા થઈ જવા પ્રેરણ કરે છે–તીવ્ર ઈરછા બતાવે છે. અરે ભલા માણસો ! જેને બિચારાને શુદ્ધ દેવ, શુદ્ધ ગુરૂ કે શુદ્ધ ધર્મનું કિંચિત્ ભાન પણ નહોતું–રાગ દ્વેષ ને અજ્ઞાનાદિથી ભરેલાં દેવ ગુરૂ ધર્મને જેઓ દેવદિપણે માનતા હતા એવા પુરૂષ કે સ્ત્રી થઈ જવા માટે આ સ્થૂલભદ્ર જેવા મુનિ થવાને અથવા સુદર્શન શેઠ જેવા શ્રાવક થવાને ચગ્ય જેનબંધુઓને તેમજ સુલસા ચંદનબાળા જેવી મહાસતીઓ થવા ચગ્ય શ્રાવિકા આને કહેવું એના કરતાં વધારે કનિષ્ઠ બીજું શું ? એના કરતાં વધારે શ્રાપદાન શું? અલબત એ બેનું દ્રષ્ટાંત આપીને એમ કહ્યું હેય કે “જેવી એ બેની કૃષ્ણ પ્રત્યે અપ્રતિમ ભકિત હતી તેવી તમે વીતરાગ દેવ પ્રત્યે ભક્તિ ધરાવો કે જેથી તમારું કલ્યાણ થાય તે એ વાત ઘટમાન હતી, પણ ઉપમાને બદલે તદ્રુપ થઈ જવાનું કહેવું અને તે જ્યાં હોય ત્યાં તેને નમસ્કાર કરે પણ શ્રેણિક કૃષ્ણાદિક ભાવિ તીન ઈકને અથવા બીજા ઉત્તમ સતાસતીઓને જ્યાં હોય ત્યાં નમસ્કાર ન કરે એ કેટલી બધી ભૂલ? “વાસીદામાં સાંબેલું જાય' એ કહેવત આવી ભૂલમાં નહીં ઘટે તે બીજે કયાં ઘટશે?
વળી આવા નવા નવા ડેળ કરીને જિનશાસ્ત્રમાં બતાવેલા સાધુ શ્રાવકના માર્ગ ઉપરાંત કે નવાજ માર્ગને દેખાવ આપે, અને તેમાં ભેળા કહે કે અજ્ઞાન કહે તેવા શ્રાવક શ્રાવિકાઓને તેમજ કેટલાક હૃદય વિના કહેવાતા સાધુ કે - ષિઓને પણ ભેળવવા એ કેટલું બધું કર્મથી ભારે થઈ પડવા જેવું છે ! તેને પણ વિચાર કરો એગ્ય છે. પૂર્વ પુરૂષ અઘકારી પરત્વે ઉપદેશ આપવાની પ્રવૃત્તિ કરતા હતા કે જેથી કંઈનું પણ અહિત થતું હતું. આમાં તે એક લાકડીએ સર્વને હાંકવાથી બીચારા ભદ્રિક જીના હૃદયમાં ક્રિયામાર્ગની અરૂચિ ઉત્પન્ન કરે છે અને તેઓને અજ્ઞાન માર્ગમાં અથડાવે છે જેથી તેઓ અબ્રણ તતભ્રષ્ટ થાય છે. બે
For Private And Personal Use Only