Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 289
________________ ૨૭૦ ઢાળ-૮ : ગાથા-૧૪ ઇમ અંતર્ભાવિતતણો રે, કિમ અલગો ઉપદેશ । પાંચ થકી જિમ સાતમાં રે, વિષયભેદ નહીં લેશ રે || પ્રાણી૦ | ૮-૧૪॥ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો : ઇમ, અંતર્ભાવિત કહતાં-૭ માંહિ મેલ્યા, જે દ્રવ્યાર્થિક પર્યાયર્થિક, તેહનો અલગો ઉપદેશ કિમ કરીઓ ? જો ઇમ કહસ્યો - “મતાંતરઇ-૫ નય કહિઇ છઇ, તેહમાં ૨ નય ભલ્યા, તેહનો ૭ નય કરતાં જિમ અલગો ઉપદેશ છઇ, તિમ અહ્મારઇ દ્રવ્યાર્થિકપર્યાયાર્થિકનો અળગો ઉપદેશ હુસ્યઇ” તો શબ્દ, સમભિરૂઢ, એવંભૂતનઇ જિમ વિષયભેદ આત્મા' આવો અર્થ કરીને આત્મદ્રવ્યને જ દ્રવ્યાવશ્યકરૂપ માને છે માટે એમના મતે ૠજુસૂત્ર દ્રવ્યાર્થિક બની જશે. જ્યારે તર્કવાદી એ શબ્દના અર્થ તરીકે ‘અનુપયુક્ત અવસ્થા' પકડતો હોવાથી દ્રવ્યાવશ્યકને પર્યાયરૂપ માને છે. માટે એમના મતે ૠજુસૂત્રનય પર્યાયાર્થિક બની જશે. આ રીતે તાર્કિક મતે પણ આ સૂત્રની સંગતિ કરવી... પણ સૂત્ર વિરોધ ન સમજવો... એમ અમે (ગ્રન્થકારે) વિચારી કાઢેલો સમાધાન માર્ગ છે. આમ, એક મતે ૪માં દ્રવ્યાર્થિકનો ને ૩ માં પર્યાયાર્થિકનો અન્તર્ભાવ થાય છે, બીજા મતે ૩ માં દ્રવ્યાર્થિકનો ને ૪ માં પર્યાયાર્થિકનો અન્તર્ભાવ થાય છે. પણ કુલ ૭ નયમાં બન્નેનો સમાવેશ થઈ જ જાય છે, તે બેને અલગા કરીને ૯ નય કહેવા એ યોગ્ય નથી. ॥ ૧૨૦-૧૨૧|| ગાથાર્થ આમ અંતર્ભાવ પામી જતા નયોનો અલગ ઉપદેશ (= કથન) કેમ કરાય ? પાંચ નયમાંથી ૭ નય કરવામાં જેમ વિષયભેદ છે એવો અહીં તો છે નહીં... || ૮-૧૪|| વિવેચન : ઇમ અંતર્ભાવિત... આમ, નૈગમ વગેરે ૭ નયમાં જે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય ભળી જાય છે એને અલગ પાડીને શી રીતે કહેવાય ? દિગંબર : જેમ ‘મતાંતરે પાંચ નય કહેવાય છે. અર્થાત્ નય પાંચ નયમાં ભળી જ ગયેલા છે ને છતાં એ બે નયને અલગ પાડીને મતાંતરે ૫ + ૨ જ છે ને. તો એવી રીતે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકને પણ અલગ પાડીને ૭ માટે ન કહેવાય ? ૭ નય પણ કહેવાય + ૨ = ૯ નય શા ગ્રન્થકાર : શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતને જેમ વિષયભેદ છે તેમ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનો ૭ નયથી ભિન્ન વિષય દેખાડો... મતાંતરે પાંચ નય જે કહ્યા છે તે તો ત્રણ નયોનો એક સંજ્ઞાથી = નામથી સંગ્રહ કરીને પાંચ નય કહ્યા છે... પણ વિષય તો ત્રણેનો ભિન્ન જ છે. અહીં વિષય ભિન્ન નથી. આશય એ છે કે પ્રથમ ચાર નય તો બન્ને મતે (૭ નયમતે અને ૫ નયમતે) સમાન જ છે. છેલ્લા ત્રણ નય માટે મતાંતર છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણે નયનો વિષય અલગ-અલગ જ છે... અને તેથી એ ત્રણે સ્વતંત્ર હોવાથી એના ત્રણ અલગ-અલગ નય કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320