Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 254
________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૧૪ ૨૩૫ તે ત્રિકાલ પર્યાય માનઇ, તે માર્ટિં સ્થૂલ ૠજુસૂત્ર - વ્યવહારનયનઇ સંકર ન જાણવો. || ૬-૧૩ ॥ શબ્દ પ્રકૃતિ પ્રત્યયાદિક, સિદ્ધ માનઇ શબ્દ રે । સમભિરૂઢ વિભિન્ન અર્થક, કહઇ ભિન્ન જ શબ્દ રે II બહુ૦ || ૬-૧૪ || ટબો શબ્દનય તે પ્રકૃતિ પ્રત્યયાદિક વ્યાકરણવ્યુત્પત્તિસિદ્ધ શબ્દ માનઇ. પણિ સમાધાન વ્યવહારનય ત્રણકાળવર્તી પર્યાયને માને છે. ૠજુસૂત્ર માત્ર વર્તમાન પર્યાયને માને છે.. ત્રિકાળવર્તી પર્યાયને માનતો નથી.. આ ફરક જાણવો.. આશય એ છે કે.. જો મહિનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો વર્તમાન મહિનો એ જ વર્તમાનકાળ... પૂર્વના ૩ મહિના એ અતીતકાળ... ને પાછળના આઠ મહિના એ અનાગતકાળ.. પણ જો વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો બારે મહિના વર્તમાનકાળ જ છે... એટલે ધારો કે કોઈ તપસ્વીએ પહેલા ૩ મહિનામાં ૩૦ ઉપવાસ કર્યા... વર્તમાન મહિનામાં ૧૦ ઉપવાસ કર્યા-કરવાના છે.. અને પછીના ૮ મહિનામાં ૮૦ ઉપવાસ કરવાના છે. એ તપસ્વી જો એમ કહે કે ગયા ત્રણ મહિનાના ૩૦, આ મહિનાના ૧૦ અને આગામી આઠ મહિનાના ૮૦-એમ બાર મહિનાના મારા ૧૨૦ ઉપવાસ થશે... તો વ્યવહારનય આ માન્ય કરે છે... પણ સ્થૂળૠજુસૂત્રનય કહેશે કે-આ મહિનાના ૧૦ ઉપવાસ જ વાસ્તવિક કહેવાય... બાકી તો અતીત-અનાગત છે... માટે ઉપવાસરૂપ નથી.. પણ જો એ તપસ્વી એમ કહે કે આ વર્ષમાં મારા ૧૨૦ ઉપવાસ... તો એ સ્થૂલૠજુસૂત્રનયને માન્ય છે... વ્યવહારનય એ વખતે આગલા અને પાછલા વર્ષોના ઉપવાસનો પણ સરવાળો માંડીને ‘હું આટલા ઉપવાસનો તપસ્વી છું' એમ ઉલ્લેખ કરશે... પણ આ જ સરવાળાનો એ તપસ્વી જો આમ ઉલ્લેખ કરે ‘આ ભવમાં મારા આટલા ઉપવાસ...' તો સ્કૂલૠજુસૂત્રનયને એ માન્ય છે. આમાં કારણ સ્પષ્ટ છે કે ‘ભવ' તરીકે તો આખો ભવ... (૭૦, ૮૦... ૮૫ વર્ષ... જેટલું આયુ હોય તે બધુ) વર્તમાન જ છે... એમાં ભવ તરીકે અતીત-અનાગત જેવું કશું નથી... ને તેથી એ સ્થુલૠજુસૂત્રનયનો વિષય બની શકે છે.... પણ વર્ષ તરીકે વિચારવાનું હોય તો એ વિવક્ષિત વર્ષ જ વર્તમાનકાળ છે.. આગળ-પાછળના વર્ષો તો અતીત-અનાગત હોવાથી સ્થૂલૠજુસૂત્રનયનો વિષય બની શકતા નથી.. પણ છતાં એ વ્યવહારનયનો વિષય તો બને જ છે. કારણ કે વ્યવહારનય તો ત્રિકાળવર્તી પર્યાયને પણ સ્વીકારે છે. - આમ સ્થૂલૠજુસૂત્રનય અને વ્યવહારનયનું સાંકર્ય થતું નથી, એ સ્પષ્ટ છે. ॥ ૮૬ ॥ ગાથાર્થ - શબ્દનય પ્રકૃતિ-પ્રત્યય આદિથી સિદ્ધ થયેલા શબ્દને માને છે. સમભિરૂઢનય એમ કહે છે કે ભિન્ન શબ્દ ભિન્નાર્થક જ હોય છે. || ૬-૧૪ || વિવેચન - શબ્દનય... પ્રકૃતિ - પ્રત્યય વગેરે દ્વારા વ્યાકરણના નિયમોને અનુસરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320