Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 133
________________ (૨.૧) પરિભાષા, દ્રવ્ય-ગુણ-પર્યાય તણી ! ૨૦૧ ૨૦૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) પ્રશ્નકર્તા : પણ આમ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો પુદ્ગલના જે પર્યાય છે અને આત્માના પર્યાય છે એ બેમાં ઘણો તફાવત કહેવાય. એ બેની સરખામણી થાય નહીં. દાદાશ્રી : આ ચેતન છે ને આ જડ છે. પ્રશ્નકર્તા : હવે જડના જે પર્યાયો છે એની સરખામણીમાં આ જે ચેતનના જે પર્યાયો છે એ કેવા જતા હશે અને કેવી રીતે એની અસરો થતી હશે ? દાદાશ્રી : કશું અસર નહીં થાય. પેલા દેશ્ય રૂપે છે અને આ દ્રષ્ટા રૂપે છે, એકના એક જ જાતના. પેલા જોય રૂપે છે અને આ જ્ઞાતા રૂપે છે. ફિલ્મમાં જડ વસ્તુ આવે અને જોનાર ચેતન હોય. અને વસ્તુ તો એક જ ને બેઉ સ્પર્શ એક જ જાતનાને ! જો આત્માના પર્યાય ના બદલાતા હોય તો જ્ઞાતા-દ્રષ્ટા શી રીતે થાય ‘પેલો’ ? દૃશ્ય બદલાયા કરે એટલે પછી આત્માના પર્યાય બદલાય. પ્રશ્નકર્તા: આત્માના પર્યાય અને અવસ્થા બે એક જ કહેવાય ? દાદાશ્રી : બધું એક જ. એ અવસ્થા એટલે ફેરફાર થયો. પેલું દેશ્ય જે જોયું તે દ્રષ્ટા બદલાયા કરવાનો, એટલે આત્માને એ જોવાપણું બદલાયા કરવાનું. પણે બીજું દૃશ્ય આવીને ઊભું રહ્યું હોય તો આત્મા બીજું દૃશ્ય જુએ. શેયે ફેરફાર થાય અને આ જ્ઞાતાય ફેરફાર થાય. પ્રશ્નકર્તા : એટલે આત્માના પર્યાયને અવસ્થા કહી શકાય ? દાદાશ્રી : અવસ્થા શબ્દ હોય જ નહીં, આ તો બધું પર્યાય હોય પણ આ તો પર્યાય તમને સમજ પડે નહીં, માટે અવસ્થા શબ્દ બોલવો પડે છે. છું તોય નહીં સમજાતું. એ તો બહુ જ ઊંડી, બહુ ઝીણી વાત છે. પ્રશ્નકર્તા : હવે થોડું ઘણું સમજાવોને, દાદા. એટલે અમને સમજણ પડે. દાદાશ્રી : ના, એ બુદ્ધિમાં નથી ઊતરે એવી. એટલે આ અમે તમને કહીએ ને, એ તમને બુદ્ધિથી જેટલું સમજાય એટલું સમજો. પ્રશ્નકર્તા : પણ આત્માના પર્યાય એ જ નિજઅવસ્થા કહેવાય ? દાદાશ્રી : ના, ના, પર્યાય એકલી નિજઅવસ્થા ક્યાંથી ? એ તો ગુણ, દ્રવ્ય ને પર્યાય ત્રણેવ સાથે હોય એને નિજઅવસ્થા કહેવાય. સાથે ના હોય તો એ તત્ત્વ જ ના કહેવાય. દરેક તત્ત્વને ત્રણેવ સાથે હોય. જડ તત્ત્વને, ચેતન તત્ત્વને, બધાને હોય, નહીં તો તત્ત્વ જ ના કહેવાય. એટલે દરેક તત્ત્વ વ્યવહારથી વિનાશી છે અને નિશ્ચયથી બધા અવિનાશી છે. એટલે આ બધી બહુ ઝીણી વાતો, બહુ ઊંડા ઉતરવું એના કરતાં આપણને દાદાએ કહ્યું એ જ્ઞાતા-દ્રષ્ટા રહેવું અત્યારે. જ્ઞાતા-દ્રા શેમાં રહો ? ત્યારે કહે, આ ચંદુભાઈનું જે ચાલે છે એ જોયા કરવાનું. આ ઝીણું કાંતવા જતાં તો ભૂલા પડી જઈએ. એટલે આ જાડું શીખવાડ્યું છે એ રીતે સારું છે. જ્ઞાતા-દ્રષ્ટા, શેય આવ્યું કે જ્ઞાતા ઊભો થયો. દેશ્ય આવ્યું કે દ્રષ્ટા ઊભો થયો. શેય અને દેશ્ય અનેક હોય. શૈય અને દેશ્ય બદલાયા જ કરે, વારેઘડીએ. ધર્માસ્તિકાય એટલે કે ગતિસહાયક તત્ત્વય બદલાયા કરે, પેલા બીજા સનાતન તત્ત્વોય બદલાયા કરે. દરેક તત્ત્વો પરિવર્તન થયા કરે. આ બુદ્ધિ સાથે ઊંડા ઉતરવા જતાં વિકલ્પમાં ઘૂસી જાયને તો પછી ખરડાય ઊલટો, ડાઘ પડે. એના કરતાં આજ્ઞામાં રહેવું. પ્રશ્નકર્તા : ના, બરોબર છે. એ વાત ખરી છે. દાદાશ્રી : અર્જુનને જે જ્ઞાન પ્રાપ્ત થયું હતું, તે જ્ઞાન મેં તમને આપ્યું છે, ક્ષાયક સમકિત. એટલે આ આત્માની ઉપર જે પ્રતીતિ બેઠી. તે ખસે જ નહીં. અમારી આજ્ઞા પાળને એટલે પ્રતીતિ રહે. પછી પ્રશ્નકર્તા : તો અવસ્થા શબ્દ જ ખોટો છે ? દાદાશ્રી : ના, ના, અવસ્થા તમને સમજવા માટે કહેવું પડે, જાડી ભાષામાં. તમને પર્યાય સમજાય નહીં. પર્યાય તો તમને હું કહું

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168