Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 283
________________ ૨૬૪ ઢાળ-૮ : ગાથા-૧૦-૧૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એહવી શાસ્ત્રરીતિ છોડી, અંતરભાવિત-સાતમાંહિ ભૂલ્યા, જે - દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક, તે ઉદ્ધરી-અલગ કાઢી, નવ નય કહીયા, તે સ્યો પ્રપંચ ? ચતુર મનુષ્ય વિચારી જોઓ. ૮-૯ પજયસ્થ દ્રવ્યારથો રે, જો તુઢ્ય અલગા દિટ્ટ | અપ્રિય ણપ્રિય ભેદથી રે, કિમ ઈગ્યાર ન ઇટ્ટ રે પ્રાણી // ૮-૧૦ સંગ્રહ વ્યવહારાદિકઈ રે, જો તુક્ષ્મ ભેલો તેહ | આદિ અંત નય થોકમાં જી, કિમ નવિ ભેલો એહ રે | પ્રાણીઓ / ૮-૧૧ ટો ઇમ છે કરતાં-પર્યાયાર્થ દ્રવ્યર્થ નય, જો તુઓ અલગા દીઠા, અનઈ ૯ નય કહિયા, તો અર્પિત અનર્પિત નય અલગા કરીનઈ ૧૧ નય કિમ ન વાંચ્યા ? || ૮-૧૦|| હિવઈ, ઈમ કહસ્યો જે - “મર્પિતાનસિક” ઈત્યાદિ તત્વાર્થ સૂત્રાદિકમાંહિ, જે અર્પિત-અનર્પિતનય કહિયા છ0-તે અર્પિત કહતાં-વિશેષ કહિછે, અનર્પિત કહતાં - સામાન્ય કહિછે, અનર્પિત સંગ્રહમાંહિ ભિલઈ, અર્પિત વ્યવહારાદિક વિશેષનયમાંહિ ભિલઈ, તો આદિઅંત કહેતા પહિલા-પાછિલા નયના થોકડાંમાંહિ એહ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકનય કિમ નથી ભેલતાં ? જિમ-સાત જ મૂલ-નય કહવાઈ છઈ, તે વચન સુબદ્ધ રહઈ. || ૮-૧૧ || એવી શાસ્ત્રરીતિ. પૂર્વશાસ્ત્રકારોની આવી શાસ્ત્રરીતિને છોડી દઈને બે નયને અલગ કરવા એ શું પ્રપંચ છે ? આશય એ છે કે પૂર્વાચાર્યોએ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયને નૈગમ વગેરે ૭ વયમાં જ અંતર્ભાવિત કરીને અલગ ર્યા નથી. તો શ્રી દેવસેનાચાર્ય પણ આ જ રીતને અનુસરવી જરૂરી હતી. એના બદલે આ બે નયોને અલગ પાડીને ૯ નો કહેવા એ કેવો પ્રપંચ ? ચતુર મનુષ્યોએ આ વિચાર કરવા જેવો છે... અન્યથા વળી બીજા કોઈ નવા ગ્રન્થકાર નવી જ રીતે નિયવિભાજન કરે.. પછી નય અંગે એકસૂત્રતા જેવું કશું રહે જ નહીં.. માટે આવી નવી પ્રણાલિકા ઊભી કરવી એ ઇચ્છનીય નથી... | ૧૧૬-૧૧૭ | ગાથાર્થ : પર્યાયાર્થ અને દ્રવ્યર્થ જો તમે અલગ દેખો છો તો એ રીતે અર્પિત અને અનર્પિત નયને અલગા ભેદ કરીને અગ્યાર નય કેમ માનતા નથી ? જો આ બે નયને સંગ્રહવ્યવહાર આદિ નયમાં ભેળવી દો છો તો એહ = દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને આદિનય સમૂહમાં અને અંતિમ નય સમૂહમાં કેમ ભેળવતા નથી ? || ૮-૧૦, ૧૧ || વિવેચનઃ જો પૂર્વાચાર્યોની પરંપરાને અનુસરવાનું ન હોય અને જે કાંઈ અન્તર્ભાવ બહિર્ભાવ થઈ શકતા હોય એ કરવાના હોય.. તો ગ્રન્થકાર દિગંબરાચાર્યને નવી આપત્તિ દર્શાવે છે ઇમઈ કરતાં... પર્યાયાર્થ અને દ્રવ્યર્થ નયને સાત નય કરતાં અલગ જોઈને જો તમે ૯ નય કહો છો તો એ રીતે અર્પિતનય અને અનર્પિતનયને પણ અલગા કરીને ૧૧ નય કેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320