________________
૩૭
સ્મશાનમાં સૂવાનું છે, અને ઝૂંપડામાં રહીને સંતોષથી રોટલો ખાનારને પણ એ જ સ્મશાનમાં સૂવાનું છે. આ ગરીર્મી-અમીરી તો થોડા દિવસની- મનની વાત છે. માનવી જન્મે છે ત્યારે ઉઘાડો આવે છે, જાય છે ત્યારે પણ એ દશામાં જ હોય છે. વચ્ચેનું આ બધું મન અને માન્યતાનું તોફાન છે, અને આ તોફાન પણ આખર તો પૂરું થવાનું જ છે. આ સમજ પછી મારે રાજ્ય સત્તાનો મોહ શો?” - કાશીરાજ સાચા સમજભર્યા હદય પરિવર્તનથી દ્રવિત થઈ કોશલરાજને પ્રેમથી ફરી ભેટી પડે છે. બને મિત્રો બને છે. ક્ષમા અને પ્રેમની સુરભિ સર્જાય છે. ભગવાન મહાવીરના જમાનામાં આ પ્રસંગથી એક નવી હવા પ્રસરે છે.
જગતે ત્યારે એવું માનવી માનવનું દિલ, અર્પણ અને નિર્દભ ત્યાગથી જીતી જાય છે.
આપણો કલાક હવે પૂરો થયો છે. બીજી વધારે મોટી તત્ત્વજ્ઞાનની વાત તો શું તેડું? મને તો એટલો જ વિચાર આવ્યો કે શાનિથી એકાદી વાત કરું, જે વાત તમારા મગજમાં રહે અને જ્યારે તમારે ઘેર પાછા. જવાનો વખત આવે ત્યારે, તમે એ વાતને સાથે લેતા જવ. તમે જ્યારે ઘેર જશો ત્યારે તમારા મગજમાં