________________
આને બદલે, કોઈ માણસ એમ વિચાર કરે કે કંઈ નહિ, પેલો બહાર ગયો છે, લાવને થોડી મીઠાઈ લઈ લઉં!” અને એ લેવા જતાં જો એ પકડાય તો સમાજ કહેશે કે એની જીભ એના કાબૂમાં નથી, જીભનો દોરવાયેલો એનો હાથ એ લેવા જાય છે. એટલે, હાથના અને જીભના દોષથી એના દેહને દંડ મળે છે. આ રીતે જો આપણે વિચાર કરીશું તો આપણને આ સજા કરાવનારું કોણ છે, તે આપણને તરત જડી આવશે.
તમે જોઈ શકશો કે આપણી દેહજન્ય, અનિયંત્રિત વૃત્તિ જ આપણને આ સજ કરાવે છે, આપણા દેહમાં પડેલાં દાનવતાનાં લક્ષણો જ આપણને આમ હેરાન કરે છે. પણ આપણે જે એના ઉપર કાબૂ મેળવી શકીએ તો હું માનતો નથી કે દુનિયામાં આપણને પછી કોઈપણ હેરાન કરી શકે.
એટલે, આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે-આ પાંચ ઈન્દ્રિયો કે જે આપણા દેહનાં સાધનો છે, તેમની પાસેથી દેહ કામ લે છે. કોઈ વાર એ આંખ પાસેથી કામ લે છે. કોઈકવાર એ મોઢા પાસેથી કામ
છે, કોઈકવાર એ કાન પાસેથી કામ લે છે, * કોઈકવાર એ નાક પાસેથી કામ લે છે, અને