Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 129
________________ (૨.૧) પરિભાષા, દ્રવ્ય-ગુણ-પર્યાય તણી ! ૧૯૩ ૧૯૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) જ છે. (અનંત જ્ઞાન, દર્શન, શક્તિ, સુખ, વિ. વિ... આવરણની અપેક્ષાએ વિભાવિક દશાના ગુણ કહીએ છીએ) ઘાતી ગુણમાંથી, અધાતી પર્યાયમાંથી.... પ્રશ્નકર્તા : પર્યાય એ પણ અનાદિ કાળની સત્ વસ્તુ છે કે કોઈએ ઉત્પન્ન કરેલી છે ? દાદાશ્રી : સત્ વસ્તુ કોને કહેવાય છે ? ગુણ અને પર્યાય બન્ને સહિત હોય તો સત્ કહેવાય. ગુણ હોય, પર્યાય ન હોય તો સત્ ના કહેવાય. પ્રશ્નકર્તા : તો પર્યાય કોણે ઉત્પન્ન કર્યા પછી ? દાદાશ્રી : ઉત્પન્ન કર્યા નથી, સ્વભાવથી જ છે. પ્રશ્નકર્તા : કોના સ્વભાવથી ? દાદાશ્રી : જે સત્ વસ્તુ છેને, એના સ્વભાવમાં જ ગુણ-પર્યાય છે. સ્વભાવમાં એટલે કોઈને ઉત્પન્ન કરવાની જરૂર નથી. કોઈ તે ઉત્પન્ન કરનારો પાક્યોય નથી, ઉત્પન્ન કરશેય નહીં. એવું કશું છે જ નહીં આ. પ્રશ્નકર્તા : તો પછી પર્યાય પણ કોઈ ઉત્પન્ન કરી નથી શકતું, તો કેવી રીતે માનીએ ? દાદાશ્રી : ના, પણ તે ઉત્પન્ન કરવાની જરૂર નહીં ને ! સ્વભાવથી જ છે. પ્રશ્નકર્તા : કોના સ્વભાવથી છે ? દાદાશ્રી : આ સૂર્ય છે ને, પ્રકાશ એનો પોતાનો ગુણ છે. અને જે આ કિરણો છે બહારના તે નિરંતર ફર્યા કરે. એ પર્યાય કહેવાય. એવી રીતે જ્ઞાન-દર્શન-શક્તિ-સુખ એ બધા આત્માના ગુણ છે. જ્ઞાનદર્શન-સુખ-શક્તિ, જેટલા ઘાતી કર્મ કહેવાય છે, એ બધા (વિભાવિક દશાના) ગુણ છે અને પર્યાય ક્યા? અઘાતી જે કહેવાય છે એ પર્યાય છે બધા. એટલે વેદનીય, નામ, ગોત્ર ને આયુષ્ય, એ બધા પર્યાયને લઈને ઊભા થાય છે. એટલે અત્યારે સિદ્ધગતિમાં જે બેઠા છે એ લોકો (સિદ્ધ) પોતાના સ્વરૂપમાં જ છે નિરંતર, મસ્ત. પોતાના ગુણ જ્ઞાન-દર્શન-સુખ એ બધું છે. એ પોતે જ્ઞાતા ને દ્રષ્ટા છે. એટલે જગતના જીવમાત્રને તે જુએ છે. પોતે જ્ઞાતા-દ્રષ્ટા એટલે એ એનો ગુણ હોવાથી એ બધાને નિરંતર જોઈ શકે છે. તે પણ આમ બહાર નથી જોતા, અંદર જ દેખાય છે નહીં. જેમ અરીસામાં દેખાયને એવી રીતે પોતાના દ્રવ્યમાં જ દેખાય છે. મહીં ઝળકે છે એને. હવે ઝળકે એ સવારનો પહોર હોયને, ચાર વાગે તે કોઈ ઊઠ્ય જ ના હોય, એટલે બધા સૂઈ રહેલા હોય તેવું દેખાય. પછી પાંચ વાગે હરફર થતી હોય થોડી થોડી થોડી એવું દેખાય. પછી છ વાગે વધુ થયેલું દેખાય. આઠ-નવ વાગે ફર ફર બધું, આખું ટોળેટોળાં ફરતાં હોય એવું દેખાય. પ્રશ્નકર્તા : ફેરફાર થયા કરે. દાદાશ્રી : આ લોકોમાં ફેરફાર થાય એ એમના પર્યાયો છે. એ એમને ત્યાં ફેરફાર દેખાય. હવે મેં હાથ ઊંચો કર્યો, એમના જ્ઞાનમાં પર્યાય થયો. જ્ઞાન કાયમનું, અવસ્થાઓ બધી ફર્યા કરે આ. એટલે દ્રવ્ય-ગુણ-પર્યાય એ આત્માના છે. પછી પુદ્ગલનાય દ્રવ્યગુણ-પર્યાય છે. પ્રશ્નકર્તા : આ દ્રવ્ય-ગુણ જે છે એ આત્મામાં દેખાય કે પર્યાયમાં દેખાય ? દાદાશ્રી : ગુણ તો કાયમનો સ્વભાવ. ગુણ એટલે શું ? નિરંતર સાથે રહેનારા. પ્રશ્નકર્તા : હવે એને તો કંઈ કરવાનું નથી, ગુણને તો ? દાદાશ્રી : કશું કરવાનું ન હોય.

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168