Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 134
________________ (૨.૧) પરિભાષા, દ્રવ્ય-ગુણ-પર્યાય તણી ! ૨૦૩ ૨૦૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) એમાંથી વિજ્ઞાન ઊભું થાય અને એનાથી મુક્તિ ઊભી થાય, બધું આમ જોડે જોડે થયા જ કરે. જુદા બન્નેતા પર્યાય, સંગદોષ અને એબ્સોલ્યુટતા ! પ્રશ્નકર્તા : પહેલો જે પર્યાય ઊભો થઈને આપણને જોવામાં આવ્યો, કર્મફળરૂપે જ પર્યાય હોય છે, તો એ કર્મ ક્યારે બંધાયા ? દાદાશ્રી : કર્મનો ક્યાં સવાલ છે ? પર્યાય એ કર્મ નથી. ઇટર્નલ વસ્તુ કોનું નામ કહેવાય ? કોઈ પણ વસ્તુ ટર્નલ હોય તો એની અંદર ગુણ હોવા જ જોઈએ. ગુણ પરમેનન્ટ છે અને પર્યાય વિનાશી છે. આ રીતે આ જગત ઊભું થયેલું છે. પ્રશ્નકર્તા એને માટે આ લોકોએ એબ્સોલ્યુટ શબ્દ વાપર્યો ? દાદાશ્રી : તે એબ્સોલ્યુટ વસ્તુ જુદી છે અને એબ્સૉલ્યુટ જે છે ને, એય પર્યાય સહિત છે. પણ એના પર્યાય પછી જુદા હોય છે, આ પર્યાય જુદા છે. આ સંગદોષ પર્યાય છે. અનાત્માના સંગદોષથી તો આ પર્યાય છે. આ સંગ છુટ્ટો પડ્યા પછી પર્યાય પેલા ચોખ્ખા, ક્લિયર રહે છે. હવે આ કહે છે કે શેના આધારે આ બધું ચાલી રહ્યું છે ? તો નિયતિના આધારે. આ પ્રવાહની પેઠે વહી રહ્યું છે અને અનાદિથી પ્રવાહ વહ્યા જ કરે છે. હવે આમાં બુદ્ધિ શી રીતે કામ કરે ? આત્માઓ અનંત છે અને પુદ્ગલ એટલે પરમાણુ અનંત છે અને આમ સમરણમાં છે. એટલે બે સાથે થયા એનો સંગદોષ લાગ્યો છે. એ સંગદોષથી આ ઉત્પન્ન થયું ત્યારે સંગ તો છે, જ્યારથી છે ત્યારથી સંગદોષ છે. એટલે આ ઇટર્નલને શરૂઆત ન હોય. પ્રશ્નકર્તા : આપ હમણાં જ બોલ્યા કે ઉત્પન્ન થયું છે ? દાદાશ્રી : શબ્દ તો બોલવો પડે તમને સમજવા માટે કે ભઈ, તમને દેખાય છે તે શેના આધારે ? આ સૂર્ય આપણે સવારમાં ઊગે છે. ત્યાં ઊગ્યો કહેશે, અહીં આથમ્યો છે, ઇસ ધેટ ફેક્ટ ? પ્રશ્નકર્તા : ના, એ તો દેખાય છે. દાદાશ્રી : તારી સમજણમાં દેખાય કે નહીં ? એવું જ છે આ. અમને બધું દેખાય કે આવું કશું છે નહીં આ બધું. પેલાને ત્યાં એમ જ દેખાય કે સુર્ય ઊગ્યો અને આથમ્યો. એટલે એ લોકો માટે બરોબર છે, એને જેવું દેખાય છે, એવું એ બોલે છે. સૂર્યને એવું દેખાતું હશે ? સૂર્યને શું દેખાતું હશે ? પ્રશ્નકર્તા : સૂર્યની જગ્યાએ જઈને જુએ તો ઊગ્યો નથી ને આથમ્યોય નથી એમ આવે ને જવાબ ? દાદાશ્રી : હં. ઊગ્યોય નથી ને આથમ્યોય નથી. ઘણી ચીજો એવી છે કે જે પોતાની દૃષ્ટિ બહારની છે, આ બુદ્ધિની બહારની છે. પ્રશ્નકર્તા : એટલે બિગીનીંગલેસ, એન્ડલેસ. (શરૂઆત વગરનું, અંતહીન) આ બે વાક્યો ? દાદાશ્રી : એન્ડલેસ, બસ. પણ આ વાત સમજવા જેવી છે. પ્રશ્નકર્તા : ના, મને તો આ અનંતીના નિયમનું સમાધાન જોઈએ છે. દાદાશ્રી : બધા નિયમનું સમાધાન છે. પણ નિયમનું સમાધાન પદ્ધતસર સમજીને હોવું જોઈએ. જેમ આ સૂર્યના જેવું થાય છે. દરેક લોકો કહે છે, ઊગ્યો ને આથમ્યો. આત્મામાં એવા ગુણ છે, અનાત્મામાંય એવા ગુણ છે. ઉત્પન્ન થવું, વિનાશ થવું, ધ્રુવતા છોડવી નહીં. આ કાળ તત્ત્વમાંય એવા ગુણ છે. આ કાળ જે છે ને, ઉત્પન્ન થવું, વિનાશ થવું, ધ્રુવતા છોડતું નથી. આકાશમાંય એવા ગુણ છે. આકાશમાં ઉત્પન્ન થવું, વિનાશ થવું, ધ્રુવતા છોડતો નથી.

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168