Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 271
________________ ૨૫૨ ઢાળ-૭ : ગાથા-૧૬-૧૮ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ “વનાતીયાંશે વિ. નાર્થ સમૂત: ?” રૂતિ વેત, 7, “વિજ્ઞાતીયાંશ રૂઢ વિષયસભ્યોપરિતાર્યવાનુમવા” રૂતિ ગૃહાણ || ૭-૧૫ // ઉપચરિતાસભૂત, કરિઈ ઉપચારો જેહ એક ઉપચારથી રે. . ૭-૧૬ / તેહ સ્વજાતિ જાણો રે, હું પુત્રાદિક / પુત્રાદિક છઈ માહરા એ. // ૭-૧૭ વિજાતિથી તે જાણો રે, વસ્ત્રાદિક મુઝા ગઢ-દેશાદિક ઉભયથી એ. // ૭-૧૮ ટો : જેહ એક ઉપચારથી બીજો ઉપચાર કરિઓ. તે ઉપચરિત અસભૂત વ્યવહાર કહિછે. . ૭-૧૬ | નજરમાં લઈને કહેવાય છે.... નહીંતર તો નીવે જ્ઞાનમ્ ની જેમ મનીવે જ્ઞાનમ્ પણ આ સંદર્ભમાં કહેવાતું હોવાથી અજીવમાં પણ આ અનુપચરિત સંબંધથી જ્ઞાન રહ્યું છે એવું માનવાની આપત્તિ આવે... અને એટલે જ ધારોકે જિનદત્ત જ્ઞાન કરી રહ્યો છે.. અને એ જિનદાસ સંબંધી જ્ઞાન કરી રહ્યો છે. તો આ જિનદત્તનું જ્ઞાન, નિનવારે જ્ઞાનમ્ (જિનદાસમાં જ્ઞાન... જિનદાસ વિષયક જ્ઞાન) એમ કહેવાશે. આમાં સ્પષ્ટ છે કે આ વિવક્ષિત જ્ઞાનનો જિનદત્ત નામના જીવમાં સદ્ભુત (અનુપચરિત) સંબંધ છે, પણ જિનદાસમાં તો ઉપચરિત સંબંધ જ છે. એટલે, ટૂંકમાં અહીં વિષયભૂત અજીવમાં જ્ઞાન કહેવું છે એમ જ વિષયભૂત જીવમાં જ જ્ઞાન કહેવાનો અભિપ્રાય છે. જ્ઞાતા જીવમાં જ્ઞાન કહેવાનો અભિપ્રાય નથી... માટે ઉપચરિત સંબંધ હોવાથી આ સ્વજાતિ-વિજાતિ-અસભૂત વ્યવહાર ઉપનય છે, એ નિઃશંક છે. ll૧૦૧, ૧૦૨, ૧૦૩ ૧૦૪ || ગાથાર્થ : એક ઉપચાર દ્વારા બીજો ઉપચાર જે કરાય છે તે ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય છે. હું પુત્રાદિક છું” “પુત્રાદિક માહરા છે' આવું બધું કથન એ સ્વજાતિ ઉપચરિત અસદ્ભુત વ્યવહાર છે. “વસ્ત્રાદિક માહરા છે' આવું કથન એ વિજાતિ ઉપચરિત અસદ્ભુત વ્યવહાર છે. “ગઢ-દેશ વગેરે માહરા છે' આવું કથન એ ઉભય ઉપચરિત અસદ્ભુત વ્યવહાર છે. I૭-૧૬, ૧૭, ૧૮ || વિવેચન : સદ્ભુત વ્યવહાર ઉપનય અને અસત્કૃત વ્યવહાર ઉપનય એમ ઉપનયના બે ભેદ કહ્યા પછી હવે ત્રીજો ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય કહેવામાં આવે છે. જેમાં એકવાર ઉપચાર થયેલો છે. એ ઉપચરિત પદાર્થ કહેવાય છે. આવા ઉપચરિત પદાર્થમાં ફરીથી (બીજો) ઉપચાર કરીને જે કથન થાય છે એ ઉપચરિત અસદ્ભુત વ્યવહાર ઉપનય કહેવાય છે. આમાં ઉપચરિત પદાર્થ અને હવે નવો ઉપચાર પામતો પદાર્થ... આ બન્ને એક જ જાતિના હોય તો સ્વજાતિ કહેવાય છે, જુદી જુદી જાતિના હોય તો વિજાતિ કહેવાય છે અને ઉભયસમુદાયરૂપ હોય તો ઉભયજાતિ કહેવાય છે. એટલે આ અપેક્ષાએ આ ઉપચરિત અસદ્ભુત વ્યવહારના પણ ત્રણ પ્રકાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320