Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 269
________________ ૨૫૦ ઢાળ-૭ : ગાથા-૧૨-૧૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટબો ઃ એક સ્વજાતિ અસભૂત વ્યવહાર કહિછે, જિમ પરમાણુ બહુuદેશી કહિછે, બહુપ્રદેશી થાવાની જાતિ છો, તે માટેિ || ૭-૧૩ || તેહ અસભૂત વિજાતિ જાણો, જિમ “પૂર્વ પ્રતિજ્ઞીન'' કહિછે, મૂર્ત-જે વિષયાલોકમનસ્કારાદિક, તેહથી ઉપનું, તે માર્ટિ. ઇહાં મતિજ્ઞાન આત્મગુણ, તેહનાં વિષ મૂર્તત્વ પુદ્ગલગુણ ઉપચરિઓ તે વિજાત્યસભૂતવ્યવહાર કહિછે. . ૭-૧૪ . આવી શકે કે નહીં ? જેમકે જીવને ઉપચારથી પુદ્ગલ કહ્યો તો પુદ્ગલને ઉપચારથી ‘જીવ' રૂપે કહેવાય કે નહીં ? “આ કાળું છે એ જીવવું છે આવું જ બોલાય છે એમાં કાળું જે દેખાય છે એ પુદ્ગલ છે, ને એનો જીવ તરીકે ઉલ્લેખ થયેલો છે. એ તો હલનચલન વગેરે દ્વારા અંદર જીવ પણ રહેલો છે ને એનો જ જીવાત તરીકે ઉલ્લેખ થાય છે.' એવી દલીલ અસ્થાને છે... કારણ કે જીવને પુદ્ગલ જે કહેવાય છે તેમાં પણ ક્ષીરનીરવત્ પુદ્ગલ ભળેલું છે જ. “આ કાળું છે' એ શરીરનો ઉલ્લેખ છે અને શરીર એ પુદ્ગલનો પર્યાય છે એમ લઈએ તો “પુદ્ગલના પર્યાયમાં જીવદ્રવ્યનો ઉપચાર’ આ રીતે આ ઉદાહરણ લઈ શકાય કે કેમ ? એમ, કોઈ ખૂબ સુંદર વસ્તુ નિર્માણ થયેલી જોઈને (અર્થાત્ પુદ્ગલની એવી આકૃતિ વગેરે રૂપ પર્યાય કે એવા વર્ણાદિ ગુણ જોઈને) “આનું નામ હોંશિયારી” આવું જ કહેવાય છે. તેને, પુદ્ગલના પર્યાયમાં ગુણમાં જીવના ગુણ જ્ઞાનનો ઉપચાર.. એમ કહી શકાય કે કેમ ? એમ, પુલના અવાંતર ભેદોમાં આવા ઉપચાર અભિપ્રેત છે કે નહીં ? સુવર્ણભિન્ન દ્રવ્યમાં પણ, “આ તો સોનું જ જોઈ લ્યો” “આની ચમક એટલે.... સોનાની જ ચમક.” આવા બધા વચન પ્રયોગો, દ્રવ્યમાં દ્રવ્યનો (કે પર્યાયમાં પર્યાયનો), ગુણમાં ગુણનો... આવા બધા ઉપચાર તરીકે શ્રી દેવસેનાચાર્યને અભિપ્રેત છે કે નહીં? એ વિચારીને નિર્ણય કરવા યોગ્ય છે. - તથા, જે ૯ ભેદો અસભૂત વ્યવહારના કહ્યા અને હવે એના જ ૩ ભેદો જે કહેવાના છે... એ બેનો પરસ્પરમાં અન્તર્ભાવ છે કે નહીં ? હોય તો કોનો શેમાં અન્તર્ભાવ છે ? આ બધું સ્પષ્ટીકરણ પણ આવશ્યક છે. હવે, આ અન્ય વિવેક્ષાથી કરેલા ૩ ભેદને વિચારીએ. (૧) સ્વજાતિ અસભૂત વ્યવહાર ઉપનય : જેમકે પરમાણુને બહુપ્રદેશી કહેવા. આપણે પૂર્વે બીજી ઢાળની પાંચમી ગાથાના વિવેચન દરમ્યાન દિગંબર અભિપ્રેત તિર્યપ્રચય' શબ્દનો વિચાર કરેલો છે... પ્રદેશ પ્રચય એ જ તિર્યપ્રચય તરીકે એમને માન્ય છે... અને આવી વ્યાખ્યાનુસાર પરમાણુમાં પણ તિર્યપ્રચય એમને અભિપ્રેત છે. એનો અર્થ જ પ્રદેશ પ્રચય=બહુપ્રદેશિત્વ માન્ય છે.. વસ્તુતઃ પરમાણુ અપ્રદેશ છે... પણ દિગંબરોના ગ્રન્થોમાં પરમાણુમાં પણ તિર્યકુપ્રચય કહેવા દ્વારા એને આ બહુપ્રદેશી જે કહ્યો છે તે સ્વજાતિ અસભૂત વ્યવહાર જાણવો. અપ્રદેશી પરમાણુને બહુપ્રદેશી તરીકે કહેવો એટલે “અસભૂત વ્યવહાર' હોવો તો સ્પષ્ટ જ છે. વળી પરમાણુ પણ પુદ્ગલ છે અને બહુપ્રદેશ સ્કંધ પણ પુદ્ગલ છે. એટલે, પુદ્ગલમાં પુદ્ગલનો જ ઉપચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320