Book Title: Bandhswamitva Tritiya Karmgranth Author(s): Ramyarenu Publisher: Rander Road Jain Sangh View full book textPage 8
________________ દીક્ષા દુર્લભ એ સમયમાં પણ આપે ધર્મપત્ની, બે પુત્રો, ચાર પુત્રી, ભત્રીજી વિગેરે બધાને સાથે લઈને સંયમયાત્રા શરૂ કરી પરિણામે પરિવારના.... ભાગ્યેશવિજય મ.સા.,મહાયશવિજયમ.સા. (સુપુત્રો) રમ્યગુણાશ્રીજી મ.સા.(ધર્મપત્ની) હર્ષગુણાશ્રીજી મ.સા.,હેમગુણાશ્રીજી મ.સા., દિવ્યગુણાશ્રીજી મ.સા., ભવ્યગુણાશ્રીજી મ.સા. (સુપુત્રીઓ) મહાયશાશ્રીજી મ.સા. (ભત્રીજી) દિક્ષીતરત્નો થયા. પૂજ્યપાદદાદા ગુરૂદેવ ભદ્રસૂરીશ્વરજી મહારાજાનાં પાવન આશિષવાસક્ષેપ અને પૂજ્યપાદ ગુરૂદેવ આભશ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજાનાં ચરણે જીવન સમર્પિત કરી, ગુરૂપારતશ્ર્ચતા, પરમાત્મપ્રત્યે પૂર્ણશ્રદ્ધા, તપશ્ચર્યા અને જાપને આપે આપનાં તરવાનાં પ્રમુખ સાધન બનાવ્યા. ગૃહસ્થ જીવનમાં માસખમણ, ૧૬ ઉપવાસ, વરસીતપ, ચત્તારિઅટ્ઠ-દસ-દોય, ૧૦, ૧૧, ૧૨, ૧૫, ૧૩, ૯ ઉપવાસ, અનેક અઠ્ઠાઈઓ છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપશ્ચર્યા કરનાર આપશ્રી મુનિજીવનમાં પણ તપશ્ચર્યાના ક્ષેત્રે આગળ વધતા રહ્યા. વાકડીયા વડગામ નગરે(રાજ.) ૫૧ ઉપવાસ, ભદ્રતપ,, સિદ્ધિતપ, શ્રેણિતપ, સિંહાસન તપ, અઠ્ઠાઈઓ, અટ્ટમો, વીરગણધરતપ, ધર્મચક્ર તપ, ૬૫ વર્ધમાન તપની ઓળી, આયંબિલ સાથે સિદ્ધાચલની ૯૯ યાત્રા, નવપદની ઓળી... એ આપની તપશ્ચર્યા અપ્રમત્તતાનો આદર્શ હતો. ગૃહસ્થજીવનમાં પણ ૩૦મા ઉપવાસે આપ, સૌને ભાવનામાંપ્રભુભક્તિમાં તન્મય બનાવતાં, ૫૧ ઉપવાસમાં પણ આપ કદી દિવસે ન સૂતાં, તેમ ક્યારેય દિવાલનો ટેકો પણ ન લીધો... જાપ... આપની આંગળી... નવકારવાળી... આપનું હૃદય... પરમાત્માનું નામ... બધું જ જાણે દિવસે કે રાત્રે એકાકાર હતું... વૈયાવચ્ચ આપનો અમર વૈભવ હતો, જીવનના છેલ્લા દિવસ સુધી આપ વડીલોનું અને સઘળા સ્થાપનાચાર્યજીનું પડિલેહણ કરવાનું ચૂક્યા નહિં. ચંદ યશવિજય ૫૧ ઉપવાસPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 322