Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 285
________________ ૨૬૬ ઢાળ-૮ : ગાથા-૧૨-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ૪ નય-નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર લક્ષણ, તે દ્રવ્યાર્થિકનય કહિઇ, ઈમ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પ્રમુખ સિદ્ધાન્તવાદી આચાર્ય કહો છો. મહાભાષ્ય કહતાં વિશેષાવશ્યક, તે મધ્ય નિર્ધારd. | ૮-૧૨ હિવઈ, સિદ્ધસેનદિવાકર-મલવાદી પ્રમુખ તર્કવાદી આચાર્ય ઇમ કહો છો જે પ્રથમ ૩ નય ૧ નૈગમ, ૨ સંગ્રહ, ૩ વ્યવહાર લક્ષણ, તે દ્રવ્યનય કહિછે. ઋજુસૂત્ર ૧, શબ્દ ૨, સમભિરૂઢ ૩, એવંભૂત ૪ એ ૪ નય પર્યાયાર્થિક કહિઈ. द्रव्यार्थिकमते सर्वे, पर्यायाः खलु कल्पिताः । तेष्वन्वयि च सद् द्रव्यं, कुण्डलादिषु हेमवत् ।। १ ।। વિવેચન : દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય આદિમ અને અંતિમ નય સમૂહમાં ભળી જાય છે એવું ગ્રન્થકારે પૂર્વગાથાઓમાં કહેલું. એ કઈ રીતે ભળે છે ? એ અંગે શ્વેતાંબર પરંપરામાં બે મત પ્રવર્તે છે, એટલે આ બે ગાથામાં ગ્રન્થકાર એ બન્ને રીતના સમાવેશને સમજાવે છે - ૭ નય મળે... દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય કઈ રીતે ૭ નયમાં ભળે છે એ અંગે આચાર્ય = પૂર્વાચાર્યોની મત પ્રક્રિયા દેખાડવામાં આવે છે. અંતિમ = છેલ્લા ૭ નયમાંના છેલ્લા જે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ નયો છે તેને પર્યાયનય કહીએ.... અર્થાત્ પર્યાયનયનો એ ત્રણમાં અંતર્ભાવ છે. અને પ્રથમ ૪ નય = નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર આ ચાર નયને દ્રવ્યાર્થિકનય કહીએ... અર્થાત્ દ્રવ્યાર્થિકનો આ ચારમાં અન્તર્ભાવ છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્ય, વિશેષણવતિ વગેરે ગ્રન્થોના રચયિતા અને સિદ્ધાન્તવાદી તરીકે પ્રસિદ્ધ એવા શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણે આ વાતનો નિશ્ચય મહાભાષ્યમાં = વિશેષાવશ્યક ભાષ્યમાં આપેલો છે. - હિવઈ... શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ, શ્રીમલ્લવાદીજી વગેરે તર્કવાદી આચાર્યભગવંતો શ્રી સમ્મતિતર્ક પ્રકરણ વગેરેમાં આ રીતે અન્તર્ભાવ કરી દેખાડે છે કે જે પ્રથમ ત્રણ - નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય છે તે દ્રવ્યાર્થિકનય છે. અને છેલ્લા ચાર - જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનય છે એ પર્યાયાર્થિક નય છે. આ તર્કવાદીઓનો આશય એવો છે કે – દ્રવ્યાર્થિક નયમતે બધા પર્યાયો ખરેખર કલ્પિત છે = કાલ્પનિક છે. આ કલ્પના કરાયેલા પર્યાયોમાં અન્વય પામનાર દ્રવ્ય જે હોય છે તે જ વાસ્તવિક સંપદાર્થ છે જેમકે કુંડલ-કેયુર વગેરેમાં અન્વયે પામનાર સુવર્ણ. પર્યાયાર્થમતે પર્યાયો જ વાસ્તવિક છે. પર્યાયથી પૃથર્ = ભિન્ન કોઈ દ્રવ્ય છે નહીં. (પર્યાયોને જ માનવાના.. ને દ્રવ્યને નહીં માનવાનું આવું શા માટે ? એટલા માટે કે જે અર્થક્રિયાકારી હોય છે એ જ સત્ હોય છે... જે અર્થક્રિયાકારી નથી હોતું તે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320