Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 253
________________ ૨૩૪ ઢાળ-૬ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સ્થૂલ તે મનુષ્યાદિ પર્યાય માનઈ, પણિ કાલત્રયવતી પર્યાય ન માન. વ્યવહાર નય હોવાથી) અર્થક્રિયાકારિત્વ ધરાવતો નથી... પછી એને “પદાર્થ' તરીકે શી રીતે કહી શકાય? જેનાથી કશું જ પ્રયોજન સરતું નથી, એને પણ પદાર્થનો દરજ્જો આપવાનો હોય, તો તો શશશૃંગને પણ પદાર્થ કહેવો પડે. વર્તમાન પણ જે પદાર્થ પરાયો છે, એ પોતાનું પ્રયોજન સારી શકતો નથી... માટે પોતાના માટે તો એ નહીં હોવા બરાબર જ છે. મહેતાજી પાસે શેઠના ભલે ને પાંચ લાખ રૂપિયા પડ્યા હોય.. એનાથી એ પોતાને રહેવાનું ઘર તો નથી લઈ શકતો. પણ બેપાંચ રૂપિયાની કિંમતનું શાક પણ નથી લઈ શકતો... એટલે મહેતાજી માટે એ ધન'રૂપ છે જ નહીંકહ્યું જ છે ને કે પરધન પત્થર માનીએ... ટૂંકમાં, પોતાનો વર્તમાન પદાર્થ જ પોતાનું કામ કરી આપનાર છે. તેથી એ જ પોતાના માટે પદાર્થરૂપ છે, અન્ય નહીં.. આવું ઋજુસૂત્રનય કહે છે... આમાં વર્તમાનપદાર્થ એટલે વર્તમાનકાળમાં રહેલો પદાર્થ... પણ વર્તમાનકાળ કોને કહેવો ? આમ તો કાળ માત્ર એક વર્તમાન ‘સમય’રૂપ જ છે... એટલે તે સમયને જ વર્તમાન' કહી શકાય... વિવક્ષિતકાળે જે સમય વર્તી રહ્યો છે એની પૂર્વનો સમય તો નષ્ટ થઈ ગયો હોવાથી “અતીત' બની ગયો છે... પછીનો સમય તો હજુ અનુત્પન્ન હોવાથી “અનાગત છે... માટે વર્તમાનકાળ તો માત્ર એક સમયરૂપ જ છે... આવા એક સમયને જ વર્તમાનકાળ તરીકે સ્વીકારી એમાં રહેલા ક્ષણિકપર્યાયને જ પદાર્થરૂપે માનનારો જે જુસૂત્રનય છે તે સૂક્ષ્મઋજુસૂત્રનય કહેવાય છે. કારણ કે ખૂબ જ સૂક્ષ્મ વર્તમાનકાળને જોનારો છે. પણ આ એક સમય એ એટલો સૂક્ષ્મતમ કાળ છે કે સામાન્યથી છવાસ્થના વ્યવહારનો વિષય બની જ શકતો નથી, “આ ઘડો છે' આટલું બોલવા જાય એટલામાં તો અસંખ્ય સમય પસાર થઈ જાય છે. એટલે, પદાર્થ-પ્રસંગ વગેરેને અનુસરીને અસં સમયમય અતર્મુહૂર્તને પણ વર્તમાનકાળ કહેવાય છે. એમ કલાકને, દિવસને, પખવાડિયાને, મહિનાને, વર્ષને, ભવને... પણ વર્તમાન તરીકે કહેવાય છે... આ સ્થૂલવર્તમાનકાળ છે. આવા સ્કૂલવર્તમાનકાળને નજરમાં લેનારો જુસૂત્રનય એ સ્થૂલઋજુ સૂત્ર છે. શંકા - આખા વર્ષને વર્તમાનકાળ તરીકે જોનારા ઋજુસૂટાની આપણે વાત કરીએ. ધારો કે વર્ષનો ચોથો મહિનો ચાલે છે. તો પ્રથમ ત્રણ મહિના અતીત થઈ ગયા છે.. ને પાંચમાંથી આઠ મહિના હજુ અનાગત છે... અને છતાં વિવક્ષિત ઋજુસૂત્રનય આખા વર્ષને જોનાર હોવાથી અતીત ને અનાગત મહિનાને પણ જોઈ જ રહ્યો છે. તો આ સ્થૂલઋજુસૂત્રનય અને વ્યવહારનયમાં ફરક ક્યાં રહ્યો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320