Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 232
________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૩ ૨૧૩ મનમાંહિં ધારિઇ. તિહાં - જે કાંઈ ખોટું જાણઇ, તે ચિત્તમાંહિ ન ધરઇ, પણિ શબ્દ ફેર માત્ર શ્વેષ ન કરવો, અર્થ જ પ્રમાણ છd. || ૬-૧,૨ | સાદિ નિત્ય પર્યાય અરથો, જિમ સિદ્ધનો મજ્જાઉ રે | ગહઈ શુદ્ધ અનિત્ય સત્તા, ગૌણ વ્યય ઉપ્પાઉ રે / બહુo || ૬-૩ ||. કોઈ પ્રસિદ્ધ મહત્ત્વનો મતભેદ નથી... ઉપરથી અન્ય દર્શન સમક્ષ, તેઓ પણ આપણી જેમ જ સ્વાવાદ વગેરેની પ્રતિષ્ઠા માટે પ્રયતશીલ છે.. એ બાબતમાં જાણી બૂઝીને તેઓએ - અભિનિવેશપૂર્વક ગલત નિરૂપણ કર્યું હોય એવું માનવાની કોઈ જ જરૂર નથી... પોતાને સંપ્રદાયદ્વારા જે મળ્યું હોય ને પોતાની બુદ્ધિ-પ્રતિભા વગેરે દ્વારા, શાસ્ત્રવચનોથી જે સ્ફરે... એને વફાદાર રહીને જ એમણે નિરૂપણ કર્યું હોય એવું માનવામાં કશો વાંધો આપણને હોવો જોઈએ નહીં...ને તેથી જ એમના દાર્શનિક ગ્રંથો અને આપણા દાર્શનિકગ્રંથો એમનું વિપુલ કર્મસાહિત્ય અને આપણું વિપુલ કર્મસાહિત્ય.. આ બધામાં અમુક બાબતોને છોડીને બાકીનું બહુ મોટાભાગનું નિરૂપણ લગભગ એકસમાન આપણને પણ માન્ય હોય એવું જ આવે છે. ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથમાં નયચક્રના આ અધિકારને જે વિસ્તારથી સ્થાન આપ્યું છે ને જે રીતે નિરૂપણ કર્યું છે... “શબ્દફેર હોવા માત્રથી દ્વેષ ધરવો નહીં વગેરે સૂચન જે કર્યા છે એ બધા પરથી પણ આ સૂચન મળે છે કે દિગંબરે સાતના નવ નય કર્યા.. વગેરે વાતો જ ગ્રંથકારને મુખ્યતયા ખટકે છે... બાકી મોટા ભાગના નિરૂપણ સામે બહુ વાંધો નથી... (નહીંતર તો ગ્રંથકારે દ્રવ્યાર્થિકના ને પછી પર્યાયાર્થિકના એક - એક પ્રકારના નિરૂપણની સાથે સાથે જ એ બધાનું ખંડન પણ કર્યું હોત. માત્ર છેલ્લે જ અમુક દૂષણપ્રદર્શન જે કર્યું છે-એ રીતે ન કર્યું હોત. તથા આ જ ઢાળની દસમી ગાથામાં તૈયાયિકનું ખંડન કરી, દિગંબરમાન્ય વર્તમાનારોપનૈગમનું સમર્થન “તે માર્ટેિ એ વર્તમાનારોપ નૈગમ ભેદ જ ભલો જાણવો...' વગેરે પંક્તિ દ્વારા જે કર્યું છે, તે કર્યું ન હોત.) સહૃદયતાપૂર્વક પૂર્વાપર વિચાર કરનારને આ પ્રતીત થયા વિના નહીં રહે. એટલે નક્કી થયું કે શબ્દર માત્ર જોઈને દિગંબરના નિરૂપણનું ખંડન ન કરવું. કારણ કે છેવટે, શબ્દ નહીં પણ અર્થ જ પ્રમાણ છે. એટલે કે શબ્દ કદાચ ક્યાંક જુદો હોય તો પણ એટલા માત્રથી અર્થ કાંઈ જુદો થઈ જતો નથી કે જેથી એ વાસ્તવિકતાથી અલગ પ્રકારનો થઈ જવાથી ગલત બની જાય. આપણે ઘડાને વૃત્તાકાર કહીએ અને બીજો કોઈ એને ગોળાકાર કહે તો એટલા માત્રથી કાંઈ એને જુકો ન કહી દેવાનો હોય, કારણ કે અર્થ તો સમાન જ છે. ૭૪-૭૫ || ગાથાર્થ - પર્યાયાર્થિકનયનો બીજો ભેદ છે સાદિ નિત્ય પર્યાયાર્થિકનય. જેમ કે સિદ્ધનો પર્યાય... અને સત્તાને ગૌણ કરીને ઉત્પાદ-વ્યયને ગ્રહણ કરે એ ત્રીજો અનિત્યશુદ્ધ પર્યાયાર્થિકાય છે. તે ૬-૩ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320