Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 16
________________ નિવેદન જે પ્રાચીન સાહિોદ્ધાર ગ્રન્થાવલિના અગિયારમા પૂ૫ નરીકે “જૈન ચિત્રકલ્પલતા” નામની આ પુસ્તિકા જનતા સમક્ષ મૂકતાં મને અનહદ આનંદ થાય છે. - ઈ. સ. ૧૯૩૬માં મારા તરફથી જૈન ચિત્રકલ્પમ’ નામના જે બ્રહદ્ ગ્રંથનું પ્રકાશ કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાતની ગ્રંથસ્થ જૈનાશ્રિત કળાને બની શકતો વિસ્તૃત અને વિપુલ પરિચય આપવાને મેં પ્રયત્ન કર્યો હતો. એ પ્રયત્નને જાહેર જનતા તરફથી કેટલા ઉત્સાહપૂર્વક વધાવી લેવામાં આવ્યો હતો, તેની સાબિતી તો એ જ હકીકત બતાવી આપે છે કે મેથી કીમત હોવા છતાં પ્રસ્તુત ગ્રંથની ભાત્ર ગણીગાંઠી નકલો જ સિલિમાં આજે મારી પાસે છે. એ ગ્રંથની કીમત પચીસ રૂપિયા હોવાથી સામાન્ય વર્ગ તેનો લાભ લેવાથી મોટા ભાગે વંચિત રહ્યાની મારા મિત્રો દ્વારા મને જાણ થઈ, અને તેથી પ્રસ્તુત ગ્રંથનાં સઘળાં જ રંગીન ચિત્રો તથા ઘોડાં ચૂંટી કાઢેલાં એકરંગી ચિત્રો, તેમજ મુખ્ય લેખોમાંથી તારવી કાઢેલા અગત્યના ભાગનો રસથાળ બનાવી આ જૈન ચિત્રકપલના નામની પુસ્તિકા જાહેરમાં મૂકવા હું પ્રેરાયો છું. ઈચ્છું છું કે મારી દરેકે દરેક સાહિત્યપ્રવૃત્તિને જેવી રીતે જનતાએ અપનાવી છે તેવી જ રીતે આ પ્રવૃત્તિને પણ અપનાવશે. આ ગ્રંથમાં આપવામાં આવેલાં તીર્થકરો તથા દેવદેવીઓનાં ચિત્રોનો ઉપયોગ લેબલો, પિસ્ટર અગર સીનેમા-રલાઈડ માટે કરીને જે કોમની ધાર્મિક લાગણી નહિ દુખાવવા વાચકને વિનતિ છે. સારાભાઈ મણિલાલ નવાબ અષાઢ સુદ ૫ ૧૯૯૬ જ, પારસીની ચાલ - સાબરમતી

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92