Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 113
________________ ૧૭૪ આપ્તવાણી-૧૧ પ્રકૃતિ પર તથી ઇશ્વરતી ય સત્તા ! આપ્તવાણી-૧૧ ૧૭૫ વ્યવસ્થિત શક્તિના ! વિસર્જન માત્ર એના હાથમાં છે. ફક્ત આપણને એમ લાગે છે કે આ સર્જન આપણા હાથમાં છે, તે ય નિમિત્ત છે. કેવું પ્રશ્નકર્તા : નૈમિત્તિક. દાદાશ્રી : સ્વતંત્ર જો સર્જન હોય તો તો બધું જગત બધું જુદી જાતનું ચાલે. એટલે આ જગત આખું સમજવા જેવું છે. સર્જતની સિસ્ટમ, પાર્લામેન્ટરી.. પ્રશ્નકર્તા: ગીતાનું પેલું વાક્ય કહે છે, “પ્રકૃતિ પ્રસવ સૃષ્ટિ'. એટલે પેલું ભગવાને એમ કહ્યું છે ગીતામાં કે મારા વડે આ સૃષ્ટિ સર્જાય છે. - દાદાશ્રી : બરોબર છે. એમાં ગીતામાં અમુક બાબત તો ખુલ્લી કરી છે. કેટલીક બાબતો એવી રાખી છે કે જ્યાં અધ્યાહાર રાખ્યું છે. આ ‘હું' જ્યાં કહે છે પોતે, ત્યાં આ ‘શુદ્ધાત્મા’ની વાત છે. એ કૃષ્ણ ભગવાન નથી. હવે લોકો છે તે પોતપોતાની ભાષામાં સમજે. અને આ પ્રકૃતિ એ તો એમાં કોઈ જાતની આપણી, મનુષ્યની કોઈ ક્રિયા ચાલે એવી નથી, ઈશ્વરનું ય ચાલે એવું નથી. એ બધું આ વ્યવસ્થિત શક્તિનું કામ છે. એક્કેક્ટ માણસ રૂપાળા-બુપાળા, કદરૂપા-બદરૂપા, બધું એના હાથમાં છે અને તોલી-તોલીન, જરા ય ફેર ન પડે. પ્રશ્નકર્તા : પણ એ માણસ કદરૂપા કે સારા રૂપાળા થવાનું, જે કરે છે વ્યવસ્થિત શક્તિ, તેનો આધાર શેના ઉપર ? દાદાશ્રી : એ આધાર આપણો જ. આપણા જે ભાવ પૂર્વે હતા અને જે અવસ્થિત થયા હતા આપણે, અવસ્થિત જે ભાવમાં અવસ્થિત થયા, તેનું આ આની મારફત વ્યવસ્થિત થઈને આવે છે. પ્રશ્નકર્તા : બરાબર એટલે કો'ક માણસ પાડાનો વિચાર કર્યા કરે તો બીજે જન્મે પાડો થાય? દાદાશ્રી : પાશવી વિચાર કરે ને, એટલે પશુતામાં જાય છે. અને સજ્જનતાના વિચારો કરે, માનવતાવાળા વિચારો કરે, તો પછી મનુષ્યમાં આવે. અને દૈવી વિચાર એટલે શું ? સુપર હ્યુમન કે તમે મને નુકસાન કરો, તો ય હું તમને ઉપકાર કરું. તમે ફરી નુકસાન કરો તો ય ઉપકાર કરું, એવું દસ વખત એ ચાલ્યા કરે એટલે જાણવું કે આ સુપર હ્યુમન છે. એ દેવલોકમાં જાય. એટલે એમાં આપણી આ જે મહીં સર્જનક્રિયા થાય છે, એની નોંધ કોણ લે છે ? એ વ્યવસ્થિત શક્તિનું કામ છે. એ નોંધ પછી એ ગોઠવી કરીને રૂપક આપે છે. અને વિસર્જન તો કમ્પ્લીટે ય એના હાથમાં છે, વિસર્જનમાં આત્મસત્તા નહીં, પુદ્ગલસત્તા એ જ પરસત્તા કહેવાય છે, એટલે પુદ્ગલસત્તાના આધિન ! હવે સર્જન થાય છે તે પાર્લામેન્ટરી પદ્ધતિથી થાય અને વિસર્જન તો બિલકુલ પુદ્ગલસત્તા છે. જન્મ્યા ત્યારથી તે ઠેઠ છેલ્લા સ્ટેશન સુધી જે જે ક્રિયાઓ કરવામાં આવે છે, મન-વચનકાયાથી, આ ઇન્દ્રિયોથી એ બધું વિસર્જન કહેવાય. તે ‘ઇટ હેપન્સ” કહેવાય અને એ ફરજિયાત છે. અને અંદર જે સર્જન થઈ જાય છે એ જીવને ખબર પડતી નથી. એવી જાગૃતિ હોતી નથી અંદર નિરંતર સર્જન થયા જ કરે છે. હવે સર્જન પોતાના એકલાથી જ જો સર્જન હોય તો તો એ કાયમને માટે કર્તા થઈ પડ્યો. તે બંધન છૂટે નહીં કોઈ દહાડો ય. પણ આ નૈમિત્તિક કર્તા છે એટલે છૂટે છે, નહીં તો છૂટે જ નહીં ને મોક્ષે જાય જ નહીં ને ! પણ નૈમિત્તિક કર્તા એટલે પાર્લામેન્ટરી પધ્ધતિથી. જેમ ઇન્દિરાએ કહ્યું હોય પેલા પાકિસ્તાનવાળાઓને કે ભઈ, આ કચ્છનો અમુક ભાગ હું તમને આપીશ. પણ જોડે જોડે એમ કહે કે પાર્લામેન્ટમાં નક્કી કરાવીને પછી આપીશ. એવું કહી જ દેને એ. એટલે પછી ત્યાં આગળ જઈને પાર્લામેન્ટમાં ઠરાવ મૂકે અને નક્કી કરાવે. હવે એ નક્કી કર્યું કોણે ? ત્યારે કહેવાય ઇન્દિરાએ અને હોય પાર્લામેન્ટરી પધ્ધતિ. એટલે એ નૈમિત્તિક કહેવાય, એવી જ રીતે નૈમિત્તિક કર્તા આત્મા થાય છે અને આત્મા જાતે કરતો નથી. આ તો તેના વિશેષ પરિણામ છે. જે વિભાવ કહેવાય છે !

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204