Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 77
________________ આપ્તવાણી-૧૧ ૧૦૩ તો પછી આ બીજ નાંખ્યું. એ કર્મ બાંધ્યું. એ પછી ઊગીને તે ઘડીએ તેવી જ ક્રિયા થાય. એ કર્મફળ આવે બીજે ભવમાં. માતે કર્મફળતે કર્મ ! ૧૦૪ આપ્તવાણી-૧૧ કે આ જુઓ, ફળ મળ્યું ને ! નહીં તો, પેલો ના આપી શકે એવો નબળો હોય, તો લોકો શું કહે, કેવો નાલાયક માણસ, આ બિચારાને વગર કામની ધોલ મારી. તે અપજશ કર્મફળ બોલે. અપજશરૂપી કર્મનું ફળ મળી જાય. તમને સમજણ પડીને ! કર્મફળનું તરત જ ફળ મળે. એને કર્મફળ પરિણામ કહેવાય. કર્મફળ પરિણામ તો હંમેશાં નજીકમાં જ હોય. કર્મ કરતી વખતે કર્મ અને ફળ આપતી વખતે કર્મફળ, એમાં ફેર હોય છે, ટાઈમ ડીફરન્સ, શાથી ? તે કર્મ કરતી વખતે બીજરૂપે હોય છે ત્યાર પછી ઝાડ થાય, ત્યાર પછી ફૂલો આવે, ત્યાર પછી છે તે કર્મફળ, એટલો ટાઈમ લાગે છે અને કર્મફળનું પરિણામ તો જલ્દી જ મળી જાય છે. કર્મ, કર્મફળ, કર્મફળ પરિણામ ! જેવું કંઈ ઉદય આવે તે પ્રમાણે કામ થયા કરે. ત્યારે કોઈ કહે, સાહેબ, ઉદયમાં કોણે છાપ મારી, મારે ઉદય સાથે શું લેવાદેવા ?” ત્યારે કહે, “મુઆ, તેં જ ભાવ કર્યા હતાં તે જ તારો ઉદય.’ તે ભાવ કરતી વખતે કર્મ કહેવાય છે. અને કર્મમાં સંજોગો ના હોય. સંજોગો વગર સ્વતંત્ર કરી શકે, અને ભોગવતી વખતે એને કર્મફળમાં સંજોગો ભેગા થાય તો જ કર્મફળ મળે અને પછી આપણને લાગે કે મારા સંજોગો સારા નથી. ત્યારે એ જ મૂઆ કર્મફળ. સંજોગો ભેગા થશે એટલે કર્મફળ મળશે. કર્મ તો તે કર્યું છે. હવે આ જગતના લોકો શું કહેશે, કર્મફળને કર્મ કહેશે. આંખે દેખાયું કે આણે આને ધોલ મારી, એ એણે કર્મ કર્યું. અરે, પણ શાથી મારી ? એક કેમ મારી ? બે કેમ નહીં ? અને સવાચાર વાગે કેમ મારી ? ત્રણ વાગે કેમ ના મારી ? એવો કંઈ પ્રશ્ન બોલો ને ? પણ ભાન જ નથી. એણે મારી, એટલું સમજે છે. હું તો પૂછું ને કે “ભઈ સવાચાર વાગે કેમ આપી ? ત્રણ વાગે કેમ ના મારી પણ ? ક્યારના ભેગા થયા છે ? ક્યારના વઢે છે ? હમણે કેમ મારી ? ક્યા કારણથી આ ટાઈમે ?” હવે એ જે ધોલનું કર્મ છે ને, એ ત્યાંથી અહીં પરિપક્વ થઈને પછી ટાઈમ, સ્પેસ બધું સંજોગો ઊભા થયા છે. ત્યાર પછી બધું બને. એટલે આ જગતને શી રીતે સમજાય ? આ તો અક્રમવિજ્ઞાનની શોધખોળ છે કે વોટ ઈઝ કરેક્ટ એન્ડ વોટ ઈઝ ઈન કરેક્ટ ? તો જ આ નિવેડો આવે ને ? નહીં તો ગુંચાયા જ કરે છે ને લોક. કર્મ શું ? અને કર્મફળ શું? આ જે કર્મફળને આ જગતના લોકો કર્મ કહે છે કે આણે આને ધોલ મારી. એટલે એનું ફળ આયા વગર રહેશે નહીં. એટલે પછી એનું ફળ શું આવે ? પેલો લાગ જુએ કે ક્યારે મારો તાલ પડે. એ પાછો બે આપી જાય. એટલે પેલો કહે કોઈ છોકરો હોટલમાં જઈને માંસાહાર કરતા શીખી ગયો હોય, હવે એના મા-બાપ શું કહે, તું હોટલમાં જઉ છું, બિમાર પડીશ. એને ના પાડે, ઘણું પ્રયત્ન કરે છે, પણ કશું વળે નહીં. હવે લોક આને શું કહે છે, આ છોકરો નવું કર્મ બાંધે છે હવે આ હોટલનો ખોરાક ખાવો, તેનું પાછું ફળ આપે, તે ફળમાં ચાર વર્ષે મરડો થાય. હવે લોક આને કર્મફળ કહે છે કે આ હોટલનું ખાવું તે કર્મ ને તેનો આ તને મરડો થયો તે કર્મફળ કહેશે. હવે એઝેક્ટ જો કર્મની થીયરી કોને કહેવાય, એવું જો સમજે તો એ માણસ પુરુષાર્થધર્મને સમજી શકે. કર્મની થીયરી તો, જગતના લોકો જેને કર્મ કહે છે એને કર્મની થીયરી કર્મફળ કહે છે. અને આ મરડો થયો એને જગત કર્મફળ આવ્યું એવું માને ત્યારે કર્મની થીયરી શું કહે છે. કર્મફળનું પરિણામ આવ્યું. એટલે કર્મફળનું પરિણામ આવે છે ત્યારે મરડો થાય છે. તે ઘડીએ મા-બાપે ત્યાં શું કરવું જોઈએ ? મા-બાપ તો મારે છે, ને કાઢી મેલે છે ને ? ના કરાય એવું, એ મરડો થતી વખતે તો કામનું જ નહીં. આ લોક તો પેલો છોકરો હોટલમાં ખાતો હોય તે વખતે ય એને માર માર જ કરે છે. કાઢી મેલે છે ત્રણ દહાડા સુધી તો. તે પેલો પાછો હોટલમાં જઈને પડી રહે. ખાવા માટે પડી રહે પાછો, એટલે સંસ્કાર વધુ બગડે છે.

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204