Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 111
________________ (૧.૧૨) ‘હું સામે જાગૃતિ ! ૧૫૯ ૧૫૮ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) પ્રશ્નકર્તા : હવે આ જ્ઞાન કે અજ્ઞાન એ બન્નેનું આદિ કયું? દાદાશ્રી : બન્નેનું આદિ વિજ્ઞાન. મૂળ આત્મા, વિજ્ઞાનમય આત્મા. એમાંથી આ જ્ઞાન ને અજ્ઞાન, તડકો-છાંયડો બે શરૂ થઈ ગયા. અહંકારતી આદિ તે વૃદ્ધિ ! પ્રશ્નકર્તા : અહમ્ એટલે જ અહંકાર, એવું માનતા હતા. દાદાશ્રી : ના, એ તો અહંકાર ને અહમાં બહુ ફેર. પ્રશ્નકર્તા : એમાંય ફરક છે ? એમાં શું ફરક છે ? એ સૂક્ષ્મતાએ ફોડ પાડો ને ! - દાદાશ્રી : “હું'પણું એ અહમ્ અને ‘હુંપણાનો પ્રસ્તાવ કરવો (હું ચંદુ છું) એ અહંકાર. ‘હું પ્રેસિડન્ટ છું’ એ અહંકાર ના કહેવાય. એ તો આપણા લોકો કહે કે અહંકારી પુરુષ છે, પણ ખરેખર એ માની પુરુષ કહેવાય. અહંકાર તો, કશું સંસારની ચીજ-બીજ અડતી ના હોય ને જ્યાં પોતે નથી ત્યાં પોતે ‘હું છું’ એમ માને, તે અહંકારમાં જાય. વસ્તુમાં કશુંય ના હોય. અને બીજી વસ્તુને અડે એટલે માન થયું ! ‘હું પ્રેસિડન્ટ (પ્રમુખ) છું’, એ બધું દેખાડે એટલે આપણે સમજીએને કે આ માની છે. પ્રશ્નકર્તા : પ્રસ્તાવમાં શું આવે ? દાદાશ્રી : વધારે પડતું ‘હું'પણું બોલવું. પેલું ‘હું'તો છે જ, અહમ્ તો છે જ માન્યતામાં, પણ એનો પ્રસ્તાવ કરવો, ‘આ ખરું ને આ ખોટું’ બૂમાબૂમ કરવા જાય, એ અહંકાર કહેવાય. પણ બીજી વસ્તુ ના હોય મહીં, માલિકીપણું ના હોય કશાયમાં. માલિકીપણું આવે એટલે માન આવે. પ્રશ્નકર્તા : અહંકારનો દાખલો ? દાદાશ્રી : અહંકારના દાખલા તો બધા છે ને ! એ માન એકલું નહીં, પછી જેમ જેમ માલિકીભાવ વધારે થયો ને, તે અભિમાન. દેહધારી હોય તે માની કહેવાય ને ‘આ ફલેટ અમારો, આ અમારું એ (મમતાવાળું) તે અભિમાન. એટલે અહંકારથી માની, અભિમાની, બધા બહુ જાતના પર્યાય ઊભા થાય છે. અહંકાર એટલે આપણા લોકો સમજે છે અને અહંકાર કહેવાતો નથી. આપણા લોકો જેને અહંકાર કહે છે ને, એ તો માન છે. અહંકાર બિલીફ(માન્યતા)માં હોય, જ્ઞાનમાં ના હોય. જ્ઞાનમાં આવે એ માન કહેવાય. પોતે કરતો નથી, ત્યાં આગળ ‘પોતે કરું છું' એવું માને છે, એનું નામ અહંકાર. પ્રશ્નકર્તા : હવે એક દાખલો આપીને સમજાવો એ. દાદાશ્રી : આપણે અહીં કહે છે કે, ‘હું નીચે આવ્યો’ હવે ઉપરથી નીચે આવ્યો, એમાં પોતે આવ્યો જ નથી, એ તો આ શરીર આવ્યું. આ બધું શરીર આવ્યું, તેને પોતે માને કે, “આવ્યો’ એવી માન્યતા, એ અહંકાર અને પછી એ મોઢે બોલે કે “હું આવ્યો', એ માન કહેવાય. તો આપણા લોકો “હું આવ્યો’ તેને અહંકાર કહે છે. પ્રશ્નકર્તા : અહમ્પણું અને પોતાપણું બે એક જ કે અલગ અલગ ? દાદાશ્રી : બહુ ફેર. પ્રશ્નકર્તા : શું ફેર ? દાદાશ્રી : અહમ્ તો માનેલું જ રહ્યું અને પોતાપણું વર્તનમાં રહ્યું. વર્તનમાં હોય એને એ રહે અને માનેલું તો જતું રહે. ‘હું'પણું માનેલું એ જતું રહે, પણ પછી વર્તનમાં રહે ને ! પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓને પોતાપણું હોય ? દાદાશ્રી : પોતાપણું તો જબરજસ્ત હોય. ભોળો હોય ને, તેને ઓછું હોય. પ્રશ્નકર્તા: એ ‘હું’ વિશે વધારે કહો ને !

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168