Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 84
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) પ્રશ્નકર્તા : તો પછી આ આત્માનો પુનર્જન્મ થાય છે ? દાદાશ્રી : આત્માનો પુનર્જન્મ થતો નથી. અહંકારનો જ પુનર્જન્મ થયા કરે છે. આત્મા તો તેનો તે જ રહે છે. ઉપર આવરણ ચડ્યા કરે છે અને આવરણ ઉતર્યા કરે છે. આવરણ ચડ્યા કરે છે અને આવરણ ઉતર્યા કરે છે. ૧૦૪ પ્રશ્નકર્તા : પોતાના ગુણધર્મો પ્રમાણે ચાલે આખી દુનિયા ? દાદાશ્રી : બસ, આ સ્વભાવથી જ જગત ચાલી રહ્યું છે. આ બધુંય સ્વભાવ કરી રહ્યો છે. પ્રશ્નકર્તા : આપણો પણ સ્વભાવ ખરાબ નથી ? આપણો સ્વભાવ ખરાબ છે એટલે આ બધું ખરાબ કરીએ છીએને ! દાદાશ્રી : તમે તો આત્મા છો, પરમાત્મા છો. અને સ્વભાવ તમારો ખરાબ હોતો હશે ? પ્રશ્નકર્તા : ના, પણ પુદ્ગલ જે સાથે... દાદાશ્રી : નહીં, એ પુદ્ગલ તો ઊભું થયેલું છે, આ સંજોગોના અનુસાર. પુદ્ગલ એટલે ‘હું’-‘મારું’ બે ઊભું થયું. ‘તમે’ જ્યાં સુધી ‘હું’ ચંદુમાં વર્તશો, ત્યાં સુધી પોતાનાં સ્વરૂપનું ભાન નહીં થાય અને ત્યાં સુધી ‘હું' જુદું રહ્યા કરશે. વ્યતિરેક ગુણ છે એ, એ અન્વય ગુણ નથી. વિભાવ એ અહંકાર ! પ્રશ્નકર્તા : છ દ્રવ્યોના સંયોગથી નિષ્પન્ન થતો વિભાવ, તે વિભાવ પ્રતિષ્ઠિત આત્માને થાય છે ને ? દાદાશ્રી : હા, એ પ્રતિષ્ઠિત આત્મા એટલે જ અહંકાર. જે પ્રતિષ્ઠા કરે છે તે અહંકાર પોતે જ વિશેષભાવ છે. વિશેષભાવ એ જ પોતે અહંકાર છે. પ્રશ્નકર્તા ઃ અહંકાર રહિતતા એ આત્માનો સ્વભાવ છે ? (૧.૮) ક્રોધ-માનનો ‘હું’, માયા-લોભનું ‘મારું’ ! દાદાશ્રી : હા, એ આત્માનો સ્વભાવ છે અને આત્માનો વિભાવ એ અહંકાર. ૧૦૫ પ્રશ્નકર્તા : આત્મા સિવાય બીજું જે કંઈ દેખાય છે તે બધું વિભાવ ? દાદાશ્રી : એ બધું વિભાવનું ફળ. અને તે બધું વિનાશી પાછું. રહે નહીં ભેળું કરેલું. ગમે એટલું ભેગું કરો તો, દેહને પોતાનો કરવા જાયને તો આ થાય નહીં કોઈ દહાડોય. પ્રશ્નકર્તા ઃ દરેકમાં ચેતન સરખું છે અને જડ સરખું છે, તો વ્યતિરેક ગુણનું ઓછું-વધતું પ્રમાણ કેમ થાય છે દરેકમાં ? દાદાશ્રી : ચેતન સરખું છે બધામાં. જડ સરખું ના હોય. જો જડ સરખું હોતને તો કોઈ ઓળખાત જ નહીં. બધા એક જ પ્રકારના મોઢાં અને એક જ પ્રકારનું બધું. પ્રશ્નકર્તા : પણ એ બધાના જે મૂળ અણુ પરમાણુ છે એ તો સરખા જ ને ? દાદાશ્રી : હા, પણ એ અણુ-પરમાણુનું જોવાનું નથી. અત્યારે જે આપણને દેહ ને બધું ઊભું થયું છે, એ સરખું હોય નહીં. પ્રશ્નકર્તા : જેને જ્ઞાન ના હોય એવામાં કોઈને વધારે ઈગો હોય, કોઈને ઓછો હોય એવું કેમ ? દાદાશ્રી : એ બધું તો હોય. એ વધતું-ઓછું હોય. એ તો બધું એના હાથમાં સત્તા જ નથી. એ ‘પોતે’ માને છે કે ‘આ હું છું’, એ ખરેખર નથી. ‘હું છું’ એ ભ્રામક માન્યતા છે. અને એ વધતો-ઓછો હોય પણ નીકળે નહીં. બેના છૂટા પડ્યા સિવાય જાય નહીં. પ્રશ્નકર્તા : પણ એમાં સંજોગો ભેગા થાયને ત્યારે ઊડી જાયને પાછું ? દાદાશ્રી : હા, સંજોગ ભેગા થાય તો, નહીં તો થાય જ

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168