________________
૧0
ભગવતીસૂત્ર, આવશ્યકનિર્યુક્તિ, સન્મતિ પ્રકરણ, ષોડશકપ્રકરણ, પંચવસ્તુક પ્રકરણ, ભવભાવના પ્રકરણ, અષ્ટકપ્રકરણ, ઉપદેશમાલા આદિ ગ્રંથોના સંદર્ભે ટાંકીને પ્રસ્તુત અષ્ટકની ટીકાને અતિ સમૃદ્ધ બનાવી છે.
ગ્રંથકારશ્રીની પ્રશસ્તિ “શિખર પર કળશ ને કળશ પર ધજા' - આ ઉક્તિની યાદ અપાવ્યા વિના રહેતી નથી.
આલંબન ઉત્કૃષ્ટ છે પણ તેનાં રહસ્યો અને તાત્પર્યોને પામવા માટે બુદ્ધિ પણ ઉત્કૃષ્ટ જોઈએ ને? નહીં તો પેલા સરદારજી જેવી દશા થાય.
પ્રસ્તુત ગ્રન્થ ઉપર સરળ ગુજરાતી વિવેચનની એક અનિવાર્ય આવશ્યકતા હતી, વિદ્વર્ય શ્રી ધીરૂભાઈએ આ આવશ્યકતાની પૂર્તિ કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે જે આજે પૂર્ણતાને પામ્યો છે એ અત્યન્ત આનંદનીય છે.
વિષયની ગંભીરતા, મૂળ ગ્રન્થની ઘણી અશુદ્ધિ, નયોની જટિલ પ્રરૂપણા, આવાં અનેક પાસાઓ જોતાં આ ગ્રન્થનું ગુજરાતી વિવેચન લખવું એમાં પણ સરળ શૈલિને જાળવી રાખવી, એમાં પણ ગાથાર્થ અને વિશેષાર્થ દ્વારા અર્થને મહત્તમ વ્યાસ આપવો... આ બધું ખરેખર એક પડકાર રૂપ હતું, આમ છતાં
સરે દિપીટ્યો, પ્રસાદ શૂરાશ સરે ' એ ન્યાયથી શ્રી ધીરૂભાઈએ આ પડકારને ઝીલી લીધો. એટલું જ નહીં બલ્બ ખુબ સારી રીતે આ કાર્યને પાર પાડવા પ્રયત્ન કર્યો એ બદલ તેમને શતશઃ ધન્યવાદ ઘટે છે.
વિષમસ્થાનોની સમજૂતિ તથા સંશોધનનો લાભ આપી તેમણે મને આનંદનીય સ્વાધ્યાયની તક આપી છે તે બદલ હું તેમનો આભારી છું. આ વિકટ કાર્યમાં મારાથી કોઈ ક્ષતિ રહી હોય - જિનાજ્ઞા વિરુદ્ધ નિરૂપણ થયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
જ્ઞાનસાર અને જ્ઞાનમંજરીનું આ નજરાણું સૌને કેવલજ્ઞાનનું નિમિત્ત બને એ જ શુભાભિલાષા સાથે વિરમું છું.
Buybill
Watu walimu
કારતક વદ-૬, વિ.સં. ૨૦૬૭, સૂરિ પ્રેમ ૧૧૧ મો દીક્ષાદિન, શ્રી અઠવાલાઈન્સ જૈન સંઘ,
સુરત
પ્રાચીન આગમોદ્ધારક પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી
મહારાજાના શિષ્ય આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ