Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 292
________________ ૨૭૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૫ સંગ્રહ નઈ વ્યવહારથી રે, મૈગમ કિહાંઇક ભિન્ન .. તિણ તે અલગો તેહથી રે, એ તો દોઇ અભિન્ન રે ! પ્રાણી, I૮-૧૫ | ટબો: “જો” વિષયભેદઈ નયભેદ કહસ્યો “તો સામાન્ય નૈગમ સંગ્રહમાં, વિશેષતૈગમ વ્યવહારનયમાં ભેલતાં ૬ જ નય થઈ જામ્યU” એહવી શિષ્યની શંકા ટાલવાનાં અર્થિ કહઈ છ0 યદ્યપિ સંગ્રહનય- વ્યવહારનયમાંહિં જ સામાન્ય વિશેષ ચર્ચાઈ નૈગમનય ભલઈ છઇ, તો પણિ કિહાંઈક પ્રદેશાદિ દૃષ્ટાન્તસ્થાનાં ભિન થાઈ છઇ. छण्हं तह पंचण्हं, पंचविहो तह य होइ भयणिज्जो । तम्मि य सो य पएसो, सो चेव ण चेव सत्तण्हं ।। इत्यादि ।। તે માર્ટિ-કિહાંઈક ભિન્ન વિષયપણાથી નૈગમન ભિન્ન કહિએ, એ તો ૨ નય દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નૈગમાદિકનયથી અભિન્ન વિષય છઇ, તો તે અલગા કરિનાં નવ ભેદ નયના કિમ કહિએ ? | ૮-૧૫ . સમાધાન : જો આ રીતે ગોબલીવદંન્યાયે વિષયભેદ કરી ભિન્ન ભિન્ન નય કહેવાના હોય તો વચ્ચેવ – નાયૅવ વગેરે સપ્તભંગીમાં નયની પ્રક્રિયા પડી ભાંગશે. આશય એ છે કે સ્વદ્રવ્યગ્રાહકનય જુદો... એના કરતાં પરદ્રવ્ય એ ભિન્ન વિષય હોવાથી એનો ગ્રાહકનય જુદો... વળી સ્વક્ષેત્ર એ પણ ભિન્ન વિષય હોવાથી એ નય પણ જુદો.. આમ પરક્ષેત્રાદિના ગ્રાહક નય જુદા. આમ ઢગલાબંધ નય થશે. એમ, દ્રવ્યાદિ તરીકે વ્યાપ્ય-વ્યાપક દ્રવ્યાદિ લેવામાં આવે તો સ્વ-પરદ્રવ્ય બદલાવાથી નયભેદ થઈ જશે. એમાં વળી ક્યારેક સ્વદ્રવ્યાદિને અર્પિત કરવાના... ક્યારેક પરદ્રવ્યાદિને.. એટલે સત્તાસત્ત્વ ગ્રાહક નય કોટિ પ્રકારે મળવાથી સાતનયની કે સાત ભંગની પ્રક્રિયા જ શી રીતે ઊભી રહે ? એ પંડિતે વિચારવું. માટે ગોબલીવદંન્યાયે વિષયભેદ કરી નયભેદ કહેવા એ પણ ઉચિત નથી. | ૧૨૨ | ગાથાર્થ : સંગ્રહ અને વ્યવહારનયથી નૈગમનય ક્યાંક ભિન્ન છે. તેથી તેનો અલગભેદ કરવામાં આવ્યો છે. પણ એ બે તો અભિન્ન છે = ક્યાંય ભિન્ન નથી. (માટે અલગભેદ કરવા યોગ્ય નથી.) | ૮-૧૫ II | વિવેચન : અહીં શિષ્ય શંકા કરી રહ્યો છે કે – તમારા કહેવાનો સાર એ છે કે જો ખરેખર વિષયભેદ થતો હોય તો નયભેદ કરી શકાય. પણ જો વિષયભેદ ન હોય તો નયભેદ કરી શકાય નહીં. પણ જો આ જ સાર છે તો નૈગમનયને પણ અલગ કહેવો ન જોઈએ, કારણ કે જે સામાન્યગ્રાહી નૈગમ છે તેનો સંગ્રહમાં સમાવેશ થઈ જાય છે અને જે વિશેષગ્રાહી નૈગમનાય છે એનો વ્યવહારમાં સમાવેશ થઈ જાય છે. આ બે સિવાય નૈગમનો ભિન્ન કોઈ વિષય છે નહીં. માટે, નૈગમનો પણ જુદો ઉલ્લેખ કરવો ન જોઈએ. ને તેથી ૬ જ નય કહેવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320