Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૨-૧૩
૨૬૯ પર્યાયનય કહતાં એ સૂત્ર કિમ મિલઈ ? તે માટd - “ક્ષણિક દ્રવ્યવાદી સૂક્ષ્મ ઋજુસૂત્ર, તત્તવર્તમાનપર્યાયાપન્નદ્રવ્યવાદી સ્થૂલ ઋજુસૂત્રનય કહવો” ઇમ સિદ્ધાન્તવાદી કહઈ છઈ.
अनुपयोगद्रव्यांशमेव सूत्रपरिभाषितमादायोक्तसूत्रं तार्किकमतेनोपपादनीयम्, इत्यस्मदेकપરિણીતિ: પન્ચા: ૫ ૮-૧૩ ૫
જુસૂત્રનય દ્રવ્યાવશ્યકને માને છે એવું જણાવનાર આ સૂત્રની સંગતિ શી રીતે થાય ? અર્થાત્ ન જ થાય. માટે જુસૂત્રના પર્યાયનય નથી, પણ દ્રવ્યનય છે, એમ સિદ્ધાન્તવાદી કહે છે.
શંકા : પણ ઋજુસૂત્ર જો માત્ર વર્તમાનગ્રાહી છે, તો એ દ્રવ્યાર્થિક શી રીતે સંભવે ?
સમાધાન : ઋજુસૂત્રના બે ભેદ છે. સૂક્ષ્મ અને સ્કૂલ.... ક્ષણિક દ્રવ્યવાદી = તત્તત્પણભાવી પર્યાયાપન દ્રવ્યવાદી ઋજુસૂત્ર એ સૂક્ષ્મઋજુસૂત્ર છે અને જે વર્તમાન પર્યાય દીર્ઘકાલીન હોય એવા તે તે વર્તમાન પર્યાયરૂપ બનેલા દ્રવ્યને માનનારો ઋજુસૂત્ર એ સ્થૂલઋજુસૂત્ર છે. એટલે આ રીતે દ્રવ્યને જ મુખ્ય તરીકે જોનાર ઋજુસૂત્ર માનવામાં કોઈ તકલીફ નથી. અને તેથી આ સૂત્રને અનુસરવા માટે ઋજુસૂત્રને દ્રવ્યાર્થિક માનવો આવશ્યક છે. આમ સિદ્ધાન્તવાદી કહે છે.
શંકા : પણ તો પછી તર્કવાદીઓના મતે તો આ સૂત્ર અસંગત જ રહેશે ને ?
સમાધાન : ગ્રન્થકાર ઉપાધ્યાયજી મહારાજ એ સંગતિ કરી દેખાડે છે. મનુપાવ્યાંશનેવ... ઇત્યાદિ. આશય એ છે કે આપણા શાસ્ત્રોમાં – સૂત્રોમાં દ્રવ્ય-નિક્ષેપને બે રીતે જણાવેલ છે. (૧) ભૂતકાલીન કે ભાવીકાલીન ભાવનિક્ષેપરૂપ બનનાર જે અવસ્થાવિશેષ.. ( પર્યાય) એના કારણભૂત જે હોય તે દ્રવ્યનિક્ષેપ.... જેમકે સાધુભગવંત કાળ કરીને દેવ બનવાના છે તો હાલ એમને દ્રવ્યદેવ કહેવાય છે. જેમ છદ્મસ્થાવસ્થામાં રહેલા તીર્થકર ભગવાન્ દ્રવ્યતીર્થકર કહેવાય છે. મૂતી મવિનો વા યાર તો.. આવા સૂત્રથી આ દ્રવ્યનિક્ષેપ જણાય છે. (૨) મધુવો બું. આ સૂત્રાનુસારે આપણે આવશ્યકાદિ જે કાંઈ કરીએ એમાં જો ઉપયોગ ન હોય.... અનુપયુક્તપણે થઈ રહ્યું હોય તે એ પણ દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. આને અનુપયોગ દ્રવ્યાંશ કહે છે અને પ્રથમ પ્રકારને કારણદ્રવ્યાંશ કહી શકાય છે. આમાંથી પ્રથમ કારણદ્રવ્યાંશ તો ભૂત-ભાવી પર્યાયના કારણભૂત હોવાથી એ દ્રવ્યાત્મક જ છે. ને તેથી પર્યાયાર્થિક નયનો વિષય ન બનવાથી ઋજુસૂત્રને પર્યાયાર્થિક શી રીતે કહી શકાય ? પણ જે બીજો અનુપયોગ દ્રવ્યાંશ જે છે તે પર્યાયાર્થિકનય બની શકે છે. કારણ કે અનુપયુક્ત વક્નત્વ (કે અનુપયુક્ત ક્રિયાકર્તુત્વ) અવસ્થારૂપ પર્યાય એ અનુપયોગ દ્રવ્યાંશ બની શકે છે ને એ પર્યાયરૂપ હોવાથી પર્યાયાર્થિક એવા ઋજુસૂત્રનો વિષય બની શકે છે. સૂત્રમાં પણ એ મજુવારે... શબ્દ દ્વારા અનુપયોગ દ્રવ્યાંશનો જ ઉલ્લેખ કર્યો છે.
શંકા ઃ સૂત્રમાં જો અનુપયોગ અવસ્થારૂપ દ્રવ્યાંશનો ઉલ્લેખ છે તો એ તો પર્યાયરૂપ હોવાથી દ્રવ્યાર્થિકનો વિષય ન બની શકવાના કારણે સિદ્ધાન્તવાદીને પ્રશ્ન આવશે.
સમાધાન : સૂત્રમાં જે મજુવરત્તે શબ્દ રહેલો છે. એનો સિદ્ધાન્તવાદી “અનુપયુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320