Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 1
________________ સમાયો સિદ્ધાંત, આપ્તવાણીમાં ! પ્રશ્નકર્તા : દાદા, આપે આપ્તવાણીમાં તો બધાં શાસ્ત્ર અંદર મૂકી દીધાં છે. પ્રત્યેક પ્રશ્નનો તરત ઉકેલ જડી જતો હોય છે, સ્વયંભૂ ઉકેલ ! દાદાશ્રી : શાસ્ત્રોમાંય આવું તો હોય નહીં. આપ્તવાણીમાં તો આખો સિદ્ધાંત મૂકેલો છે. સિદ્ધાંત એટલે અવિરોધાભાસ. જ્યાંથી જુઓ ત્યાંથી તાળો મળે એવો આ સિદ્ધાંત કહેવાય છે. એટલે આપણું આ અક્રમ વિજ્ઞાન આખું સૈદ્ધાંતિક સ્વરૂપે છે. જ્યાંથી પૂછો ત્યાં સિદ્ધાંતમાં જ પરિણમે, કારણ કે સ્વભાવિક જ્ઞાન છે આ. કોઈ પણ વસ્તુ જ્ઞાનમાં આવેલી, ફરી એ વસ્તુ અજ્ઞાનમાં ન જાય, વિરોધાભાસ ઉત્પનન ના થાય, દરેકના સિદ્ધાંતને હેલ્પ કરી કરીને સિદ્ધાંત આગળ વધતો જાય ને કોઈનોય સિદ્ધાંત તોડે નહીં. આગળ જે વીતરાગો થઈ ગયા, તેમનો જ સિદ્ધાંત છે આ. આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ.' ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો શ્રેણી ૧૪ ભાગ -૧ E આપ્તવાણી શ્રેણી-૧૪

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 168