Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 27
________________ તેને વિધાન તરીકે જણાવાય નહિ. શ્રી અષ્ટક પ્રકરણમાં જણાવ્યું છે કે - ધર્મ માટે વિત્તની ઇચ્છા કરતાં વિત્તની અનીહા શ્રેષ્ઠ છે. કાદવમાં પગ નાંખીને ધોવા કરતાં કાદવમાં પગ ન નાંખવો સારો. આ અનુસંધાનમાં તેમણે અપવાદપદે સંકાશશ્રાવકનું દૃષ્ટાંત આપ્યું છે. સંકાશશ્રાવકને જે કમાવાનું વિધાન કર્યું હતું તે તેના માથે દેવદ્રવ્યનું દેવું હતું તે ચૂકવવા માટે કર્યું હતું. આ આલોચના આપનાર કેવળજ્ઞાની ભગવંત હતા. દેવદ્રવ્યના ભક્ષણના પાપથી બચવા માટેની એ વાત હતી, દેવદ્રવ્યની વૃદ્ધિ માટેની નહિ. સંકાશશ્રાવકનો દાખલો લઇને ગૃહસ્થને ધર્મ માટે કમાવાની રજા છે – આવું વિધાન ન કરાય. ગૃહસ્થ ગૃહસ્થપણામાં હોવાથી કમાય છે અને કમાયા પછી વિત્તની મૂર્છા ઉતારવા ધર્મમાં ખર્ચે છે. ધર્મ માટે કમાવું એ તો કાદવમાં પગ નાંખીને ધોવા જેવું છે. જેનો પગ કાદવમાં પડ્યો હોય એને પગ ધોવો પડે એ જુદી વાત. અવિરતિધર એવો પણ શ્રાવક જે કમાય છે તે આજીવિકા માટે કમાય છે. ધર્મબિંદુ ગ્રંથમાં જેની ના પાડી હોય તેની અનુજ્ઞા અષ્ટકપ્રકરણમાં આપે – એવું તો ન બને ને ? આજીવિકા માટે કમાવું પડે તેને પણ શ્રાવક અર્થદંડ માને તો બીજા માટે કઇ રીતે કમાય ? ધર્મ માટે કમાવું - એ પણ શ્રાવક માટે ઉચિત નથી. સ) ધર્મ માટે કમાવું એ જો ઉચિત ન હોય તો જરૂર વિના કમાય તેને શું કહેવું ? એ તો મહાઅનર્થદંડ કહેવાય. શાસ્ત્રના અર્થને ગીતાર્થ ગુરુ પાસે સમજયા વિના જાતે ભણીને દેશના આપે તો આવા ગોટાળા થાય. આને માર્થાનુસારી દેશના ન કહેવાય. ધર્મ નિવૃત્તિપ્રધાન છે. નીતિથી કમાવું - એનો અર્થ, કમાવાની રજા છે – એવો નથી; ત્યાં કમાતી વખતે અનીતિ ન કરવાનો ઉપદેશ છે. આયંબિલના પચ્ચખાણમાં લૂખું ખાવાનું વિધાન નથી, વિગઇ વાપરવાનો નિષેધ છે. એકાસણાના પચ્ચખ્ખાણમાં એક વાર વાપરવાનો નિયમ નથી, બે વાર નહિ વાપરવાનો નિયમ છે. સ0 નિષેધ અને હકાર આવે એમાં અમે મૂંઝાઇ જઇએ છીએ. પાપ છોડવું તેનું નામ નિષેધ અને નિર્જરા કરવી તેનું નામ હકાર, અસંયમનો નિષેધ છે, સંયમનું વિધાન છે. અનાચારનો નિષેધ છે, શિયળપાલનનું વિધાન છે. ખાવાનો નિષેધ છે, તપનું વિધાન છે. મિથ્યાત્વનો નિષેધ છે અને સમ્યકત્વનું વિધાન છે. અનાદિના સંસ્કાર પાપમાં પ્રવૃત્તિ કરવાના અને ધર્મથી નિવૃત્ત થવાના છે. હવે જો ધર્મ કરવો હોય તો પાપથી નિવૃત્ત થઇને ધર્મમાં પ્રવૃત્ત થવું જ પડે ને ? અવિરતિને ગળે લગાડીને વિરતિને પાછળ કરી હતી. હવે તો અવિરતિને પાછળ કરીને વિરતિને ગળે લગાડવી જ પડશે. વ્રત બાર પ્રકારનાં છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત. અવિરતિનું પાપ દેખાય તો વ્રતનો પરિણામ જાગે. હિંસા કરીએ તો જ પાપ લાગે એવું આપણે માનીએ છીએ, પરંતુ અવિરતિમાં બેઠા છીએ તેથી, હિંસા ન કરવાનો નિયમ ન લઇએ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૪૮ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૪૯

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86