Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ કરાવા જોઈએ અને તેમને વર્ગવાસ વિ. સં. 174 માં થયો એટલે તેમનું આયુષ લગસગ છ લસણું કહી શકાય છે. ઉ૦ યશોવિજયજી શ્રીવિજયહીરસૂરીશ્વરના શિષ્ય મહોપાધ્યાય કલ્યાણવિજયજીના શિષ્ય પંડિત લાભવિજયજીના શિષ્ય પંડિત જિતવિજયના શરૂઝાતા પંડિત નયવિજયજીના શિષ્ય થાય. તેઓ પ્રખર તાર્કિક, શાહરણ તથા સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના મહાન વિદ્વાન હતા. તેમણે તર્ક, આગમ, અધ્યાત્મ, ગ, સાહિત્ય ઈત્યાદિ વિષયે સંબન્ધી સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં કિડે ગ્રન્થની રચના કરી છે, એટલું જ નહિ પણ ગુજરાતી ભાષામાં પણ દ્રવ્યગુણપર્યાયને રાસ વગેરે શાસ્ત્રીય મહાન ગ્રન્થની રચના કરી છે. તેમણે જ હરરાજ દેવરાજના પત્રમાં લખ્યું છે કે “સ્વાદુવાદ પદ્ધતિથી બૌદ્ધાદિની એકાન્તયુક્તિનું ખંડન કરી બે લાખ શ્લોક પ્રમાણ ન્યાયગ્રન્થની રચના કરી છે.” તેમાંના ઘણુ ગ્રન્થ અત્યારે મળતા નથી. કાશીમાં રહીને જે સો ગ્રન્થ રચ્યા તેને તે આજે પત્તો મળતો નથી, તે સિવાય બીજા 'રહસ્યપદાંકિત એક સે આઠ ત્ર કરવાને તેમનો વિચાર હતું. તેમાં પ્રમારહસ્ય અને સ્યાદ્વાદરહસ્યની રચના કર્યાને ઉલ્લેખ તે તેમણે ભાષા રહસ્યના અવતરણમાં કરેલ છે. તેમાં પ્રમારહસ્ય અને સ્વાદુવાદરહસ્ય તે મળતા નથી, માત્ર ભાષારહસ્ય, ઉપદેશરહસ્ય અને નયરહસ્ય એ ત્રણ ગ્રન્થ મળે છે. તે એક 1 "ततो भाषाविशुद्धयर्थं रहस्यपदाङ्किततया चिकोर्षिताष्टोत्तरशतग्रन्थान्तर्गतप्रमारहस्यस्याद्वादरहस्यसजातीयं प्रकरणमिदमारभ्यते // "