Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 272
________________ ૨ ૫૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૭ : ગાથા-૧૬-૧૮ તે સ્વજાતિ ઉપચરિતાસભૂત વ્યવહાર જાણો જે “હું પુત્રાદિક” ઈમ કહઈ. ઇહાં - “માહરા” એ કહેવું પુત્રાદિક નો વિષય છે તે પુત્રાદિક ઉપચરિયા છો. તેહસ્ય આત્માનો ભેદભેદ સંબંધ ઉપચરિઈ છો. પુત્રાદિક તે આત્મપર્યાયરૂપઈ સ્વજાતિ છઈ, પણિ કલ્પિત છઇ, નહી તો સ્વશરીરજન્ય મસ્કુણાદિકનાં પુત્ર કાં ન કહિછે? ૭-૧૭ | વિજાત્યુપચરિતાસભૂત વ્યવહાર તે કહિછે જે “માહરાં વસ્ત્રાદિક” ઈમ કહિછે. ઈહાં વસ્ત્રાદિક પુગલ પર્યાય નામાદિ ભેદ કલ્પિત છો, નહીં તો વલ્કલાદિક શરીરાચ્છાદક વસ્ત્ર કાં ન કહિછે ? તેહ વિજાતિમાં સંબંધ ઉપચરિઇ છઈ. “માહરા ગઢ દેશ પ્રમુખ છઈ” (૧) સ્વજાતિ ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય : પુત્રાદિકને વિષે ગાઢ મમત્વાદિના કારણે - “પુત્ર એ હું જ છું ને..” “પત્ની એ હું જ છું ને..” (અમે કાંઈ જુદા થોડા છીએ?) આવું બધું જ કહેવાય છે તે આ પ્રકારનો ઉપનય છે. અહીં પુત્ર વગેરે ઉપચરિત પદાર્થ છે.... તેમાં આત્માના ભેદભેદ સંબંધનો આમાં ઉપચાર છે.. (હું જ પુત્રાદિક એમ કહો તો અભેદ સંબંધ... અને માહરાં પુત્રાદિક એમ કહો તો ભેદ સંબંધ.) વળી પુત્રાદિક પણ આત્મપર્યાયરૂપ છે... માટે સ્વજાતિ જ છે. એટલે એ સ્વજાતિ ઉપચરિત અસદ્ભુત વ્યવહાર ઉપનય છે. શંકા : અહીં “પુત્રાદિક' ને ઉપચરિત પદાર્થ તરીકે કેમ કહ્યા છે ? સમાધાન : મનુષ્યત્વ વગેરે આત્માના અનુપચરિત પર્યાય છે. પણ પુત્રત્વ તો અમુક અપેક્ષાએ હોવાથી માત્ર કલ્પનાનો વિષય છે. કારણ કે માતા-પિતાની અપેક્ષાએ જ પુત્રત્વ છે... ભાઈ-બહેનની અપેક્ષાએ ભ્રાતૃત્વ છે. મામાની અપેક્ષાએ ભાગિનેયત્વ છે. આમ, કલ્પનાનુસારે હોવાથી સાપેક્ષ હોવાથી પુત્રત્યાદિક એ આત્માનો ઉપચરિત પર્યાય છે. અનુપચરિત પર્યાય નથી. શંકા : ધારોકે માત-પિતાને સ્વ' કહીએ તો, પુત્રત્વ એ સ્વશરીરજન્યત્વરૂપ છે, જે સાપેક્ષકાલ્પનિક નથી, પણ વાસ્તવિક છે. પછી, ઉપચરિત શા માટે ? સમાધાન : આવું સ્વશરીરજન્યત્વ તો માંકડ વગેરેમાં પણ હોય છે. તો એ પણ શું પુત્ર' કહેવાશે? એટલે “પુત્રત્વ' એ માત્ર સ્વશરીરજન્યત્વરૂપ નથી.... પણ એ સાથે કોઈ વિશેષ કલ્પનાનો વિષય છે. ને તેથી ઉપચરિત છે. (૨) વિજાતિ ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય : “મારા વસ્ત્રાદિક આવું જ કહેવાય છે એ આ ઉપનયનું કથન છે. અહીં વસ્ત્રાદિક પુદ્ગલ પર્યાય છે. માટે વિજાતીય છે... વળી ઉપચરિત છે. શંકા : વસ્ત્રમાં શરીરાચ્છાદકત્વ જે વાસ્તવિક રહ્યું છે તે જ વસ્ત્રત્વરૂપ છે માટે એ ઉપચરિત કેમ કહેવાય ? સમાધાન : તો વૃક્ષની છાલ વગેરેમાંથી બનતા વલ્કલ વગેરે પણ શરીરાચ્છાદક છે જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320