Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 117
________________ ૧૭૦ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) (૧.૧૨) ‘’ સામે જાગૃતિ ! ૧૭૧ છે, અહંકાર જાણે છે, તો અહંકાર તો લઈ લીધો તમે, પછી ક્યાં રહ્યો જાણનારો ? દાદાશ્રી : ના, એ તે દહાડે જાણ્યું એટલે તો એનું બધું છૂટી ગયું બિચારાનું. એ જાણીને છૂટી ગયો. ‘હુંપણુંય છોડી દીધું ને માલિકીયે છોડી દીધી ને અહંકારેય છૂટી ગયો. બધું ખલાસ થઈ ગયું તે દહાડેથી. જીવતો અહંકાર ખલાસ થઈ ગયો, આ ડિસ્ચાર્જ રહ્યો. પ્રશ્નકર્તા : તો પછી આ અહંકારને કોણ જાણે છે ? દાદાશ્રી : આત્મા જાણે છે. જ્યારે અમે આ લાઇન ઑફ ડિમાર્કેશન મારીએ, ત્યારે અહંકાર (એટલે આઈ વીથ ચંદુ), બુદ્ધિ સહિત સમજી જાય કે આ મારું અસ્તિત્વ જ ખોટું છે. અને શુદ્ધાત્માને જાણી જાય કે આ જ છે. મૂળ સ્વભાવ શુદ્ધાત્મા, એટલે એને સોંપી દે. પછી બધું છૂટું થઇ જાય. આમાં ક્યાં સમજવાની ભૂલ થાય ? શુદ્ધાત્માને જાણી જ જાયને, આમ ને આમ ના જાણે. અજ્ઞાની માણસને આત્મા જાણવા માટે આખાં બધાં શાસ્ત્રો મૂક્યાં. આ તો હું જ્ઞાન આપું ત્યારે શુદ્ધાત્માને જાણવાનું થાય, નહીં તો શી રીતે જાણી શકે ? અને એ જાણે તે દહાડે પોતાનું અસ્તિત્વ ખલાસ થાય. જ્યારે અહંકાર છે તે બુદ્ધિ સહિત આત્માને જાણે ત્યારે એનું પોતાનું અસ્તિત્વ ખલાસ થાય. એટલે આ વાક્ય બહાર લઇ જવાનું નહોય. જો જો આ વાતો, આત્મિક વાક્યો બહાર લઇ જઇએને તો બહાર ગોટાળો ઊભો થઇ જશે. તમારું કહેવું ખરું છે કે “અહંકાર આત્મા જાણે છે એવું કહે, પછી લોકો જાણે કે આ લોકો ઊંધા ચાલે છે. બાકી, અહંકાર આત્માને ક્યારેય પણ ન જાણી શકે. ફક્ત જ્ઞાની પુરુષ જ્ઞાન આપે ત્યારે અહંકાર પોતે સમજે છે કે આ મારું સ્વરૂપ ન હોય. ‘આ’ જ છે તે, હું તો વચ્ચે વગર કામનો છું, પોતાનું અસ્તિત્વ જ એ ડિઝૉલ્વ કરી નાખે છે. પ્રશ્નકર્તા : પછી તે આત્મા અહંકારને જુએ ને ? દાદાશ્રી : આત્મા તો અહંકારને પહેલેથી જોતો'તો. આ સંસારીનેય આત્મા તો જુએ કે “મારો અહંકાર વધી ગયો, ઘટી ગયો.” ના જાણે ? એને જાણનારો કોણ હશે ? “મારી બુદ્ધિ વધી ગઇ છે, મારી બુદ્ધિ અવળી ચાલે છે, ઊંધી ચાલે છે', બધું જાણનારો કોણ ? પ્રશ્નકર્તા: અહંકાર આત્માને જાણે છે, એ જરા બરાબર નહીં સમજાયું. દાદાશ્રી : એ જાણતો જ નથી. આ તો આપણી ભાષામાં વાત છે, વાસ્તવિકતામાં. બહારની ભાષામાં નથી આ. જ્યારે અમે જ્ઞાન આપીએને ત્યારે જ એ અહંકાર છૂટી જાય છે, ત્યાં સુધી એ અહંકાર જતો રહેતો નથી. અમે જ્ઞાન આપીએ ત્યારે, જ્ઞાનમાં “એ' સ્તબ્ધ થઈ જાય છે કે આમાં મારો સ્કોપ ક્યાં આગળ ? મારું માલિકીપણું ક્યાં ને મારો સ્કોપ ક્યાં ? તે વખતે લાઈન ઑફ ડિમાર્કશનમાં સમજી જાય છે એમાં, કે આ જ શુદ્ધાત્મા છે એટલે એ પોતે ‘હુંપણું ત્યાં છોડી દે છે. અહંકાર પોતે છોડી દે છે. આ આત્માને જાણી જાય છે કે આત્મા જ છે. આ જ માલિક છે. એટલે તરત કુંચી સોંપી દે છે. જેમ સાચો પ્રેસિડન્ટ આવે તો આ ઝેલસિંઘને (વચગાળાના પ્રેસિડન્ટને) છોડી દેવું પડે કે ના પડે કે ઝેલસિંઘ પછી બૂમાબૂમ કરે ? પ્રશ્નકર્તા : પણ જ્ઞાન થાય છે એટલે અહંકાર જાય છે ને ? દાદાશ્રી : પહેલું જ્ઞાન નથી થતું, પહેલો અહંકાર જાય છે. પછી જ્ઞાન થાય છે. અહંકાર જાય છે શેનાથી ? વિરાટ સ્વરૂપના પ્રતાપથી અહંકાર જાય છે. પ્રશ્નકર્તા : પેલુ અહંકાર છૂટે એટલે પોતે મૂળ વસ્તુમાં બેસી ગયો, કીધું. તો મૂળ વસ્તુથી જુદો પડ્યો’તો, એવું પણ કહી શકાય ને ? દાદાશ્રી : ના. એવું જુદું પડ્યો'તો એવું કશું નહીં. જુદો પડ્યો’તો ને બંધ થયો તો એવું નહીં. આ બધી રોંગ બિલીફો હતી, તે ઊડી ગઈ. પ્રશ્નકર્તા : પણ એમ ના કહેવાય દાદાજી કે આ અહંકાર ઊભો

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168