Book Title: Bhagvana Mahavira na Das Upasako Author(s): Bechardas Doshi Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 4
________________ સંપાદકીય નિવેદન શ્રી પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા'માં જૈન અંગગ્રંથને ગુજરાતી સરળ ભાવાનુવાદ પ્રસિદ્ધ કરવાનું ઠરાવવામાં આવ્યા પછી, એ જના મુજબ “જ્ઞાતાધર્મકથાસૂત્રને અનુવાદ “ભગવાન મહાવીરની ધર્મકથાઓ” એ નામે પ્રસિદ્ધ થયો. ત્યારબાદ “ઉપાસકદસા' સૂત્રને તે જ અનુવાદ “ભગવાન મહાવીરના દશ ઉપાસકે” એ નામે તૈયાર થતાં, તેનું છાપકામ હાથ ઉપર લેવાયું. પરંતુ તે પ્રસિદ્ધ થઈ શકે ત્યાર પહેલાં ગૂજરાત વિદ્યાપીઠ ઉપર તે વખતની આઝાદીની લડતના ઘમસાણમાં સુલતાનના ઓળા ઊતર્યા, અને છાપખાનામાં પડેલા પુસ્તકના ફરમા સમેટી તેમને પ્રસિદ્ધ કરવાનું કામ ગૂજરગ્રંથરત્ન કાર્યાલયને સોંપી દેવામાં આવ્યું. એ પુસ્તક એ પ્રમાણે એક રીતે મોટા ભાગના વાચકવર્ગના લક્ષની બહાર જ રહી ગયું. જોકે, એ પહેલી આવૃત્તિની બધી નકલો તે છેડા જ વખતમાં ઊપડી ગઈ હતી. લગભગ સત્તર-અઢાર વર્ષે હવે બધું થાળે પડ્યા બાદ, એ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરીને તેને નવેસર ગુજરાતના બહોળા વાચકવર્ગની સન્મુખ લાવવાનો વિચાર તાજો થયો. પરંતુ આ વખતે તેને ફરીથી છપાવતા પહેલાં, તેની અનેકવિધ ઉપયોગિતા લક્ષમાં રાખીને, તથા આ માળામાં ત્યારબાદ બહાર પડેલા બીજા અનુવાદોની અપેક્ષાએ તેને ફરીવાર નજર તળે કાઢી જવું યોગ્ય માન્યું. એ પ્રમાણે પંડિત બેચરદાસજીવાળા પ્રમાણભૂત અનુવાદને પાયામાં રાખી, મૂળ સૂત્રમાંથી જે કાંઈ વધુ ઉમેરણ અનુવાદમાં ઉમેરી લેવું ઠીક માન્યું, તે છૂટથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 174