________________
(૨૬) અનુભવાષ્ટક - સૂર્યોદયની પૂર્વે જેમ અરુણોદય થાય છે, તેમ કેવળજ્ઞાનની પૂર્વે અનુભવ થાય છે. અનુભવની વ્યાખ્યા ટીકાકારશ્રીના શબ્દોમાં જોઈએ - મથ્થાનૈઋત્વીનરૂપ: 1 વિશદ અધ્યાત્મના આકાશમાં ઉડ્ડયન કરવા માટે પ્રસ્તુત અષ્ટક વિશેષ ઉપયોગી છે.
(૨૦) યોગાષ્ટક :- જે મોક્ષ સાથે જોડાણ કરી આપે તેનું નામ યોગ. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજા કૃત યોગવિંશિકાના સારને પ્રસ્તુત અષ્ટકમાં બહુ કુશળતાથી ગુંથી લેવાયો છે.
(૨૮) નિયાગાષ્ટક - ઉત્તરાધ્યયન સૂત્રના બારમા અધ્યયનમાં ભાવનિયાગ = ભાવયજ્ઞનું સુંદર શબ્દચિત્ર રજુ થયું છે. આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે કે સાધુ તો ભાવયજ્ઞમાં પરાયણ હોય. ભાવયજ્ઞનું સ્વરૂપ શું છે ? શી રીતે તેમાં પરાયણ થઈ શકાય ? એ પ્રસ્તુત અષ્ટકમાં વર્ણવ્યું છે.
(૨૯) ભાવપૂજાન્ટક :- ટીકાકારશ્રીએ ભાવપૂજાનો અભુત અર્થ કર્યો છે - ભાવપૂજા = સ્વરૂપસાધના. ભાવપૂજામાં દયારૂપી પાણીથી સ્નાન કરવાનું છે, સંતોષરૂપી શુભ વસ્ત્રો ધારણ કરવાનો છે... ઈત્યાદિ સુંદર રૂપક દ્વારા ગ્રંથકારશ્રીએ ભાવપૂજાનું સ્વરૂપ જણાવ્યું છે.
(૩૦) ધ્યાનાષ્ટક :- ધ્યાન એ કેવળજ્ઞાનનું અનંતર સાધન છે. માટે આગમાદિ ગ્રંથોમાં તેનું ખૂબ મહાભ્ય વર્ણવ્યું છે. પ્રસ્તુત અષ્ટકમાં ધ્યાનના સ્વરૂપ આદિનો નિર્દેશ કર્યો છે. ધ્યાનકર્તાના વિશેષણોનો ઉપન્યાસ કરતાં ગ્રંથકારશ્રીએ એક વિશેષણ કહ્યું છે – પ્રશાન્તી 1 ટીકાકારશ્રી આ સ્થાને લખે છે - પ્રાન્ત પવીત્માનમાવતિ આત્મગુણોની અનુભૂતિ કરવાનો એક જ ઉપાય છે કે તમે પ્રશાન્ત બની જાઓ. આવી એકાદ પંક્તિ જ ટીકાકારશ્રીની લોકોત્તર પ્રતિભા અને અનુભવજ્ઞાનની પરિચાયિકા બની જાય છે.
(૩૧) તપ અષ્ટક - જે કર્મોને તપાવીને ભસ્મીભૂત કરી દે તેનું નામ તપ. તપનું સ્વરૂપ, બાહ્ય-અભ્યતર તપની ઉપાદેયતા, જ્ઞાનયોગ, તપસૌર્ય, તપની આનંદરૂપતા, દુઃખાત્મક તપોવાદનિરાકરણ, શુદ્ધતપલક્ષણ, તપનો ઉપદેશ, આવા ગંભીર વિષયોને પ્રસ્તુત અષ્ટકમાં રસાળ શૈલિથી વણી લેવાયા છે.
(૩૨) સર્વનયાશ્રયણ અષ્ટક - એકાન્તગ્રહ એ જ મિથ્યાત્વ છે. સર્વત્ર સાપેક્ષતા સમ્યગ્દર્શન છે. માટે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે સર્વનયાશ્રયણ આવશ્યક છે. ગ્રંથકારશ્રીએ તો “ચારિત્રી સર્વનયાશ્રિત થાય' - એમ કહેવા દ્વારા આચારાંગસૂત્રના – પં સર્પ નિ પાસણી તે મોri તિ પાસે - આ સૂત્રના તાત્પર્યને પણ સાથે સાથે જ ગુંથી લીધું છે. ટીકાકારશ્રીએ