________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*********** ૧૮૫
જ્યાં સોહે શાંતિ દાદા, સોલમા જિન ત્રિભુવન ભ્રાતા; પોળે જાતાં સૌ પહેલાં પ્રણામ છે. સૌ ૮
જ્યા ચક્કેશ્વરી છે માતા, વાઘેસ્વરી દે સુખશાતા; કવડજક્ષાદિ દેવતાઓ તમામ છે. સૌ૦ ૯
જ્યાં આર્દીશ્વર બિરાજે, જે ભવની ભાવઠ ભાંગે; પ્રભુજી પ્યારા નિરાગી ને નિષ્કામ છે. સૌ ૧૦ જ્યાં સોહે પુંડરિક સ્વામી, ગિરૂઆ ગણધર ગુણગામી; અંતરજામી આતમના આરામ છે. સૌ૦ ૧૧
જ્યાં રાયણ છાંચ નિલુડી, પ્રભુ પગલાં પરે પરે રૂડી; શીતળકારી એ વૃક્ષનો વિસામ છે. સૌ૦ ૧૨
જ્યાં નિરખીને નવ ટુંકો, જબ થાયે પાતિકનો ભૂક્કો; દિવ્ય દેહરાનાં અલૌકિક કામ છે. સૌ૦ ૧૩
જ્યાં ગૃહિલીંગ અનંતા, સિદ્ધિ પદ પામ્યા સંતા; પંચમ કાલે એ મુક્તિનું મુકામ છે. સૌ૦ ૧૪ જ્યાં કમલસૂરિ ગુણ ગાવે, તે લાભ અનંતો પાવે; જાત્રા કરવા હૈડાને મોટી હામ છે. સૌ૦ ૧૫
(૩૨
પ્રભુજી જાવું પાલીતાણા શહેર કે, મન હરખે ઘણું રે લોલ; પ્રભુજી સંઘ ઘણેરાં આવે કે, એ ગિરિ ભેટવા રે લોલ, પ્રભુજી આવ્યું પાલીતાણા શહેર કે, તલાટી શોભતી રે લોલ. ૧ પ્રભુજી ગિરિવર ચઢતાં કે, મન હરખે ઘણું રે લોલ; પ્રભુજી આવ્યો હીંગલાજનો હડો કે, કેડે હાથ દઈ ચડો રે લોલ, ૨ પ્રભુજી આવી રામ જ પોલ કે સામી મોતીવસહી રે લોલ; મોતીવસહી દીઠે ઝાકઝમાલ કે, જોવાની જુગતી ભલી રે લોલ. ૩
For Private And Personal Use Only