Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 139
________________ (૨.૨) ગુણ-પર્યાયના સાંધા, દેશ્યો સાથે ! ૨૧૩ ૨૧૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) (વિભાવિક આત્માનું) (જ્ઞાની પદમાં) જ્ઞાન શુદ્ધ, પર્યાય શુદ્ધ નહીં. પ્રશ્નકર્તા : જ્ઞાન શુદ્ધ અને પર્યાય શુદ્ધ નથી, છતાં એ જુએજાણે છે ? દાદાશ્રી : હા. આ દાદાને જે છે તે વીતરાગતા. પર્યાયમાં પણ એમને રાગ-દ્વેષ નહીં આવવાના. છતાં પણ ‘આ સારું છે ને તે ખોટું છે એવું જાણે. એનાથી નીચેના ભાગમાં બુદ્ધિ જેવું પદ, એ હોય છે, જે પૌગલિક ગણાય છે. એમાંથી રાગ-દ્વેષ હલ થાય. (કારણ કે બુદ્ધિ જે જુએ-જાણે તેમાં અહંકાર ભળેલો હોય તો રાગ-દ્વેષ થાય) અને આ દેશ્ય શું છે ? એ તો એના ચાર ભાગ કરવા સારા. એક દ્રષ્ટા, બીજો દ્રષ્ટા, ત્રીજું દૃશ્ય અને ચોથું દશ્ય. પ્રશ્નકર્તા : પછી બીજો શેય અને બીજા જ્ઞાતા, અને પહેલો જ્ઞાતા અને પહેલો શેય પણ કહ્યુંને ? દાદાશ્રી : હા, જ્ઞાતા ને દ્રષ્ટા, એ બેઉ સાથે છે. પ્રશ્નકર્તા : એટલે બે રૂપે જ્ઞાતા ને દ્રષ્ટા, બે રૂપે દૃશ્યો અને બે રૂપે જોયો. દાદાશ્રી : બરોબર. જ્યારે શેયથી શુદ્ધતા આવી જાય છે (જ્ઞયમાં તન્મયાકારપણું છૂટે છે, શેયથી છૂટો થાય, શેયોનો વીતરાગતાથી જ્ઞાતા રહે એમ શેયોથી પોતાને શુદ્ધતા આવતી જાય છે), એટલે પાછો મૂળ સ્વરૂપ આવ્યો. પ્રશ્નકર્તા : આ વાત જરા ફરીથી કહો. દાદાશ્રી : શેયથી શુદ્ધતા આવી જાય એટલે ‘પોતે’ આખોય શુદ્ધ થઈ જાય, પર્યાય અને શેયથી. વિચારી જોજે, આ બહુ ઝીણી વાત છે. પ્રશ્નકર્તા ઃ એક વખત એવી વાત નીકળી હતી, બે પ્રકારના શેયો અવસ્થા રૂપે છે અને એક પ્રકારનું શેય તત્ત્વ સ્વરૂપે છે. દાદાશ્રી : એ તો આપણે ગણી જોયું, બાકી આમ બે ને બે ચાર જ ગણાય. આત્માનું જ્ઞાન, એનો સ્વભાવ બગડતો નથી. જ્ઞાન વીતરાગ જ હોય છે. પર્યાય એકલા જ બગડે. કારણ કે જ્ઞાન છે તે પરમેનન્ટ છે અવિનાશી છે અને પર્યાય છે તે અવસ્થાઓ છે, એ વિનાશી છે. જે અવસ્થાવાળું જ્ઞાન અને બુદ્ધિ ગણાય છે. તે વિનાશી છે. એ વિનાશીમાં આ દેખાય છે બધું. પ્રશ્નકર્તા : હવે, આપે એમ કહ્યું કે પહેલું દૃશ્ય પ્રતિષ્ઠિત આત્મા અને બીજું દૃશ્ય પ્રતિષ્ઠિત આત્માની ક્રિયાઓ, તો એને જે શુદ્ધ દેખાય છે એ શુદ્ધ દેખાવામાં... દાદાશ્રી : બેઉં, બેઉ. પ્રશ્નકર્તા : આ બન્ને દેખાયા કરે ? પ્રતિષ્ઠિત આત્મા ને એની ક્રિયાઓ. બે દ્રષ્ટા કીધા અને બે દેશ્ય કીધા, તો પહેલા દ્રષ્ટા પ્રતિષ્ઠિત આત્માને જુએ છે, એવું કહ્યું. દાદાશ્રી : કયો આત્મા ? પ્રશ્નકર્તા : પહેલો દ્રષ્ટા પ્રતિષ્ઠિત આત્માને જુએ છે, એટલે પ્રતિષ્ઠિત આત્મા પહેલું દૃશ્ય છે. અને પ્રતિષ્ઠિત આત્માની ક્રિયાઓ, એ બીજું દૃશ્ય છે અને બીજા દેશ્યને બીજો દ્રા એટલે પર્યાયો જુએ છે? દાદાશ્રી : હા. અને પહેલો દ્રષ્ટા પ્રતિષ્ઠિત આત્માને જુએ છે. પ્રશ્નકર્તા : તો જે શુદ્ધ દશા ઉત્પન્ન થઈ, ત્યારે એને આ બન્ને દેશ્યો હોય ? દાદાશ્રી : એક જ દેશ્ય હોય. પ્રશ્નકર્તા : કયું ? દાદાશ્રી : શુદ્ધ જ. શુદ્ધ અને અવિનાશી, શુદ્ધ વિનાશી હોય નહીં. શુદ્ધ તો અવિનાશી જ હોય હંમેશાં. એટલે શુદ્ધ ને એવી બધી અવિનાશી ચીજ જુએ, છયે તત્ત્વો. વિભાવિક આત્મા પર્યાય સ્વરૂપે વિનાશી છે અને જ્ઞાન સ્વરૂપે

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168