Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 282
________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૮-૯ ૨૬૩ તે બોટિકની (દિગંબરોની) ઉલટી પરિભાષા દેખાડિઈ છઈ - તત્વાર્થ સૂત્રો ૭ નય કહિયા છઇ. અનઈ આદેશાંતરે કહેતાં મતાંતરે, તેહથી ૫ નય કહિયા છઈ. “સત મૂન , પ રૂત્યાન્તરમ” એ સૂત્રઈ, સાંપ્રત સમભિરૂઢ એવંભૂત એ ૩ નઈ “શબ્દ” એક નામ સંગ્રહઈ, તિવારો પ્રથમ ચાર સાથિ પાંચ, ગત વ ઈકેકના ૧૦૦ ભેદ હુઈ છઇ, તિહાં પણ ૭૦૦ તથા ૫00 ભેદ ઇમ-૨ મત કહિયા છઇ. यथोक्तमावश्यके - इक्किक्को य सयविहो, सत्त सया णया हवंति एमेव ।। વિદુ માણસો; પંત સયા થા તુ | ૨ વિ. મા. મ. રર૬૪ | સમાધાન : યદ્યપિ ને... બીજાના દ્રાક્ષામંડપમાં ઘૂસીને ગધેડો એ બીજાની દ્રાક્ષ ખાઈ રહ્યો હોય તો જોનારને તો કશું નુકશાન નથી... છતાં પણ અસમંજસ આ અનુચિત થઈ રહ્યું છે એવું જોઈને એનું ચિત્ત તો પરિખેદ પામે જ છે... આવા નીતિશાસ્ત્રના વચનના અનુસાર, દિગંબરે સ્વસંપ્રદાયમાં જે કરવું હોય તે કરે. એમાં અમારે શું લાગે વળગે ? છતાં આ ઘણું અનુચિત જોઈને અમારું મન પણ ખેદ પામે છે. તે બોટિકની.. તે બોટિકની–દિગંબરોની ઉલટી પરિભાષા શું છે ? એ હવે દેખાડે છે. વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજ નિર્મિત શ્રી તત્ત્વાર્થસૂત્ર શ્વેતાંબર અને દિગંબર બન્નેને માન્ય છે. આ તત્ત્વાર્થસૂત્રમાં ૭ ના કહ્યા છે.. આદેશાંતરે મતાંતરે, તેહથી=૭ નયને જણાવનાર મતથી અલગ પડતાં મતના અનુસારે ૫ નય કહ્યા છે. જુઓ આ સૂત્ર – સપ્તમૂનનયા:, પન્ન રૂત્યશાસ્તર... ૭ નયના પાંચ નય શી રીતે થઈ જાય ? આ રીતે - નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત આમ કુલ સાત મૂળ નયો છે... આમાંથી સાંપ્રત, સમભિરૂઢ અને એવભૂત આ ત્રણ છેલ્લા જે નયો છે એ બધાનો એક નયમાં જ સમાવેશ કરીને “શબ્દનય’ એમ એક નય જ કહેવામાં આવે તો પ્રથમના નૈગમ વગેરે ૪ + આ એક શબ્દનય... એમ કુલ પાંચ નય થાય છે. સાત નયોનો આ રીતે પાંચ નયમાં અંતર્ભાવ કરવો એ પૂર્વાચાર્યોને પણ માન્ય છે જ. એટલે જ, એક-એક મૂળનયના જે ૧૦૦-૧૦૦ અવાંતરભેદ થતા હોવાથી ૭ નયના ૭૦૦ નય થાય છે. આ ૭૦૦ નયની જ્યાં વાત કહી છે ત્યાં મતાંતરે પ00 નયની વાત પણ ભેગી કરી છે. જેમકે શ્રી આવશ્યકમાં કહ્યું છે કે “એક-એક નય 100 પ્રકારનો છે. આ રીતે સાતે નય જાણવા... અર્થાત્ ૭ નયના ૭૦૦ ભેદ જાણવા. એક બીજો પણ આદેશ-મતાંતર છે. એ મુજબ ૫OO નય થાય છે.” અહીં ૧૦૦-૧૦૦ ભેદ ગુણીને મતાંતરે પ00 નભેદ કહ્યા છે, એ જણાવે છે કે આ શાસ્ત્રકારને પણ મૂળ ૭ નય... ને મતાંતરે પાંચ નય માન્ય છે. જો આ રીતે ૯ નય પણ માન્ય હોત તો શાસ્ત્રોમાં ૯૦૦ પેટાનયની વાત પણ ક્યાંક કહી હોત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320