________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩
વીતરાગવિજ્ઞાન ભાગ-૩] * શુદ્ધઆત્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે.
વ્રત-તપાદિ કાંઈ મોક્ષમાર્ગ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી તેને મોક્ષમાર્ગ કહીએ છીએ, તેથી તેને વ્યવહાર કહ્યો. એ પ્રમાણે ભૂતાર્થ-અભૂતાર્થ મોક્ષમાર્ગપણા વડે તેને નિશ્ચય-વ્યવહાર કહ્યા છે, –એમ જ માનવું; એટલે કે ભૂતાર્થ મોક્ષમાર્ગને તો નિશ્ચય મોક્ષમાર્ગ કહ્યો, ને અભૂતાર્થને વ્યવહાર કહ્યો-એમ જાણવું; પણ એ બંનેય સાચા મોક્ષમાર્ગ છે અને બંને ઉપાદેય છેએમ માનવું તે તો મિથ્યાબુદ્ધિ જ છે. તો શું કરવું? –તેનો ખુલાસો કરતાં પંડિતજી જૈનસિદ્ધાંતનું રહસ્ય સમજાવે છે કે “નિશ્ચયનયવડ જે નિરૂપણ કર્યું, હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું, તથા વ્યવહારનય વડ જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું.' નિશ્ચયનયવડે શુદ્ધજ્ઞાનઘન સ્વભાવના મહિનામાં લીન થવું તે મોક્ષનું કારણ છે.
અહીં મોક્ષમાર્ગને બે પ્રકારથી વિચારવાનું કહ્યું તેમાં પણ આ નિયમ સમજવો કે સાચો મોક્ષમાર્ગ એક જ છે. તેથી અહીં પહેલી જ ગાથામાં. પં. દોલતરામજીએ કહ્યું કે
નો અત્યારથT નો નિશ્ચય' નિશ્ચયમોક્ષમાર્ગ તે જ સાચો મોક્ષમાર્ગ છે. ૫. શ્રી ટોડરમલજીએ પણ એમ જ કહ્યું છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com