Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 3
________________ પ્રસ્તાવના આ નાની સરખી મુકને જોકે પ્રસ્તાવનાની બહુ અગત્ય નથી તે પણ આ ઝુકમાં દાખલ કરેલ પ્રથમ ગ્રંથ ધનપાળ પચાશિકા જેનુ' ખીનું નામ ઋષભ પ'ચાશિકા છે તે દેખાવમાં લઘુ છે પરંતુ તેનુ' મહત્વ બહુ વિશેષ છે. એના કર્જા પતિ ધનપાળ ભેજ રાજાના માન્યવર ૫'ડિતામાંના એક હતા. તેમની એ કૃતિને કળિકાળ સજ્ઞ ગણાતા શ્રીમાન હેમચ‘દ્રાચાર્યે પણ અહુમાન આપ્યુ છે. એકદા કુમારપાળ રાજાની સાથે શ્રી સિદ્ધાચળ યાત્રાર્થે શ્રી હેમચંદ્રાચા પધાર્યા હતા. ત્યાં કુમારપાળે કોઈ રસાલ કાર યુક્ત સ્તુતિ કરવા ની વિનતિ કરતાં તેમણે શ્રી ઋષભદેવની સ્તુતિ આ પંચાશિકાવર્ડ કરી, તે સાંભળી કુમારપાળે પૃચ્છા કરી કે, ‘ હે મહારાજ ! આપ કળિકાળ સર્વજ્ઞ છતાં બીજાની કરેલી સ્તુતિ કેમ કહેા છે, અને આપે કહી તે કોની કૃતિ છે ? ” હેમચંદ્રાચાર્યે કહ્યું કે, • પૂર્વે થઈ ગયેલા મહાન પતિ ધનપાળની કરેલી એ સ્તુતિ છે અને એના જેવી સકિત ગર્ભિત સ્તુતિ અમારાથી થાય તેમ નથી,” કુમારપાળે એટલા ઉત્તરથી સતેષ ન પામતાં તેનુ વિશેષ વૃત્તાંત પૂછ્યુ', એટલે હેમચ’દ્રાચાર્યે તેનુ' વૃત્તાંત જે આ નીચે ટુકામાં ખતાવવામાં આવ્યું છે તે કથન કરવા સાથે તેની પાંડિત્યતાના અને ધર્મ દેઢતાના ઘણા વખાણુ કર્યાં. કુમારપાળ રાજા પણ આવા મહાન્ આચાય જે પતિ માટે આટલા બધા વખાણ કરે છે તે અવશ્ય અહુ શ્રેષ્ટ પુરૂષ થઈ ગયેલ હાવા જોઈએ એમ માની તેની પ્રશંસા કરવા લાગ્યા અને ગુરૂ મહારાજાના ગુણગ્રાહીપણા માટે પણ અનુમેાદના કરવા કુમારપાળ પ્રબંધ છાપેલ પૃષ્ટ ૨૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 64