Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 130
________________ (૨.૧) પરિભાષા, દ્રવ્ય-ગુણ-પર્યાય તણી ! ૧૯૫ ૧૯૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) પ્રશ્નકર્તા : આત્માનો એક ભાગ છે, જે પર્યાય, એ ફરતું છે, એને કરવાનું છે ને ? દાદાશ્રી : કરવાનું તો કશું કોઈને છે જ નહીં. આ સોનું છે ને, તે સોનાના ગુણધર્મ કોઈ દહાડો આઘાપાછા થતા નથી. પણ એની જે વીટીં થાય, ફલાણું થાય, જાત જાતના દાગીના બધી અવસ્થાઓ થાય એ બધી ફર્યા કરે પણ સોનું તેનું તે રહે. પ્રશ્નકર્તા : હવે જે આત્મદર્શન થાય એ તો પર્યાયમાં થાય ને, બીજે ક્યાં થાય ? દાદાશ્રી : નહીં, પહેલું ‘એને' (વિભાવિક ‘હું'ને) દર્શન થઈ જાય. એને શ્રદ્ધા બેસી જાય. પ્રતીતિ થાય કે હું છું આ. પછી એ અનુભવ થઈ જાય. એટલે પહેલાં અશુદ્ધ પર્યાય હતા, તે શુદ્ધ પર્યાય થઈ ગયા. પ્રશ્નકર્તા : હવે દ્રવ્ય-ગુણ આ પ્રમાણે જે છે એની અનુભૂતિ તો થવી જોઈએ, તો જ આત્માની આપણને અનુભૂતિ થઈ કહેવાયને ? દાદાશ્રી : બરોબર છે. અનુભૂતિ તો મુખ્ય વસ્તુ છે ને ! આપણને તો એટલું જ જોઈએ કે આ આવરણ તૂટ્યાં. પ્રશ્નકર્તા : આ જે અનુભૂતિ થાય છે એ તો પર્યાયને થાય છે - દાદાશ્રી : એ (મૂળ) આત્માના પર્યાય શુદ્ધ હોય. ગુણોય શુદ્ધ હોય ને પર્યાયેય શુદ્ધ હોય. પ્રશ્નકર્તા : તો અત્યારે આ બધું ચિત્તનું ફંક્શન હોય ? પ્રજ્ઞાનું ફંકશન હોય ? દાદાશ્રી : હા, એ તો બધા ગુણ ને પર્યાય શુદ્ધ થાય તો ‘પોતાને કેવળજ્ઞાન થઈ જાય. એટલે આ ત્યાં સુધી પ્રજ્ઞા જુદી રહે. પ્રશ્નકર્તા : હંઅ. તો તે ઘડીએ આત્માના પર્યાય હોય ને ? દાદાશ્રી : હા, પણ (વિભાવ દશા પછીના) પર્યાય શુદ્ધ થાય ને ગુણ પણ શુદ્ધ થાય તો પછી “એને કેવળજ્ઞાન થાય. એટલે પેલું બાકી હોય તેને લઈને આ બધું જુદું હોય. પ્રશ્નકર્તા : બરોબર. એટલે ગુણ તો શુદ્ધ જ હોય ને ? ગુણને પણ શુદ્ધ થવાનું બાકી રહે છે ? દાદાશ્રી : ગુણનેય શુદ્ધ થવાની જરૂર. પ્રશ્નકર્તા : એ કઈ રીતે ? દાદાશ્રી : આ બધું ડિસ્ચાર્જ કર્મો શુદ્ધ ઉપયોગપૂર્વક ખપે ત્યારે એનો ગુણ શુદ્ધતાનું ફળ આપે, નહીં તો આપે નહીં. તો જ કેવળજ્ઞાન થાય, નહીં તો થાય નહીં. અત્યારે ગુણ આવરણવાળા હોય. દ્રવ્ય, ગુણે કરીને શુદ્ધ જ છે (વ્યવહાર) આત્મા બધાનો, પણ પર્યાયે કરીને અશુદ્ધ થયેલો છે. આમાં પર્યાયનું શુદ્ધિકરણ થઈ ગયું, તે થઈ ગયો પૂર્ણ શુદ્ધાત્મા. પ્રશ્નકર્તા : અશુદ્ધ ચિત્તને આત્માના પર્યાય સાથે શું સંબંધ છે? દાદાશ્રી : બુદ્ધિ અને ચિત્ત એ પ્રતિષ્ઠિત આત્મા(“હું” – વિભાવિક આત્મા)નું કહેવાય છે, કારણ કે બુદ્ધિ એ આશયયુક્ત છે. આ જ્ઞાનદર્શન છે તે ગુણે કરીને ભરપૂર છે, પણ અવસ્થાએ કરીને સીમિત છે. આ ચિત્ત છે તે બુદ્ધિના પર્યાયો છે. એ પર્યાયો અશુદ્ધ થયેલા હોય દાદાશ્રી : મૂળ દ્રવ્ય-ગુણ-પર્યાય બધાનો ભેગો જ અનુભવ ‘હું'ને થઈ જાય, એકલા પર્યાયને જ ના થાય, જોડે જ હોય બધું. ગુણ વગર પર્યાય હોય જ નહીં. પર્યાય ના હોય તો ગુણ ના હોય. અવિનાભાવી છે બધા. એટલે સાથે જ અનુભવ થઈ જાય છે. શુદ્ધ ચિત્ત પર્યાય રૂપે, શુદ્ધાત્મા દ્રવ્ય-ગુણરૂપે ! પ્રશ્નકર્તા : આત્મા આ દેહમાં છે અને પર્યાય સાથે છે, તો આ અશુદ્ધ ચિત્ત, પ્રજ્ઞા અને આત્માના પર્યાય એનો શું સંબંધ હોય

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168