Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 119
________________ ૧૭૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) (૧.૧૨) ‘હું’ સામે જાગૃતિ ! ૧૭૫ પ્રશ્નકર્તા : દૃષ્ટિ એ દ્રષ્ટાનું કાર્ય છેને ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : તો દૃષ્ટિ શું છે ? દાદાશ્રી : દૃષ્ટિ તો અહંકારને છે. આત્માને દૃષ્ટિ ના હોય. આત્માને તો સહજ સ્વભાવે મહીં દેખાયા કરે, મહીં અંદર ઝળકે ! પોતાની અંદર જ બધું ઝળકે ! પ્રશ્નકર્તા : તો પછી આ આત્માને જાણનાર કોણ છે ? આત્મજ્ઞાન થાય છે તે કોને થાય છે ? દાદાશ્રી : એ અહંકારને દૃષ્ટિ થાય છે. પેલી મિથ્યાષ્ટિ હતી, તેના કરતાં ‘આમાં વધારે સુખ પડ્યું એટલે પછી એ અહંકાર ધીમે ધીમે આમાં ઓગળતો જાય છે. અહંકાર શુદ્ધ થયો કે એ શુદ્ધાત્મા જોડે ઓગળી જાય છે, બસ ! જેમ સાકરની પૂતળી હોય ને તેલમાં નાખીએ તો ઓગળે નહીં, પણ પાણીમાં નાખીએ તો ઓગળી જાય, એવી રીતે છે. એટલે શુદ્ધાત્માની દૃષ્ટિ* થઈ કે બધું ઓગળવા માંડે. ત્યાં સુધી અહંકાર છે. ભાનમાં ફેરફાર થયો. અહંકાર હોય તો કામમાં જ ના લાગેને ! એ વસ્તુ જ જુદી છે. અહંકારને લેવાદેવા નથી. અહંકાર ઓગળ્યા પછી તો પોતાનું સ્વરૂપ, ‘એ’(ભાન) થાય. આ વચગાળાનું બધું કહેવાય છે. પ્રશ્નકર્તા : ભૂલો પડેલો અહંકાર એ કયો, સજીવ કે નિર્જીવ ? દાદાશ્રી : સજીવ. પ્રશ્નકર્તા : ભૂલો એટલે અહંકાર કેમનો ભૂલો પડે ? દાદાશ્રી : જ્યારથી એને ખબર પડે, કોઈ કહે કે આ ખોટો રસ્તો છે. પાછો ફરે ત્યારથી એ નિર્જીવ કહેવાય. પછી નિર્જીવ અહંકારથી “એ” પાછો જાય છે. પ્રશ્નકર્તા : બરાબર. પણ પાછા જવું એ નિર્જીવ અહંકાર ? દાદાશ્રી : કોઈક ‘એને' પાછો કાઢે કે “આ રસ્તો ખોટો, અહીં ક્યાં ? આ તો મૂઓ અહીં આમ જઈશ.' ત્યારે કહે છે કે હૈ ? હેંડ્યો પાછો. તો પાછા નિર્જીવ અહંકારથી જવું પડે. તે ઘડીએ સજીવ અહંકાર નહીં. આ બીજા બધા લોકો મળે. ત્યાર પછી કહે, આ કેમ પાછો જાય છે ? આમ જા, તે પછી ત્યાં હૈડે. તે પાછો સજીવ થઈ જાય. પ્રશ્નકર્તા : અહંકાર સજીવ છે કે નિર્જીવ એનું ડિમાર્કેશન કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : કઈ બાજુ જઈ રહ્યો છે તે દિશા પરથી ખબર પડે. પ્રશ્નકર્તા : ઊંધે રસ્તે ગયો અને માર ખાય એ બધો સજીવ ? દાદાશ્રી : સજીવ જ છે. અહંકાર બળ્યો સજીવ જ છે. નિર્જીવ ક્યારે થાય, કે એને કોઈ કહે કે “આ રસ્તો ના હોય. આ ખોટે રસ્તે છું. આ બિલીફ તારી ખોટી છે. તું પાછો જા.' પાછો ફરે તે ઘડીએ નિર્જીવ અહંકારથી ચાલે છે. આમ પહેલો જતો હતો તે સજીવ અહંકારથી અને પાછો ચાલે છે એ નિર્જીવ અહંકારથી, ભલેને સાતમેં માઈલ ચાલશે, પણ નિર્જીવ અહંકારથી. એ અહંકાર નહિ પણ “હું' ! પ્રશ્નકર્તા : એટલે આ અહંકાર જ બોલે છેને ? જે અવળો ચાલ્યો હતો તે જ હવે... ‘હું શુદ્ધાત્મા છું' એમ બોલે છે ? દાદાશ્રી : ‘’, ' (જાગૃત આત્મા) બોલે છે, અહંકાર નથી બોલતો. અહંકાર તો જુદો રહે. અહંકાર ના બોલે. ‘હું’, ‘હું પોતાનું સ્વરૂપ જ. હવે (મૂળ) સ્વરૂપ જાતે બોલે નહીં, પણ આ ક્રિયા એના તરફની ફરેલી છે. શુદ્ધાત્મા આપણે બોલીએ છીએ તે શુદ્ધાત્માય પોતે શબ્દ નથી, આ ક્રિયા એ તરફ ફરી છે હવે. ‘તમારી’ શ્રદ્ધા ફરી, બિલીફ ફરી, તેમ તેમ આવરણ તૂટતું જાય. આવરણ તોડનારી વસ્તુ છે આ. પણ ‘હું'નું અસ્તિત્વ, ‘હું શુદ્ધાત્મા છું' એ જ ભાન છે. * (દૃષ્ટિના વધુ રેફરન્સ માટે આપ્તવાણી-૩, ૮ અને ૧૩)

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168