Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 83
________________ ૧૧૫ ૧૧૬ આપ્તવાણી-૧૧ એટલે આ બધા ઇન્સિડન્ટ છે, બીજું કશું છે જ નહીં. એક્સિડન્ટ તો એ બધાં જે કહે છે કે, સાયન્ટિસ્ટને એવું જ દેખાય. કારણ કે સાયન્ટિસ્ટો એમ જાણે કે આ એક્સિડન્ટલી ઊભું થયું છે આ, એવું નથી. આ પ્લાનિંગ છે અને પ્લાનિંગનો કોઈ કરનાર નથી પાછો. કુદરતના નિયમો, હાતિ-વૃદ્ધિ કેરાં... આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : એ તો ‘કોઝ' જેનું જાણવામાં ના આવે, એને ચમત્કાર કહે છે. દાદાશ્રી : હા. એને ચમત્કાર કહે છે, બસ. પણ પાછાં આ લોકો સાવે છે અને આ બીજા બધા લોકો બિચારા લાલચુ છે, તે ફસાય છે ! એટલે ચમત્કાર કોને કહેવાય ? તમારે સાયન્ટિફિક રીતે ‘પૂફ’ આપવું હોય કોઈ માણસને, તો કોઇ પણ વસ્તુની કોઇ પણ સંયોગની જરૂર ના પડે તેને ચમત્કાર કહેવાય. અને આ જગતમાં સંયોગ સિવાય કોઈ વસ્તુ બનતી નથી. કારણ કે ‘ડિસ્ચાર્જ’ બધું સંયોગોનું મિલન છે. એટલે કે ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. કોઇ કહેશે કે ‘2H અને o આપો હું તમને પાણી બનાવી આપું.” ત્યારે એ તો પાણી થવાનો એનો સ્વભાવ જ છે. એમાં તું શાનો “મેકર' ? એટલે સંયોગોનું મિલન છે આ ! ‘હવે એ સંયોગો ના હોય અને તું કરે, તે મને દેખાડ કહીએ. એટલે ચમત્કાર એને કહેવાય કે સંયોગોનું મિલન ન થવું જોઇએ. પાછું ચમત્કારવાળો કહે, “અત્યારના ટાઇમ નહીં થાય !” “કેમ તું ટાઇમની રાહ જોઉં છું ? માટે ચમત્કાર નથી.’ પણ આવું પૂછતાં આવડે નહીં ને લોકોને ! હું તો એનો ખુલાસો પૂછું ને, તે એના સાંધા જ તોડી નાખું. કારણ કે મને પૂછતાં આવડે ! પણ આપણે ક્યાં એમની પાછળ પડીએ ?! આનો પાર નથી આવે એવો ! અનંત અવતારથી આના આ જ તોફાનમાં પડેલા છે. ભગવાનનાં વખતમાં ય ચોર્યાસી લાખ વિદ્યાઓ હતી, તે ભગવાન બધી વિદ્યાઓનો નાશ કરી ગયા છે. છતાં થોડી ઘણી ‘લીકેજ' રહી ગઇ છે ! આ તો એવું છે ને, સાચું વિજ્ઞાન બધું છવાઈ ગયેલું છે, તે કુદરત એની મેળે કાઢશે ! આપણે ભાવ કરોને, આ ચમત્કારની વિદ્યાઓ બધી જાવ અહીંથી !! પ્રશ્નકર્તા : આ બધું વિશ્વ છે, તે પ્લાન્ટ છે કે બધું એક્સિડન્ટલ છે ? દાદાશ્રી : એક્સિડન્ટલ નથી, પ્લાનિંગ છે. એક્ઝક્ટ પ્લાનિંગ. તેથી તો અમે વ્યવસ્થિત કહીએ છીએ. એક્સિડન્ટ જેવું આમાં કશું છે જ નહીં. અત્યારે જગતનાં લોકો એને એક્સિડન્ટ કહે છે, તે ય ઇન્સિડન્ટ છે. આ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારાઓ બધું નિયમથી છે. બીજું બધું આ જાનવરો બધું, આ મનુષ્યો સિવાય બીજું બધું નિયમના આધીન છે. અને માણસનું જ્યાં ચલણ નથી, ત્યાં હાનિ-વૃદ્ધિ છે. પ્રશ્નકર્તા : બરોબર. એટલે આ હાનિ-વૃદ્ધિ એ નેચરલ છે ? કુદરતી છે ? દાદાશ્રી : હં. એમાં મનુષ્યને તો લેવાદેવા નહીં. મનુષ્યના હાથની શક્તિ નથી. એ કુદરતને આધીન છે. પછી તું તો કાલે સવારે કહ્યું કે આ પ્રેમ વધઘટ થાય છે તે આને લીધે છે ? અલ્યા, આને લીધે નહીં, આ તો માણસકૃત છે. માણસનું આ તો બધું કામ છે, ત્યાં કુદરત નથી. પ્રશ્નકર્તા : મ્યુનિસિપાલિટીનું બર્થ રજિસ્ટર ચેક કરીએ છીએ તો ચારસો અઠ્ઠાણું મેઈલ અને પાંચસોને બે ફિમેલ અથવા તેથી ઊછું હોય છે, પણ લગભગ પચાસ-પચાસનાં નિયમની બહાર નથી હોતું. તો આ વ્યવસ્થા કયા નિયમથી થાય છે ? દાદાશ્રી : નિયમને આધીન છે અને એ નિયમ બીજી વસ્તુને આધીન છે જે તમને સમજાવતાં વાર લાગશે. એટલે તમારે નિયમને આધીન તમારે સમજી લેવાનું. એટલે વ્યવહારમાં પ્રવેશ છે અને વ્યવહારથી મુક્તિ છે. આ જેટલો વ્યવહાર માર્ગ છે, એ બધું નિયમસર છે. વ્યવહાર એટલે શું ? જે જીવોનું કંઇ પણ નામ પડ્યું છે એ બધા વ્યવહારમાં આવેલા જીવો કહેવાય. એ વ્યવહારના જીવો જેટલા છે, એમાં એક જીવ ઓછો થતો નથી કે એક જીવ વધતો નથી, એવો આ વ્યવહાર સુંદર છે અને

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204