Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 137
________________ (૨.૨) ગુણ-પર્યાયના સાંધા, દશ્યો સાથે ! આપો તો કંઈ સમજાય ને કે આ આત્માનો પર્યાય. દાદાશ્રી : પર્યાય શબ્દ આવે ને ? એ હજુ સ્વભાવના પર્યાય ના હોય આ, આ વિભાવના પર્યાય છે. પ્રશ્નકર્તા : પણ સ્વભાવના પર્યાય કેવા હોય ? ૨૦૯ દાદાશ્રી : સ્વભાવના પર્યાય શુદ્ધ જ હોય. પ્રશ્નકર્તા : હા, પણ એમાં કંઈ વિવિધતા હોય કે એક જ પ્રકાર હોય ? દાદાશ્રી : એમાં વિકલ્પ ભાવ હોય નહીં ને ! પેલી માન્યતાઓ ના હોયને ! સ્વભાવથી જ હોય અને આ તો માન્યતાઓ બધી, વિકલ્પો. સંકલ્પ-વિકલ્પ. (બધું વિભાવના પર્યાયમાં હોય.) પ્રશ્નકર્તા : પુદ્ગલ પર્યાય તો સમજાય પણ આત્માના પર્યાય કેવા હોય ? એ દાખલો આપીને સમજાવો. દાદાશ્રી : સૂર્યનું જે તેજ, અજવાળા નામનો ગુણ છે એ એનો ગુણ કહેવાય. કિરણો છે એ પર્યાય છે. એનો જે ગુણ છે, એ કાયમનો રહે. અને આ પર્યાય છે તે પાછા ઊડીયે જાય. પર્યાય વિનાશી છે. પ્રશ્નકર્તા : પણ આમાં તો અજવાળાનાં કિરણ હોય છે, તો આત્મામાં જ્ઞાન-દર્શનના પર્યાય કેવા હોય ? દાદાશ્રી : એ જ્ઞાન એ પ્રકાશ છે. અને જ્ઞાન થકી જાણવું એ પર્યાય છે. જાણવું-જોવું એ બધા પર્યાય. જે મૂળ સ્વભાવ છે એ કાયમનો હોય અને પર્યાય તો બદલાયા કરે, જે જાણવું-જોવું બદલાયા કરે એ એનું નામ પર્યાય કહેવાય. પ્રશ્નકર્તા : પણ શેય જે જાણવાનું અને જોવાનું છે, એ જ્ઞેય તો પૌદ્ગલિક છે, તો એમાં આનો પર્યાય ક્યાં ગણાય ? દાદાશ્રી : પણ એ જ્ઞાનને પર્યાય છે. જ્ઞાનના પર્યાયથી ‘તમે’ શેયને જાણી શકો. એ પર્યાય પછી નાશ થઈ જાય અને જે જ્ઞાન છે આપ્તવાણી-૧૪ (ભાગ-૧) એ કાયમને માટે રહે, એ ગુણ છે આત્માનો. જ્ઞાન અને દર્શન એ બે કાયમના ગુણો છે. કેટલાયે બીજાં ગુણો છે એવા કે જે કાયમના છે. ૨૧૦ પ્રશ્નકર્તા : આ પુદ્ગલને અનુલક્ષીને જે પર્યાય ઉત્પન્ન થાય છે એ તો સમજાયું. પણ કે આત્માના સ્વતંત્ર પોતાના પર્યાયો ખરા કે જે ક્યાંય પુદ્ગલની જોડે સંબંધમાં નથી આવતા ? દાદાશ્રી : સ્વતંત્ર પર્યાય સિવાય આત્મા હોય નહીં. પ્રશ્નકર્તા : પુદ્ગલ ના હોય તો આત્માના પર્યાય જ ના હોય ને ? દાદાશ્રી : એટલે આ આત્માના ગુણ અને પર્યાય તો હોય જ, નહીં તો આત્મા જ હોય નહીં. એ માન્યતા જ રોંગ પછી. શેમાં લખેલું છે આવું ? પ્રશ્ન જ ના હોય આવો. પુદ્ગલ ના હોય એટલે ? પુદ્ગલ ના હોય, તો બીજું હોય, ત્રીજું હોય, પણ આ જે જોવા-જાણવાની ક્રિયા છે, ગુણ એ વપરાયા વગર રહે નહીં, નિરંતર ચાલુ. સિદ્ધક્ષેત્રમાંય વપરાયા કરે નિરંતર, ચોવીસેય કલાક. એ આત્માને આપણે શ્રદ્ધેલો કામનો, નહીં તો પછી જે આત્મામાં આપણે પર્યાય ના સમજીએ ને, તો એ શ્રદ્ધા ખોટી છે. આત્મા દ્રવ્ય, ગુણ અને પર્યાય સહિત જ હોય. પ્રશ્નકર્તા : એટલે સિદ્ધક્ષેત્રમાંય પર્યાય ખરા ? દાદાશ્રી : બધેય પર્યાય. જ્યાં આત્મા છે ત્યાં ગુણ અને પર્યાય, બેઉ સાથે હોય. પ્રશ્નકર્તા : પુદ્ગલની જોડે ક્યાંય સંબંધ લાગુ પડતો નથી એવા આત્માના સ્વતંત્ર પર્યાયો કયા ? દાદાશ્રી : હોય, બધાય પર્યાયો જ હોય ને ! પ્રશ્નકર્તા ઃ દાખલો આપી શકાય ? દાદાશ્રી : બધા દાખલા છે ને ! પર્યાય હોય, તે પુદ્ગલ છે એને જોયા વગર રહે જ નહીં. પુદ્ગલ સિવાય બીજી વસ્તુઓ જોઈ

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168