________________
જૈન ચિત્ર-કલ્પલતા બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદા ને જાલંધરની છે, તેની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. આષાઢ સુદ ૬ ના દિવસની મધ્યરાત્રિના સમયે અને ઉત્તરાફાલ્વની નક્ષત્રને ચંદ્રનો યોગ થયો હો તે વખતે પ્રભુ દિવ્ય આહાર, દિવ્ય ભવ અને દિવ્ય શરીરને ત્યાગ કરી ગભમાં આવ્યા.
ચિત્રમાં પબાસન ઉપર પ્રભુ મહાવીરની મૂર્તિ બિરાજમાન કરેલી છે. આજે જેવી રીતે જિનમંદિરમાં મૂર્તિને આપણોથી શણગારવામાં આવે છે તેવી જ રીતે ચિત્રમાં પણ મૂર્તિને માથે મુકુટ, બે કાનમાં કુંડલ, ગરદનમાં કઠ, હૃદય ઉપર મોતીને અગર હીરાનો હાર, બંને હાથની કાણીના ઉપરના ભાગમાં બાજુબંધ અને બને કડાં ઉપર બે કડાં છે; હાથની હથેળીઓ પલાં ઉપર મૂકીને ભેગી કરી છે. અને તેના ઉપર સેનાનું શ્રીફળ વગેરે ચીતરવામાં આવ્યું છે; મૂર્તિ 'પદ્માસને બિરાજમાને છે; મૂર્તિની આજુબાજુ પરિકર છે.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે તમારે તીર્થકરનું ચવન થાય છે ત્યારે શરીરની કોઈપણ જાતની આકૃતિ તો હતી નથી અને તીર્થંકર નામ કર્મને ઉદય તો તેઓએ શ્રમણપણે અંગીકાર કર્યા પછી કેવલ્યજ્ઞાનની પ્રાપ્ત થયા પછી સત્તામાં આવે છે, તે તેના વ્યવનને પ્રસંગ દર્શાવવા તેઓની મૂર્તિ મૂકવાનું કારણ શું?
જૈન સંપ્રદાયના અનુયાયીઓ દરેક તીર્થકરમાં પાંચે કલ્યાણકે એક સરખા જ મહત્વનાં માને છે. પછી તે યવન, જન્મ, દીક્ષા, કેવલ્ય કે નિર્વાણ હાલેઃ અને તે સઘળાં ચે સરખા જ પવિત્ર હોવાથી ગુજરાતના પ્રાચીન ચિત્રકારોએ પાંચે કલ્યાણક દર્શાવવા માટે જુદી જુદી કલ્પના કરી અમુક પ્રકારની આકૃતિઓ નકકી કરેલી હોય એમ લાગે છે, કારણકે જેવી રીતે આપણને અહીં યવન કલ્યાણક ચિત્રપ્રસંગમાં પ્રશ્ન ઉદભવે છે. તે જ રીતે નિવાણ કલ્યાણકના ચિત્રપ્રસંગમાં પણ ઉદ્ભવવાનો જ, કેમકે પ્રભુ નિર્વાણ પામ્યા પછી તેઓને શરીર કે આકૃતિ વગેરે કાંઇ હોતું નથી. હવે આપણે પાંચે કલ્યાણકામાં પ્રાચીન ચિત્રકારોએ કઇકઈ કપનાકૃતિઓ નક્કી કરેલી છે તે સંબંધી વિચાર કરી લઈએ એટલે આગળના આ પાંચે પ્રસંગોને લગતાં ચિત્રોમાં શંકા ઉદ્ભવવાનું કારણ ઉપસ્થિત થાય જ નહિ.
૧ ચ્યવન કલ્યાણક—આ પ્રસંગ દર્શાવવા માટે પ્રાચીન ચિત્રકારો હમેશાં જે જે તીર્થકરના ચવા કલ્યાણકનો પ્રસંગ હોય તેના લંડન સહિત અને કેટલાંક ચિંતામાં તો તેઓને શરીરનો વર્ણ સહિત તે તે તીર્થંકરની મૂર્તિની પરિકર સહિત રજુઆત કરે છે. (જુઓ ચિત્ર ૯).
ર જન્મ કલ્યાણક–આ પ્રસંગ માટે જે તે તીર્થકરના જન્મ કલ્યાણક પ્રસંગ દર્શાવવા હોય તે તે તીર્થકરની માતા અને એક નાના બાળકની રજુઆત કરે છે. (જૂઓ ચિત્ર ૧૧).
૩ દીક્ષા કલ્યાણક–જે જે તીર્થકરના દીક્ષા કલ્યાણકને પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીર્થકરોની, ઝાડ નીચે બેસી એક હાથથી એટલીને પંચમુષ્ટિ કેચ કરતી આ કનિન અને પાસે એ હાથ પહોળા કરીને કેશને ગ્રહણ કરતા ઇન્દ્રની રજુઆત ચિત્રમાં તેઓ કરે છે. (જુઓ ચિત્ર ૨૮).
૪ કેવલ્ય કલ્યાણક–જે જે તીર્થકરના કૈવલ્ય કલ્યાણ નો પ્રસંગ દર્શાવવાને તેના આશય હોય તે તે તીર્થકરના સમવસરણની રજુઆત તેઓ કરે છે. (જુઓ ચિત્ર ૧૩).
૫ નિર્વાણ કલ્યાણક --- જે તીર્થકરના નિર્વાણ કલ્યાણક પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીર્થકરને શરીરના વર્ણ તથા લંછન સાથે તેઓની પદ્માસનાની બેઠકો વાળેલી પલાંઠી નીચે સિદ્ધશીલાની (બીજને ચંદ્રમાના આકાર જે {) આકૃતિની તથા બંને બાજુમાં એક ઝાડની રજુઆત પ્રાચીન ચિત્રકારે કરતા દેખાય છે. (જીએ ચિત્ર ૧૨).