Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 37
________________ (૧.૧) વિભાવની વૈજ્ઞાનિક સમજ ! આપ્તવાણી-૧૪ (ભાગ-૧) જ આવા ભાવો એની મેળે જ ઊભા થયા કરે છે, ક્રોધ-માન-માયાલોભ ઊભાં થયા કરે છે અને તેમાંથી પછી પરંપરા ચાલુ થાય છે. પછી બીજ નાખે ને પાછું એમાંથી ફળ આવે. એ ફળ પાછું બીજ નાખે ને બીજમાંથી પાછું ફળ આવે, એમ ચાલુ જ રહ્યું પછી. ક્રોધ-માન-માયા-લોભ આત્માના વ્યતિરેક ગુણ છે, પોતાના નથી. બીજા છે માટે આ ઊભા થાય છે. આ જડનાય નથી અને ચેતનનાય નથી, વ્યતિરેક ગુણ છે. અને જ્ઞાન, દર્શન, શક્તિ, આનંદ અને અક્રિયતા એ બધા આત્માના અન્વય ગુણો છે. સ્વભાવિક તે વિભાવિક પગલ ! પ્રશ્નકર્તા : એક સત્સંગમાં એવી રીતે નીકળેલું કે ‘વિશેષભાવથી શું થયું ?” ત્યારે કહે, ‘મિકેનિકલ ચેતન ઊભું થયું, પુદ્ગલ ઊભું થયું, પૂરણ-ગલનવાળું. એ સ્વરૂપ જ્યાં સુધી આપણું છે ત્યાં સુધી છૂટાય નહીં.’ તો આમાં મિકેનિકલ ચેતન, પુદ્ગલ અને પૂરણ-ગલન, વિશેષભાવ પછી આ ત્રણ વસ્તુ ઊભી થઈ છે ? દાદાશ્રી : ત્રણેય એક જ છે. બધું મિકેનિકલ છે. પુદ્ગલ એનો અર્થ જ મિકેનિકલ છે. મિકેનિકલનો અર્થ શું ? એની મેળે ચાલ્યા કરે, ચંચળ જ રહે, એનું નામ મિકેનિકલ, નિરંતર ચંચળ રહે, એનું નામ પુદ્ગલ. પ્રશ્નકર્તા : પણ મૂળ સ્વરૂપે પુદ્ગલ વિશ્રા છે ? દાદાશ્રી : હા, મૂળ સ્વરૂપે વિશ્રસા છે. પ્રશ્નકર્તા : તો આ બાજુ આત્મામાં વિશેષભાવ થવાથી, પેલામાં આ પુદ્ગલ ઉત્પન્ન થાય છે ? દાદાશ્રી : આત્માનો વિશેષભાવ અહમ્ભાવ છે અને પુદ્ગલનો વિશેષભાવ પૂરણ-ગલન છે. અહમ્ ગયો એટલે પૂરણ-ગલન ગયું. મૂળ શુદ્ધ પરમાણુ થયાં તે પણ સ્વભાવિક પૂરણ-ગલનનો સ્વભાવ છે. પ્રશ્નકર્તા : એટલે પોતાનો જ્યાં સુધી અહમૂકાર છે, એ વિલય પામે એટલે પછી પેલામાં જે પુદ્ગલ છે, એ પુદ્ગલના બંધ, એની પણ નિર્જરા થતી જાય પછી ? દાદાશ્રી : આ વિશેષભાવ જેટલો ઓછો થતો જાય એટલું પુદ્ગલ ઓછું થતું જાય, બધું ઓછું જ થઈ જાય. અહંકાર ઓછો થાય ને વિલય પામે એટલે પેલા બધા વિલય થવા માંડે. મૂળ પહેલો આત્માનો વિશેષભાવ ઉત્પન્ન થાય છે ને પછી પુદ્ગલનો વિશેષભાવ ઉત્પન્ન થાય છે. પ્રશ્નકર્તા : એટલે આનો અર્થ એમ કે જે શુદ્ધ પરમાણુઓ છે, વિશ્રસા સ્વરૂપે છે, એને આવું પુદ્ગલ નથી, પૂરણ-ચલન નથી ? દાદાશ્રી : તેમાં આવું કશું હોય નહીં ને ! છતાં એ સ્વભાવથી જ ક્રિયાકારી છે. પ્રશ્નકર્તા : એટલે સક્રિય છે ? દાદાશ્રી : હા, સક્રિય છે, પણ એને પૂરણ-ગલન જ કહેવાય છે. પુદ્ગલ તો શેને કહેવાય ? મિશ્રચેતન એને જ પુદ્ગલ કહેવાય. બીજા બધાને પુદ્ગલ ના કહેવાય. બીજુ બધું તો પૂરણ-ગલન કહેવાય. પ્રશ્નકર્તા : તો પછી પરમાણુ અને પુગલ એ બેમાં ફેર થયો ? દાદાશ્રી : હા, પરમાણુ અને પુદ્ગલમાં ફેર છે. એક તો શુદ્ધ પુદ્ગલ હોય છે, અને બીજું વિશેષભાવી પુદ્ગલ છે. શુદ્ધ પુદ્ગલ પરમાણુ સ્વરૂપે છે, છતાં એ પરમાણુ સ્વભાવથી ક્રિયાકારી છે. એટલે શું કે અહીં બરફ પડતો હોય તો એમાંથી મોટું મહાવીરના પૂતળા જેવું થઈ ગયું હોય. એ પાછું ઓગળી જાય એટલે પૂરણ થાય, પાછું ગલન થાય. એ શુદ્ધ પુદ્ગલ કહેવાય. અને બીજું આત્મા અને પુદ્ગલના પરમાણુ ભેગા થવાથી ઉત્પન્ન થયેલું છે, એ વિશેષભાવી પુદ્ગલ છે, એમાં લોહી, હાડકાં, માંસ, એ બધું વિશેષભાવી પુદ્ગલ

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168