Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 133
________________ ૨ ૧૪ આપ્તવાણી-૧૧ તો આમણે ધક્કો માર્યો તેમાં હું શું કરું ? અને હું તો શુદ્ધાત્મા છું'. એવું ચાલે નહીં ત્યાં આગળ. તમે શુદ્ધાત્મા થયેલા છો એ વાત સાચી. પણ અહીં વ્યવહારમાં જ્યાં આવ્યું, ત્યાં આગળ તમારે કહેવું કે ‘ના, ચંદુલાલ છું.’ એટલે આ લોકોના વ્યવહારથી આનાં કર્તા તમે છો. અંદરખાને તમારે જાણવું કે આ વ્યવહારથી કર્તા, ખરેખર કર્તા નથી ને. નહીં તો તમે લોકમાં એમ કહો કે “મને શું અડે ! મારે શું લેવાદેવા ? હું તો શુદ્ધાત્મા છું, મને કશું અડે નહીં’. તો ય એ માર પડે. આટલું જ વ્યવહાર. તેમને સમજાયું, હું શું કહેવા માંગું છું તે ? ત્યાં આગળ અમે કહીએ, ‘હા, ભાઈ, મેં કર્યું બા. મારા હાથે થયું છે આ.' અમે જાણીએને, વ્યવહારને તો આપણે ઉથામીએ જ નહીં ને ? વ્યવહારને તો જેવું દેખાશે એવું કહેશે. આ વ્યવહારનો ઉકેલ લાવવાનો છે. - વ્યવહારમાં કર્તા એટલે “હું પોતે કર્તા નહીં’ એમ માનવાનું. અને લોકો કહે તો ‘હા’ કહેવાનું. બોલવા ખાતર બોલવાનું. લોક કહે, ‘તમે આ કેમ કર્યું ?” ત્યારે કહે, ‘ભઈ ફરી નહીં કરીએ.’ બાકી આપણે કર્તા નથી. આપણે એટલું સમજીએ કે વ્યવહારમાં તો આ જ ભાષા હોય, માટે એ ભાષાને ઉદ્ધતાઈથી આપણે જવાબ ના આપવો જોઈએ, નહીં તો આપણે જ્ઞાની ના કહેવાઈએ, ઉદ્ધત જવાબ આપીએ તો ! એટલે અમારે કહેવાનું કે ‘ભઈ, અમારી ભૂલ થઈ, હવે નહીં કરીએ ફરી.” દુનિયા જોડે વાતચીત કરવા માટે અમારે ‘એ. એમ. પટેલ’ થવું પડે. એટલે આ વીતરાગ વિજ્ઞાન તો ઓર જાતનું છે, પણ આખું વિજ્ઞાન અવળી બાજુ ખસી ગયું છે, કર્તા ભાગ તરફ. વ્યવહારમાં કર્તા છે, તેનો દુરુપયોગ થયો. આત્મા સ્વભાવકર્મનો કર્તા આપ્તવાણી-૧૧ ૨૧૫ પ્રશ્નકર્તા: પણ એનો ફોડ નથી આપ્યો. “આ વ્યવહારથી કર્તા છે, વ્યવહારથી ભોક્તા છે” એવું એમાં ક્લિયરન્સ નથી, એટલે લોકો વધારે ગૂંચાયને ? દાદાશ્રી : ના. આમને વ્યવહારથી કર્તા કહો, તો ય આમને વ્યવહારની જ ખબર નહીં ત્યાં આગળ પછી શું ગૂંચાવાનું ? ગૂંચાયેલાં જ છે, એમને શું ગૂંચાવાનું ? ‘વ્યવહાર શું છે' એ જ ખબર નથી. વ્યવહાર સમજે તો નિશ્ચય સમજે. પણ વ્યવહાર જ સમજણ પડી નહીં ત્યાં શું ? વ્યવહાર જ બધો ગૂંચાયેલો છે અને ‘આત્મા ક્યાં છે તે જ ખબર નથી. એ તો આ મિકેનિકલને આત્મા માને છે અને “આને સ્થિર કરું તો મોક્ષ થઈ જાય', કહે છે. પ્રશ્નકર્તા : ક્રમિકમાર્ગમાં એ જ છે, પછી બીજું શું કરે ? દાદાશ્રી : ક્રમિકમાર્ગમાં એ છે, એ વાત સાચી છે, એમાં ખોટું નથી. પણ જ્યારે ત્યારે પાછું, અમુક પ્રમાણમાં આવે છેને એટલે છૂટું પડી જાય છે. એટલે ત્યારે વ્યવહાર સમજાય છે. વ્યવહાર ક્યાં સુધી સમજાય છે ? કે જ્યાં સુધી એને બે ભાગ જુદા સમજાય નહીંને ત્યાં સુધી વ્યવહાર બધો ચાલુ જ રહેવાનો. ‘વ્યવહારથી કર્તા છે' એ વસ્તુ જ મુખ્ય સમજવા જેવી છે. ‘વ્યવહારથી કર્તા છે” એ વાક્ય જો સમજેને, તો બહુ કલ્યાણ કરી નાખે. આત્મા વ્યવહારથી કર્તા છે, નિશ્ચયથી અકર્તા છે. વ્યવહારથી કર્તા એટલે ડ્રામેટિક્કી કર્તા છે, ખરી રીતે કર્તા નથી. તથી આત્મા પ્રેરક કોઈતો ! કર્તાભાવ કોઈનો છૂટ્યો નથી. અને ઊર્દુ શાસ્ત્રોએ તો એવું સમજાવ્યું છે કે “આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે.” હવે એ કર્તાપણું શી રીતે છૂટે ? પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રની આત્મસિદ્ધિની ગાથા છે. ‘હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ? જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ.” એ સમજાવો. દાદાશ્રી : ચેતન જો પ્રેરણા કરે ને, તો પ્રેરક ગુનેગાર છે. એટલે પ્રેરણા કરતો જ નથી ચેતન.

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204